ETV Bharat / state

વિદ્યાર્થીઓમાં ગાંધી વિચાર સિંચન કરતા પ્રીતિબેન કોટેચાને "શ્રેષ્ઠ શિક્ષક"નો એવોર્ડ એનાયત

પોરબંદરઃ સત્ય અને અહિંસાના પૂજારી પૂજ્ય બાપૂની જન્મભૂમિ એટલે પોરબંદર. પોરબંદરની હવામાં આજે પણ ગાંધીના વિચારો જીવંત છે અને આવુ જ એક ઉત્તમ ઉદાહરણ શ્રી રૂપાળીબા પ્રાથમિક શાળાના શિક્ષકમાં જોવા મળ્યું છે. શાળાના મદદનીશ શિક્ષક પ્રીતિબેન કોટેચાને વિદ્યાર્થીઓ સુધી ગાંધીના વિચારો પહોંચાડવા બદલ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવૉર્ડ આપી સન્માનિત કર્યા હતાં.

author img

By

Published : Sep 12, 2019, 2:08 PM IST

think of ghandhi

સામાન્ય શિક્ષણની સાથે આવી અનોખી પહેલ કરી વિદ્યાર્થીઓને સાચો માર્ગ બતાવનાર આ શિક્ષક ખરેખર મહાન છે. વિદ્યાર્થીઓ પણ તેમની હાથ નીચે અભ્યાસ મેળવી ગર્વ અનુભવે છે. અભ્યાસની સાથે બાળકોને સાચી દિશા બતાવવી તે ઉમદા કાર્ય છે અને આ કાર્ય જો શિક્ષણજગત સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ મિશન બનાવી દે તો ખરેખર ભણતરનો સાચો અર્થ સાકાર થઈ શકે છે.

વિદ્યાર્થીઓમાં ગાંધી વિચાર સિંચન કરતા પ્રીતિબેન કોટેચાને "શ્રેષ્ઠ શિક્ષક"નો એવોર્ડ એનાયત

પોરબંદરની ધરતીમાં આજે પણ મહાત્મા ગાંધી સમાયેલા છે. ભારતે જેને બાપૂની ઉપાધી આપી છે, તે ગાંધીના વિચાર આજની યુવા પેઢીમાં પહોંચે તે ખૂબ જ જરૂરી છે. તેવા સમયે માત્ર શિક્ષક જ નહીં, પરંતુ બાળકમાં સંસ્કારનું સિંચન કરતાં વાલીઓએ પણ ગાંધીના વિચારોને સમજી પોતાના બાળક સુધી પહોંચાડવાની જરૂર છે.

સામાન્ય શિક્ષણની સાથે આવી અનોખી પહેલ કરી વિદ્યાર્થીઓને સાચો માર્ગ બતાવનાર આ શિક્ષક ખરેખર મહાન છે. વિદ્યાર્થીઓ પણ તેમની હાથ નીચે અભ્યાસ મેળવી ગર્વ અનુભવે છે. અભ્યાસની સાથે બાળકોને સાચી દિશા બતાવવી તે ઉમદા કાર્ય છે અને આ કાર્ય જો શિક્ષણજગત સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ મિશન બનાવી દે તો ખરેખર ભણતરનો સાચો અર્થ સાકાર થઈ શકે છે.

વિદ્યાર્થીઓમાં ગાંધી વિચાર સિંચન કરતા પ્રીતિબેન કોટેચાને "શ્રેષ્ઠ શિક્ષક"નો એવોર્ડ એનાયત

પોરબંદરની ધરતીમાં આજે પણ મહાત્મા ગાંધી સમાયેલા છે. ભારતે જેને બાપૂની ઉપાધી આપી છે, તે ગાંધીના વિચાર આજની યુવા પેઢીમાં પહોંચે તે ખૂબ જ જરૂરી છે. તેવા સમયે માત્ર શિક્ષક જ નહીં, પરંતુ બાળકમાં સંસ્કારનું સિંચન કરતાં વાલીઓએ પણ ગાંધીના વિચારોને સમજી પોતાના બાળક સુધી પહોંચાડવાની જરૂર છે.

Intro:ગાંધીજીના વિચારો વિદ્યાર્થીઓમાં ફેલાવતા શિક્ષક ને મળ્યો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ



સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજી ની જન્મ ભૂમિ એટલે પોરબંદર જ્યાં હાલ પણ ગાંધીજીના વિચારો જીવંત છે તેવી પ્રતીતિ અહીંની શાળાઓના શિક્ષકો કરાવી રહ્યા છે જેમાં પોરબંદરની શ્રી રૂપાળીબા પ્રાથમિક શાળાના એક શિક્ષકને તાજેતરમાં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે


Body:પોરબંદરની શ્રી રૂપાળીબા કન્યાશાળા માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રીતિબેન કોટેચા ને શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષક નું એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ગત વર્ષે તેઓને પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા

પ્રીતિબેન કોટેચાએ જણાવ્યું હતું કે એક શિક્ષક તરીકેની ફરજમા તેઓએ ગાંધીજીના અમૂલ્ય વિચારો બાળકો સુધી પહોંચે તેઓ પ્રયત્ન કર્યો છે જે બદલ આ એવોર્ડ મળ્યો છે આ બાબતે એક વાત કરતા પ્રીતિબેન જણાવે છે કે તેમની શાળામાં આવતા અમુક વિદ્યાર્થીઓ ગુટખાનું વ્યસન કરતા હોવાનું જણાવ્યું હતું ત્યારે પ્રીતિ બહેને ગુટખા ન ખાવા અને જો કોઈ ગુટકા હશે તો શિક્ષિકા તે દિવસે ઉપવાસ કરશે આ વાત બાળકોના અંતરમા લાગી આવી અને એક દિવસ બાળકો એ સામેથી જણાવ્યું હતું કે જ્યારે અમે ગુટખાની પડી સામે લઈ ત્યારે શિક્ષિકાનો ચહેરો તેમાં દેખાય અને ત્યારથી ગુટખા ખાવાનું બંધ કર્યું છે આમ ગાંધીજીના ઉપવાસ ના આ વિચારો થી સત્ય અહિંસા અને વ્યસનમુક્તિ અંગેની પ્રેરણા આ શિક્ષકમાં પણ દેખાય રહી છે


Conclusion:બાળકોએ પણ જણાવ્યું હતું કે શિક્ષક પ્રીતિબેન કોટેચા દ્વારા આપવામાં આવતું શિક્ષણ ખૂબ જ ઉપયોગી રહે છે અને શિક્ષણની સાથે સાથે તેઓ જીવનઘડતરની જે વાત કરી છે તેનાથી તેઓના જીવનમાં અનેક ઘણું શીખવા જેવું હોય છે અને જે જીવનમાં આગળ લઈ જઈ શકે છે

બાઈટ પ્રીતિબેન કોટેચા શિક્ષક

બાઈટ ઋત્વિક રાજ પરમાર વિદ્યાર્થી

બાઈટ મહિમા વિદ્યાર્થીની
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.