ETV Bharat / state

પાટણના બિલ્ડર ગોરધનભાઈ ઠકકરનો અનોખો સેવા યજ્ઞ - પાટણનાં જાણીતા બિલ્ડર ગોરધનભાઈ ઠકકર

પાટણ: જિલ્લાના જાણીતા બિલ્ડર ગોરધનભાઈ ઠકકર છેલ્લા બાર વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચાલાવી રહ્યા છે. જેમાં તેઓ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકોને શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક જગ્યાએ એકત્ર કરી જાતે નવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી તેની માવજત કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરે છે.

પાટણ
author img

By

Published : Oct 25, 2019, 11:40 PM IST

દિવાળીનાં પાવન પર્વનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ધનતેરસનાં દિવસે દરેક વ્યક્તિ મહાલક્ષ્મી માતાની પૂજા કરી સોના ચાંદીનાં અલંકારો, રોકડ રૂપિયાની પૂજા કરે છે અને તેમની કૃપા પોતાના ઘર પર સદાય બની રહે તેવી પ્રાર્થના કરે છે, ત્યારે પાટણમાં છેલ્લા અગિયાર વર્ષથી ધનતેરસનાં દિવસે એક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે જેની શરૂઆત પાટણનાં જાણીતાં બિલ્ડર અને 'બેબા શેઠ'ના હુલામણા નામથી જાણીતા ગોરધનભાઈ ઠકકર દ્વારા કરવામાં આવી હતી અને હજુ પણ આ સેવા યજ્ઞ ધનતેરસનાં દિવસે ચાલે છે.

પાટણનાં બિલ્ડર ગોરધનભાઈ ઠકકરનો અનોખો સેવા યજ્ઞ

ધનતેરસનાં દિવસે બિલ્ડર ગોરધનભાઇ ઠક્કર ધનની પૂજા કરતા નથી પણ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકોને શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી એક જગ્યાએ એકત્ર કરી તેમને જાતે નવડાવી તેની માવજત કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરે છે. દરિદ્રનારાયણમાં જ લક્ષ્મીનારાયણ વસેલા છે તે કહેવતને ગોરધનભાઇ ઠકકરે સાર્થક કરી છે.

દિવાળીનાં પાવન પર્વનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ધનતેરસનાં દિવસે દરેક વ્યક્તિ મહાલક્ષ્મી માતાની પૂજા કરી સોના ચાંદીનાં અલંકારો, રોકડ રૂપિયાની પૂજા કરે છે અને તેમની કૃપા પોતાના ઘર પર સદાય બની રહે તેવી પ્રાર્થના કરે છે, ત્યારે પાટણમાં છેલ્લા અગિયાર વર્ષથી ધનતેરસનાં દિવસે એક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે જેની શરૂઆત પાટણનાં જાણીતાં બિલ્ડર અને 'બેબા શેઠ'ના હુલામણા નામથી જાણીતા ગોરધનભાઈ ઠકકર દ્વારા કરવામાં આવી હતી અને હજુ પણ આ સેવા યજ્ઞ ધનતેરસનાં દિવસે ચાલે છે.

પાટણનાં બિલ્ડર ગોરધનભાઈ ઠકકરનો અનોખો સેવા યજ્ઞ

ધનતેરસનાં દિવસે બિલ્ડર ગોરધનભાઇ ઠક્કર ધનની પૂજા કરતા નથી પણ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકોને શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી એક જગ્યાએ એકત્ર કરી તેમને જાતે નવડાવી તેની માવજત કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરે છે. દરિદ્રનારાયણમાં જ લક્ષ્મીનારાયણ વસેલા છે તે કહેવતને ગોરધનભાઇ ઠકકરે સાર્થક કરી છે.

Intro:સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન

પ્રકાશ ના પર્વ દિવાળી ને દરેક લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.સમાજ થી તરછોડાયેલ લોકો માટે દરેક તહેવાર એક સમાન હોય છે ત્યારે આવા લોકો માટે પાટણ મા છેલ્લા બાર વર્ષથી સેવા યજ્ઞ જાણીતા બિલ્ડર દ્વારા કરવામાં આવે છે જેમાં ભીક્સુકો ને નવરાવી નવા કપડાં પહેરાવી ભોજન આપવામાં આવ્યું હતું.


Body:દિવાળીના પર્વ નો આજથી પ્રારંભ થયો છે ધનતેરસ ના દિવસે દરેક વ્યક્તિ મહાલક્ષ્મી ની પૂજા કરી સોના ચાંદી ના અલંકારો, રોકડ રૂપિયા ની પૂજા કરે છે અને માતા લક્ષ્મી ની કૃપા પોતાના ઘર પર સદાય બની રહે તેવી પ્રાર્થના કરે છે.ત્યારે પાટણ મા છેલ્લા અગિયાર વર્ષથી ધનતેરસ ના દિવસે એક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે જેની શરૂઆત પાટણ ના જાણીતા બિલ્ડર અને બેબા શેઠ ના હુલામણા નામથી જાણીતા ગોરધન ભાઈ ઠકકર દ્વારા કરવામાં આવી હતી અને આજે પણ આ સેવા યજ્ઞ ધનતેરસ ના દિવસે ચાલે છે.ધનતેરસ ના દિવસે તેઓ ધન ની પૂજા કરતા નથી પણ સમાજથી તરછોડાયેલા ગાંડા,ગેલા અને ભીક્સુકો ને શહેર ના વિવિધ વિસ્તારોમાંથી એક જગ્યા એ એકત્ર કરી ગોરધનભાઇ ઠકકર તેઓ જાતે નવરાવી સ્વચ્છ કપડાં પહેરાવી તેઓના નખ અને વાળ કાપી ભોજન કરાવી ખરા અર્થમાં ધનતેરસ ની ઉજવણી કરે છે.



Conclusion:આ સેવા યજ્ઞ ની પ્રેરણા અગિયાર વર્ષ પહેલાં ગુજરાત ના મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલ ની દીકરી અનાર બેન દ્વારા મળી હોવાનું જણાવ્યું હતું ને ત્યાર થી આ સેવા યજ્ઞ ની શરૂઆત કરી છે તેમની આ સેવા પ્રવૃત્તિ મા તેમના મિત્રો પણ સહભાગી બન્યા છે. દરિદ્રનારાયણ મા જ લક્ષ્મી નારાયણ વસેલા છે તે કહેવત ને ગોરધનભાઇ ઠકકરે સાર્થક કરી છે

વન ટુ વન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.