પાટણ: કોરોના વાઈરસ સંક્રમણને અટકાવવા 3 મેં સુધી સરકારે લોકડાઉન લંબાવ્યું છે. બીજી તરફ સરકારે 20 એપ્રિલથી ખેત ઉત્પાદનો સહિત બાર જેટલા ક્ષેત્રોમાં શરતોને આધીન છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. જે અનુસંધાને પાટણ જિલ્લાના સાત મંડી બજારોમાં ઘઉંની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. પાટણ નવાગંજ બજારના મુખ્ય દ્વારમાંથી અંદર આવતા તમામ વેપારીઓ અને ખેડૂતોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. ખેડૂત ભવનની સામેના કોમન પ્લોટમાં વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઘઉંની હરાજીમાં ભાગ લીધો હતો. ખેડૂતો પોતાના વાહનોમાં ઘઉં લઈ આવ્યા હતા. જ્યાં વેપારીઓએ ખરીદી કરવા ઘઉંની હરાજી કરી હતી. હરાજીમાં ઘઉંના મણ દીઠ રૂ.320 થી 380 ભાવ બોલાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંની ખરીદી અને વેચાણ શરૂ કરાયું
પાટણ નવાગંજ માર્કેટયાર્ડમાં સરકારની શરતોને આધીન ઘઉંની ખરીદી અને વેચાણ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. લાંબા સમય બાદ માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજી શરૂ થતાં અને પોષણક્ષમ ભાવ નહીં મળવાને કારણે તેમજ હરાજીની પદ્ધતિને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.
પાટણ: કોરોના વાઈરસ સંક્રમણને અટકાવવા 3 મેં સુધી સરકારે લોકડાઉન લંબાવ્યું છે. બીજી તરફ સરકારે 20 એપ્રિલથી ખેત ઉત્પાદનો સહિત બાર જેટલા ક્ષેત્રોમાં શરતોને આધીન છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. જે અનુસંધાને પાટણ જિલ્લાના સાત મંડી બજારોમાં ઘઉંની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. પાટણ નવાગંજ બજારના મુખ્ય દ્વારમાંથી અંદર આવતા તમામ વેપારીઓ અને ખેડૂતોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. ખેડૂત ભવનની સામેના કોમન પ્લોટમાં વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઘઉંની હરાજીમાં ભાગ લીધો હતો. ખેડૂતો પોતાના વાહનોમાં ઘઉં લઈ આવ્યા હતા. જ્યાં વેપારીઓએ ખરીદી કરવા ઘઉંની હરાજી કરી હતી. હરાજીમાં ઘઉંના મણ દીઠ રૂ.320 થી 380 ભાવ બોલાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી.