ETV Bharat / state

અનાજ કૌભાંડઃ વધુ 1600 બોરીની ઘટ્ટ સાથે રૂપિયા 30 લાખનું કૌભાંડ બહાર - Farmers

પંચમહાલ: કાલોલ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી અંદાજિત 16 હજાર જેટલી રૂપિયા 1.56 કરોડની અનાજની બોરીઓ ગુમ થવાના મામલે થોડા સમય પહેલા જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગરીબોના પેટનો કોળિયો કાઢી વેચી ખાનારા 9 જેટલા ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં રૂપિયા 3 કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે બીજી 1600 જેટલી બોરીઓની પણ ઘટ્ટ સામે આવી છે અને બીજા 3 કરોડ ઉપરાંત 30 લાખનું કૌભાંડ સામે આવ્યું છે .

અનાજ કૌભાંડ મામલો
author img

By

Published : May 29, 2019, 8:48 PM IST

ગાંધીનગરની વિજિલન્સ ટીમ દ્વારા કાલોલના સરકારી અનાજના ગોડાઉનનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કરોડોનું અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઘઉંની 16 હજાર,ચોખાની 2500 જેટલી બોરી મળી અંદાજિત રૂપિયા 1.56 કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવતા આ સમગ્ર મામલે મોડા મોડા પણ જિલ્લા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું. ભારે રાજકીય પીઠબળ ધરાવતા એવા બેલદાર બંધુઓ સહીત ભૂતકાળમાં કાલોલ ખાતે ફરજ બજાવી ચૂકેલા મેનેજરો તેમજ ઓડિટરો સહીત 9 ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ આ સમગ્ર કૌભાંડના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગોધરાના નાયબ જિલ્લા મેનેજર દ્વારા જે ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવાઇ હતી. તે મુજબ કૌભાંડનો આંકડો રૂપિયા 3 કરોડને પણ વટાવી ચુક્યો છે.

અનાજ કૌભાંડ મામલો

આ ફરિયાદ મુજબ રૂપિયા 2 કરોડ 73 લાખ 30 હજારની કિંમતની ઘઉંની 14853 બોરી અને રૂપિયા 7028000ની કિંમતની ચોખાની 2699 બોરી તેમજ રૂપિયા 72000ની કિંમતની 18 બોરી તથા કપાસિયા તેલના 3 ટીન જેની કિંમત 7692 રૂપિયા થાય છે. જે મળી કુલ રૂપિયા 3 કરોડ 44 લાખ 39 હજાર 345 રૂપિયાનો જથ્થો બારોબાર સગે-વગે કરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી.

કાલોલ ગોડાઉન મેનેજર તેમજ લેબર કોન્ટ્રાકટર સુનિલ બેલદાર અને તેના ભાઈ મહેન્દ્ર બેલદાર સહિતના કુલ 9 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કુલ મળી કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ સહીત 9 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના પગલે હવે કાલોલ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જો તટસ્થ તપાસ થાય તો આ અનાજ કૌભાંડમાં કેટલાય રાજકીય નામો સામે આવવાની શક્યતાઓ છે. જો કે પોલીસે સમગ્ર મામલે છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરની વિજિલન્સ ટીમ દ્વારા કાલોલના સરકારી અનાજના ગોડાઉનનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કરોડોનું અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઘઉંની 16 હજાર,ચોખાની 2500 જેટલી બોરી મળી અંદાજિત રૂપિયા 1.56 કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવતા આ સમગ્ર મામલે મોડા મોડા પણ જિલ્લા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું. ભારે રાજકીય પીઠબળ ધરાવતા એવા બેલદાર બંધુઓ સહીત ભૂતકાળમાં કાલોલ ખાતે ફરજ બજાવી ચૂકેલા મેનેજરો તેમજ ઓડિટરો સહીત 9 ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ આ સમગ્ર કૌભાંડના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગોધરાના નાયબ જિલ્લા મેનેજર દ્વારા જે ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવાઇ હતી. તે મુજબ કૌભાંડનો આંકડો રૂપિયા 3 કરોડને પણ વટાવી ચુક્યો છે.

અનાજ કૌભાંડ મામલો

આ ફરિયાદ મુજબ રૂપિયા 2 કરોડ 73 લાખ 30 હજારની કિંમતની ઘઉંની 14853 બોરી અને રૂપિયા 7028000ની કિંમતની ચોખાની 2699 બોરી તેમજ રૂપિયા 72000ની કિંમતની 18 બોરી તથા કપાસિયા તેલના 3 ટીન જેની કિંમત 7692 રૂપિયા થાય છે. જે મળી કુલ રૂપિયા 3 કરોડ 44 લાખ 39 હજાર 345 રૂપિયાનો જથ્થો બારોબાર સગે-વગે કરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી.

કાલોલ ગોડાઉન મેનેજર તેમજ લેબર કોન્ટ્રાકટર સુનિલ બેલદાર અને તેના ભાઈ મહેન્દ્ર બેલદાર સહિતના કુલ 9 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કુલ મળી કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ સહીત 9 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના પગલે હવે કાલોલ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જો તટસ્થ તપાસ થાય તો આ અનાજ કૌભાંડમાં કેટલાય રાજકીય નામો સામે આવવાની શક્યતાઓ છે. જો કે પોલીસે સમગ્ર મામલે છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ ના કાલોલ ખાતે આવેલા સરકારી અનાજ ના ગોડાઉન માંથી અંદાજિત 16 હજાર જેટલી રૂપિયા 1.56 કરોડ ની અનાજ ની બોરીઓ ગુમ થવા ના મામલે થોડા સમય પહેલા જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ગરીબો ના પેટ નો કોળિયો કાઢી વેચી ખાનારા 9 જેટલા ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવા માં આવી છે જેમાં કૌભાંડ નો આંકડો  ને 3 કરોડ થી પણ વધુ રકમ નું કૌભાંડ હોવા નું બહાર આવ્યું હતું ત્યારે બીજી 1600 જેટલી બોરીઓ ની પણ ઘટ સામે આવી છે અને બીજા 3 કરોડ ઉપરાન્ત 30 લાખ નું કૌભાંડ સામે આવ્યું છે .

ગાંધીનગર ની  વિજિલન્સ ટિમ દ્વારા કાલોલ ના સરકારી અનાજ ના ગોડાઉન નું ઓડિટ હાથ ધરવા માં આવ્યું હતું ત્યારે કરોડો નું અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું પ્રાથમિક તપાસ માં ઘઉં ની 16 હજાર,ચોખા ની 2500 જેટલી બોરી મળી અંદાજિત 1.56 કરોડ નું કૌભાંડ હોવા નું બહાર આવતા આ સમગ્ર મામલે મોડા મોડા પણ જિલ્લા પુરવઠા વિભાગ હરકત માં આવ્યું હતું અને ભારે રાજકીય પીઠબળ ધરાવતા એવા બેલદાર બંધુ ઓ સહીત  ભૂતકાળ માં કાલોલ ખાતે ફરઝ બજાવી ચૂકેલા મેનેજરો તેમજ ઓડિટરો સહીત 9 ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ બાદ આ સમગ્ર કૌભાંડ ના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગોધરા ના નાયબ જિલ્લા મેનેજર દ્વારા જે ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવાઇ છે તે મુજબ કૌભાંડ નો આંકડો 3 કરોડ ને પણ વટાવી ચુક્યો છે આ ફરિયાદ મુજબ 

રૂ. 2 કરોડ 73 લાખ 30 હજારની કિંમતની ઘઉંની 14853 બોરી અને રૂ.7028000 ની કિંમતની ચોખાની 2699 બોરી તેમજ રૂપિયા 72000 ની કિંમતની 18 બોરી ખાંતથા કપાસિયા તેલ ના 3 ટીન જેની કિંમત 7692 રૂપિયા થાય છે જે મળી કુલ 3 કરોડ 44 લાખ 39 હજાર 345 રૂપિયા નો જથ્થો બારોબાર સગેવગે કરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી.



કાલોલ ગોડાઉન મેનેજર તેમજ લેબર કોન્ટ્રાકટર સુનિલ બેલદાર અને તેના ભાઈ મહેન્દ્ર બેલદાર સહિતના કુલ 9 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં 

આમ કુલ મળી કાલોલ નગર પાલિકા ના ઉપ પ્રમુખ સહીત 9 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ ના પગલે હવે કાલોલ પોલીસે પણ તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે.જો ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તો આ અનાજ કૌભાંડ માં કેટલાય રાજકીય નામો સામે આવા ની શક્યતા ઓ છે જો કે પોલીસે સમગ્ર મામલે છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.