ETV Bharat / state

Patan Crime: પાટણના કુરેજા કેનાલમાંથી મળી આવ્યો વિદ્યાર્થીનો મૃતદેહ, મોતનું કારણ અંકબંધ - Patan crime

હારીજ નજીક પસાર થતી કુરેજા કેનાલમાં આજે સવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ હારીજના માલસુંદ ગામના રહેવાસી અને પીલુવાડા માધ્યમિક શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતા 14 વર્ષીય ચંદ્રેશ પરમારનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણના કુરેજા કેનાલમાંથી મળી આવ્યો વિદ્યાર્થીનો મૃતદેહ, મોતનું કારણ અંકબંધ
પાટણના કુરેજા કેનાલમાંથી મળી આવ્યો વિદ્યાર્થીનો મૃતદેહ, મોતનું કારણ અંકબંધ
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 1:05 PM IST

પાટણના કુરેજા કેનાલમાંથી મળી આવ્યો વિદ્યાર્થીનો મૃતદેહ, મોતનું કારણ અંકબંધ

પાટણ: આત્મહત્યાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં કોઈ બીજા કારણોસર કોઈનું મોત થઈ જાય તો પણ આજના સમયમાં એવું લાગે છે કે આત્મહત્યા કરી હોય શકે. પાટણમાં એક બનાવ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે કે હત્યા તે કહેવું મુશ્કેલ છે. પાટણ જિલ્લાના હારીજ નજીકથી પસાર થતી કુરેજા કેનાલમાં આજે સવારના હારીજની પીલુવાડા શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતા ચંદ્રેશ પરમાર નામના વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.



"યુવક કેનાલમાં પડ્યો હોવાની જાણ થતા હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તરવૈયાઓ દ્વારા મૃતકને બહાર કઢાવી તેનો પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી કેનાલમાં મોં ધોવા ગયો હોય અને પગ લપસતા પડી જઈ પાણીમાં ડૂબ્યો હોવાનું જણાઈ રહ્યું છે.--" કે.પટેલ (પી.આઈ.આર)

પરિવારમાં માતમ છવાયો: આ વિદ્યાર્થી પોતાના ઘરેથી સવારે શાળાએ જવાનું કહીને નીકળ્યો હતો. તેના પિતા વાલાભાઈ પરમારના જણાવ્યા મુજબ ચંદ્રેશ પરમાર ધોરણ 9 માં પીલુવાડાની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હતો. તેને શા માટે આપઘાત કર્યો હશે. આ અંગે વાલાભાઈ પરમારે હારીજ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં માતમ છવાયો હતો.

સાચી હકીકત બહાર આવશે: આ મામલે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આ વિદ્યાર્થીનું શાળાનું દફતર,ચપ્પલ અને સાયકલ કેનલ નજીક પડ્યા હતા. વિદ્યાર્થી કેનાલમાં પગ ધોવા કે મોઢું ધોવા ઉતર્યો હોય અને પગ લપસી પડતા તે ડૂબ્યો હોય જેના કારણે તેનું મોત થયું હશે તેવું પણ ચર્ચા રહ્યું છે. જોકે આ મામલે પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.

  1. Jamnagar Crime: જામનગરમાં ધોળા દિવસે યુવકની છરીના ધા ઝીકી ઘાતકી હત્યા
  2. Surat Crime News : બિહારના યુવકના ટુકડા કરી ફેંકી દેનાર દંપત્તિ સાત વર્ષે ઝડપાયા, જાણો સમગ્ર મામલો

પાટણના કુરેજા કેનાલમાંથી મળી આવ્યો વિદ્યાર્થીનો મૃતદેહ, મોતનું કારણ અંકબંધ

પાટણ: આત્મહત્યાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં કોઈ બીજા કારણોસર કોઈનું મોત થઈ જાય તો પણ આજના સમયમાં એવું લાગે છે કે આત્મહત્યા કરી હોય શકે. પાટણમાં એક બનાવ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે કે હત્યા તે કહેવું મુશ્કેલ છે. પાટણ જિલ્લાના હારીજ નજીકથી પસાર થતી કુરેજા કેનાલમાં આજે સવારના હારીજની પીલુવાડા શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતા ચંદ્રેશ પરમાર નામના વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.



"યુવક કેનાલમાં પડ્યો હોવાની જાણ થતા હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તરવૈયાઓ દ્વારા મૃતકને બહાર કઢાવી તેનો પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી કેનાલમાં મોં ધોવા ગયો હોય અને પગ લપસતા પડી જઈ પાણીમાં ડૂબ્યો હોવાનું જણાઈ રહ્યું છે.--" કે.પટેલ (પી.આઈ.આર)

પરિવારમાં માતમ છવાયો: આ વિદ્યાર્થી પોતાના ઘરેથી સવારે શાળાએ જવાનું કહીને નીકળ્યો હતો. તેના પિતા વાલાભાઈ પરમારના જણાવ્યા મુજબ ચંદ્રેશ પરમાર ધોરણ 9 માં પીલુવાડાની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હતો. તેને શા માટે આપઘાત કર્યો હશે. આ અંગે વાલાભાઈ પરમારે હારીજ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં માતમ છવાયો હતો.

સાચી હકીકત બહાર આવશે: આ મામલે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આ વિદ્યાર્થીનું શાળાનું દફતર,ચપ્પલ અને સાયકલ કેનલ નજીક પડ્યા હતા. વિદ્યાર્થી કેનાલમાં પગ ધોવા કે મોઢું ધોવા ઉતર્યો હોય અને પગ લપસી પડતા તે ડૂબ્યો હોય જેના કારણે તેનું મોત થયું હશે તેવું પણ ચર્ચા રહ્યું છે. જોકે આ મામલે પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.

  1. Jamnagar Crime: જામનગરમાં ધોળા દિવસે યુવકની છરીના ધા ઝીકી ઘાતકી હત્યા
  2. Surat Crime News : બિહારના યુવકના ટુકડા કરી ફેંકી દેનાર દંપત્તિ સાત વર્ષે ઝડપાયા, જાણો સમગ્ર મામલો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.