ETV Bharat / state

ગોધરા ખાતે સૈનિક સંગઠનની બેઠક યોજાઈ - latest news updates of Godhara

પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે સમાજની વાડીમા ગુજરાત સૈનિક સંગઠનની બેઠક મળી હતી. જેમાં પંચમહાલ, દાહોદ મહીસાગર જિલ્લામાંથી આવેલા સૈનિકો તેમજ શહીદ સૈનિકોની વિધવાઓ હાજર રહી હતી. પોતાની ૧૪ જેટલી માંગણીઓની માગને બુલંદ કરી હતી.

ગોધરા ખાતે સૈનિક સંગઠનની બેઠક યોજાઈ
author img

By

Published : Sep 22, 2019, 8:34 PM IST

ગુજરાતના સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રકુમાર નિમાવતની અધ્યક્ષતામાં ગુજરાત સૈનિક સંગઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ શહીદ થયેલા સૈનિકોની વિધવા પત્નીઓ હાજર રહી હતી. માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રમુખ જીતેન્દ્ર નિમાવતનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગાનની શરૂઆત કરીને મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત હોદ્દેદારોએ પોતાની માગને મજબૂત કરવા માજી સૈનિકોને આહવાન કર્યુ હતું.

ગોધરા ખાતે સૈનિક સંગઠનની બેઠક યોજાઈ

સૈનિકોની માંગણીના 14 મુદ્દાઓ જેવા કે સરકારી સેવામાં માજી સૈનિકને પાંચ વર્ષની ફિક્સ પગાર નાબુદ, સૈનિકોને નિયમ અનુસાર અનામતનો લાભ, સરકારની નોકરી મળે ત્યારે પરિવારને સ્થાયી રહેઠાણની જગ્યા, શહિદ સૈનિક પરિવારના સભ્યોને સરકારી નોકરી અને રાજ્ય સરકાર દ્વારા પેન્શન, જીવનનિર્વાહ માટે સરકારી જમીનમાં ખેતી કરવા માટે તેમજ રહેણાંક હેતુ પ્લોટ આપવામાં આવે પરંતુ, હાલ તેનો ગુજરાત સરકારમાં અમલ થતો નથી. તેના પરિપત્ર અનુસાર જોગવાઈ કરવામાં આવે, સૈનિકોના સંતાનના અભ્યાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે, ગુજરાત સરકાર દ્રારા લેવાતો વ્યવસાય વેરો માફ કરવામાં આવે, ગુજરાતના સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા વગેરે માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારી માગ સરકાર દ્વારા પૂરી નહીં પાડવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

ગુજરાતના સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રકુમાર નિમાવતની અધ્યક્ષતામાં ગુજરાત સૈનિક સંગઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ શહીદ થયેલા સૈનિકોની વિધવા પત્નીઓ હાજર રહી હતી. માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રમુખ જીતેન્દ્ર નિમાવતનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગાનની શરૂઆત કરીને મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત હોદ્દેદારોએ પોતાની માગને મજબૂત કરવા માજી સૈનિકોને આહવાન કર્યુ હતું.

ગોધરા ખાતે સૈનિક સંગઠનની બેઠક યોજાઈ

સૈનિકોની માંગણીના 14 મુદ્દાઓ જેવા કે સરકારી સેવામાં માજી સૈનિકને પાંચ વર્ષની ફિક્સ પગાર નાબુદ, સૈનિકોને નિયમ અનુસાર અનામતનો લાભ, સરકારની નોકરી મળે ત્યારે પરિવારને સ્થાયી રહેઠાણની જગ્યા, શહિદ સૈનિક પરિવારના સભ્યોને સરકારી નોકરી અને રાજ્ય સરકાર દ્વારા પેન્શન, જીવનનિર્વાહ માટે સરકારી જમીનમાં ખેતી કરવા માટે તેમજ રહેણાંક હેતુ પ્લોટ આપવામાં આવે પરંતુ, હાલ તેનો ગુજરાત સરકારમાં અમલ થતો નથી. તેના પરિપત્ર અનુસાર જોગવાઈ કરવામાં આવે, સૈનિકોના સંતાનના અભ્યાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે, ગુજરાત સરકાર દ્રારા લેવાતો વ્યવસાય વેરો માફ કરવામાં આવે, ગુજરાતના સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા વગેરે માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારી માગ સરકાર દ્વારા પૂરી નહીં પાડવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Intro:પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સમાજની વાડી ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠનની બેઠક મળી હતી. જેમાં પંચમહાલ, દાહોદ મહીસાગર જિલ્લા માંથી આવેલા માજી સૈનિકો તેમજ શહીદ સૈનિકોની વિધવાઓ હાજર રહી હતી અને પોતાની ૧૪ જેટલી માગણીઓની માંગને બુલંદ કરી હતી.


Body:ગુજરાતના માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રકુમાર નિમાવતની અધ્યક્ષતામાં આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ શહીદ થયેલા સૈનિકોની વિધવા પત્નીઓ હાજર રહી હતી. માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રમુખ જીતેન્દ્ર નિમાવત નું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગાન ની શરૂઆત કરીને મીટીંગ ની શરૂઆત કરવામાં આવી. ઉપસ્થિત હોદ્દેદારોએ પોતાની માંગને મજબૂત કરવા માજી સૈનિકો ને આવાહન કર્યુ હતું.

જેમાં માજી સૈનિકોની માગણીના 14 મુદ્દાઓ જેવા કે સરકારી સેવામાં માજી સૈનિક ને પાંચ વર્ષની ફિક્સ પગાર નાબુદ કરવામાં આવે , માજી સૈનિકોને નિયમ અનુસાર અનામતનો લાભ આપવામાં આવે,સરકારની નોકરી મળે ત્યારે પરિવારને સ્થાયી રહેઠાણની જગ્યા આપવામાં આવે,શહિદ સૈનિક પરિવારના સભ્યોને સરકારી નોકરી અને રાજ્ય સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે,જીવનનિર્વાહ માટે સરકારી જમીન ખેતી કરવા માટે તેમજ રહેણાંક હેતુ પ્લોટ આપવામાં આવે પરંતુ હાલ તેનો ગુજરાત સરકારમાં અમલ થતો નથી અને તેનો પરિપત્ર અનુસાર જોગવાઈ કરવામાં આવે,માજી સૈનિકોના સંતાન અભ્યાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે,ગુજરાત સરકાર દ્રારા લેવાતો વ્યવસાય વેરો માફ કરવામાં આવે,ગુજરાત ના સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા કરવામાં આવે, વગેરે માગણીઓની ચર્ચા કરવામાં આવી હતી.સાથે એવી પણ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો અમારી માંગ સરકાર દ્વારા પૂરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.


Conclusion:બાઇટ : જીતેન્દ્ર ભાઈ નિમાવત (પ્રમુખ)

ગુજરાત માજી સૈનિક સંગઠન

સ્ટોરી ડે પ્લાન પાસ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.