પાટણઃ રાધનપુર નગરમાં આવેલ શાંતિધામ સામે પાણી પુરવઠા વિભાગ દ્વારા વોટર ટ્રીટમેન્ટ યોજનાની( Water Treatment Scheme)કામગીરી કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. રોડની બાજુમાં ઝૂપડા બાંધીને રહેતા ગરીબ પરિવારના ઝુંપડા પર દિવાલ ધરાશાય (Wall collapsed in Radhanpur town )થાત બે લોકો દટાયા હતા. આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ કાટમાળમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા.
આ પણ વાંચોઃ મોરબીની દર્દનાક ઘટના મામલે વિધાનસભા અધ્યક્ષ હળવદ દોડી આવ્યા
બે શ્રમજીવીઓ દટાયા - રાધનપુર સાતુન માર્ગ પર આવેલ શાંતિધામ સામે પાણી પુરવઠા વિભાગની વોટર ટ્રીટમેન્ટ યોજના તળે કામ કરતા કોન્ટ્રાકટરની કામગીરીને લઇને અનેકો વખત વિવાદ સર્જાયા છે. આ કામગીરી દરમિયાન સ્થળ પર કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં માટી નાખવામાં(Negligence of Contractor in Radhanpur) આવેલ છે. ચોમાસામાં પડેલ વરસાદને કારણે માટી પલળતા રોડ સાઈડની બાજુમાં ઝુંપડા બાંધી રહેતા ગરીબ પરિવારના ઝુંપડા ઉપર દિવાલ પડતા સુતેલા બે લોકો દટાયા હતા. દિવાલ ધરાસાય થતા બે લોકો નીચે દટાયાની જાણ થતા આજુબાજુ માંથી લોકો દોડી આવી કાટમાળ ખસેડી બાબુ પાંચા તથા ભોપાને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમા બાબુને ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરામાં પાવડર કોટિંગની કંપનીમાં થયો બ્લાસ્ટ, 1 કિમી સુધી અસર વર્તાઇ
લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો - કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કરવામાં આવતી કામગીરીને લઈને વિસ્તારના લોકોએ પાણી પુરવઠા અધિકારી સમક્ષ અગાઉ રજૂઆતો કરી હતી. પરંતુ અધિકારી દ્વારા કોઈજ ધ્યાન આપવામાં આવેલ નથી જેને લઈને અમારા જેવા ગરીબ પરિવારોને વેચવાનો વારો આવ્યો હોવાનું ભવાભાઈ એ જણાવ્યું હતું. રોડની બાજુમાં લોકો ગેરકાયદેસર વસવાટ કરે છે તેવી વાત આગળ ધરીને પાણી પુરવઠા અધિકારી દેસાઈએ કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો હતો. ગરીબ પરિવારના ઝુંપડા પર દિવાલ ધરાશાય થયાના કલાકો બાદ પણ જવાબદાર અધિકારીઓએ સ્થળ પર તપાસ કરવાની તસ્દી પણ લીધી ન હતી જેને લઇને અહી વસવાટ કરતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.