Murder Crime case in Patan : સીધાડા નજીક વ્યંઢળની હત્યા કે આત્મહત્યાનું રહસ્ય, પિતાએ ચીંધી શંકાની આંગળી - સાંતલપુર પોલીસ તપાસ
પાટણના સાંતલપુરમાં પ્રથમવાર વ્યંઢળના આત્મહત્યા કે હત્યાનો કિસ્સો (Murder Crime case in Patan) ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. વ્યંઢળને તેના સાથીઓ જોડે માથાકૂટ થઇ હોઇ કેટલાક લોકો સામે મૃતકના પિતાએ શંકાની (Murder or suicide of a eunuch) આંગળી ચીધી હતી.
![Murder Crime case in Patan : સીધાડા નજીક વ્યંઢળની હત્યા કે આત્મહત્યાનું રહસ્ય, પિતાએ ચીંધી શંકાની આંગળી Murder Crime case in Patan : સીધાડા નજીક વ્યંઢળની હત્યા કે આત્મહત્યાનું રહસ્ય, પિતાએ ચીંધી શંકાની આંગળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15709798-thumbnail-3x2-crime.jpg?imwidth=3840)
પાટણ - પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામના મંડળની જ્વલનશીલ પ્રવાહીથી દાઝી ગયેલો મૃતદેહ (Murder Crime case in Patan)સિદ્ધાર્થ નજીક આવેલ વિરાત્રા હોટલના ગ્રાઉન્ડની ઓરડીમાંથી મળી આવ્યો હતો. મૃતક વ્યંઢળ છે અને તેણે આત્મહત્યા કરી છે કે પછી તેના સાથી મિત્રોએ હત્યા કરી છે (Murder or suicide of a eunuch) જેને લઇ ભારે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. મૃતકના પિતાએ નવ શખ્સો સામે હત્યાની શંકા વ્યક્ત કરી સાંતલપુર પોલીસ મથકે અરજી આપતાં હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ (Santalpur Police Investigation) હાથ ધરવામાં આવી હતી.
![સળગેલી હાલતમાં મળી હતી કિન્નરની ડેડબોડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15709798_2.jpg)
આ પણ વાંચોઃ ડીસામાં નકલી વ્યંઢળ ઝડપાતાં અસલી વ્યંઢળોનો રોષ ભભૂકી ઉઠ્યો, કર્યું આવું કામ
સીધાડામાં સળગેલી હાલતમાં કિન્નરનો મૃતદેહ - સાંતલપુર તાલુકાના લોદરા ગામનો શ્રવણભાઈ લીલાભાઈ રાવળ છેલ્લા દોઢ વર્ષથી વ્યંઢળ બની વ્યંઢળો સાથે જ હરતો ફરતો હતો. દિવસ દરમિયાન બહાર ફરી સાંજે ઘરે પરત આવતો હતો. ગત તારીખ 23/ 6/ 2022 રોજ સાંજના ચાર કલાકે ઘરેથી બહાર ગયા બાદ પરત ફર્યો ન હતો. તારીખ 24 જૂને વહેલી સવારે લીલાભાઈના મોબાઈલ પર ફોન આવતા પિતાએ તે નંબર ઉપર ફોન કરતા જાણવા મળ્યું હતું કે શ્રવણ સીધાડા નજીકની વિરાત્રા હોટલના ગ્રાઉન્ડમાં આવેલી ઓરડીમાં સળગી ગયો છે તેના મૃતદેહને (Murder Crime case in Patan)પોલીસ સાંતલપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (Postmortem at Santalpur Government Hospital) માટે લઇ ગયેલા છે.
![વ્યંઢળને તેના સાથીઓ જોડે માથાકૂટ થઇ હતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15709798_3.jpg)
આ પણ વાંચોઃ લો બોલો...! કરનાળીના કુબેર ભંડારી મંદિરમાં નકલી વ્યંઢળો નાણાં ઉઘરાવતા ઝડપાયા
ત્રણ કિન્નરો સામે શંકાની આંગળી -આ સમાચાર સાંભળી વ્યંઢળ શ્રવણના પરિવારજનો સાંતલપુર દોડી ગયા હતાં. જ્યાં તેના પિતાએ મૃતદેહની (Murder Crime case in Patan)ઓળખ કરી હતી અને શ્રવણની હત્યા કરાઈ હોવાની શંકા (Murder or suicide of a eunuch) વ્યક્ત કરી સેધો ઉર્ફે સાધના માસી, પ્રવીણ ઉર્ફે ચાંદની માસી રહે.ઉદરગઢ,કાળિયો ભીલ રહે.દહીસર ,વિષ્ણુ રાવળ રહે.કામલપુર, ઈરફાન રહે. સીધાડા, સાધનામાસી, સહિત અન્ય ત્રણ સામે સાંતલપુર પોલીસને અરજી આપી હતી. જેમાં બે દિવસ અગાઉ શ્રવણને આ સાથી મિત્રો સાથે માથાકૂટ થઇ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
![પાટણ પોલીસની રહસ્ય ઉકેલવા તટસ્થ તપાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15709798_1.jpg)
પાટણ જિલ્લામાં વ્યંઢળની આત્મહત્યા કે હત્યાનો આ પ્રથમ બનાવ હોઇ ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને અનેક શંકા-કુશંકાઓ (Murder or suicide of a eunuch) સેવાઇ રહી છે. ત્યારે પોલીસ તટસ્થ બની તપાસ (Santalpur Police Investigation) કરે તો સત્ય બહાર આવે.