ETV Bharat / state

ગુજરાતી ફિલ્મ 'રેવા'ના અભિનેતા ચેતન ધાનાણીની ETV Bharat સાથે ખાસ વાતચીત

author img

By

Published : Dec 15, 2019, 11:29 AM IST

પંચમહાલ: ગુજરાતી ફિલ્મોનો હવે સુવર્ણકાળ આવ્યો છે. એક સમયે ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર અને પ્રતિબિંબિત કરતી ફિલ્મોનો સમય હતો. હવે ગુજરાતી ફિલ્મોનો સમય બદલાયો છે. ગત ત્રણ વર્ષથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક પ્રકારની અર્બન ગુજરાતી ફિલ્મો બની રહી છે. દર્શકો તે ફિલ્મોને વખાણી પણ રહ્યા છે. અનેક ફિલ્મોને એવોર્ડ પણ મળી રહ્યા છે. તેમાંની એક ફિલ્મ કે જેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે તે ફિલ્મનું નામ છે 'રેવા'. ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસિ પર આધારિત આ ફિલ્મ દર્શકોએ ઉત્સાહભેર વખાણી હતી. આ ફિલ્મના અભિનેતા ચેતન ધાનાણીએ ગોધરા ખાતે એક યુવા સંમેલનમાં હાજરી આપી હતી, તે વખતે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

etv bharat special talk with Gujarati film 'Reva' actor Chetani Dhanani
ગુજરાતી ફિલ્મ 'રેવા'ના અભિનેતા ચેતન ધાનાણીની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત

ETV BHARAT સાથેની વાતચીતમાં ચેતન ધાનાણીએ જણાવ્યું હતું કે, તેમની પહેલી ફિલ્મ 'રેવા'ને એવોર્ડ મળ્યો છે. જે ખૂબ સારૂં કહેવાય. એવોર્ડના કારણે મને વિશ્વાસ બેસે છે કે, મારૂં કામ યોગ્ય છે.

ગુજરાતી ફિલ્મ 'રેવા'ના અભિનેતા ચેતન ધાનાણીની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત

ઉલ્લેખનીય છે કે, 'રેવા' ફિલ્મમાં ચેતન ધાનાણી ગીતકાર, લેખક અને અભિનેતા પણ છે. એક સાથે ત્રણ કામ કરવા ચેલેન્જ કરતા ઓછું નથી હોતું. આ અંગે ચેતન ધાનાણીએ કહ્યું કે, મને મારા સહ-લેખક અને ડિરેક્ટર રાહુલ તથા વિનીતનો સપોર્ટ મળ્યો. જેથી હું ફિલ્મમાં સારી રીતે મારી ભૂમિકા નિભાવી શક્યો હતો.

સાહિત્ય પરથી ફિલ્મો બનવી જોઈએ કે નહીં? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, એક સમય હતો કે લેખકો પોતાની અભિવ્યક્તિ લખીને સાહિત્ય સર્જન કરતા હતા. જ્યારે હવે વિવિધ પ્રકારના માધ્યમો ઉપલબ્ધ છે. આપણા ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ કક્ષાનું સર્જન થયું છે. મારી ફિલ્મ 'રેવા' પણ ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પર આધારિત છે. સાહિત્ય પરથી ફિલ્મો બનવી જોઈએ. સાહિત્ય પરથી સર્જન થશે તો લોકો પણ તેનો સ્વીકાર કરશે.

યુવાઓને મેસેજ આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યુવાનોઓ પોતાના સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત જોયા વિના પરીશ્રમ કરવો જોઈએ અને પરીશ્રમ કરી ધ્યેય પ્રાપ્ત કરવો જોઈએ.

ETV BHARATના 'નો પ્લાસ્ટિક લાઈફ ફેન્ટાસ્ટિક' કેમ્પેઈનને તેમણે બિરદાવ્યું હતું અને સ્વચ્છતા અંગે જણાવ્યું હતું કે, સ્વચ્છતા હશે તો સારૂં કામ થશે. દેશ સામૂહિક ઘર છે.

પોતાની આવનારી ફિલ્મ અંગે તેમણે જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ કરી દેવામાં આવશે. અને વર્ષના અંતમાં જ ફિલ્મ દર્શકોની વચ્ચે આવી જશે.

ઉલ્લેખનીય છે કે, ચેતન ધાનાણી ગુજરાતી ફિલ્મ 'રેવા'ના મુખ્ય અભિનેતા છે. મૂળ વડોદરામાં રહેતા આ અભિનેતાએ નાટકોથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. મુંબઈ અમદાવાદમાં પણ તેમણે નાટકોના શૉ કર્યા છે.

ETV BHARAT સાથેની વાતચીતમાં ચેતન ધાનાણીએ જણાવ્યું હતું કે, તેમની પહેલી ફિલ્મ 'રેવા'ને એવોર્ડ મળ્યો છે. જે ખૂબ સારૂં કહેવાય. એવોર્ડના કારણે મને વિશ્વાસ બેસે છે કે, મારૂં કામ યોગ્ય છે.

ગુજરાતી ફિલ્મ 'રેવા'ના અભિનેતા ચેતન ધાનાણીની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત

ઉલ્લેખનીય છે કે, 'રેવા' ફિલ્મમાં ચેતન ધાનાણી ગીતકાર, લેખક અને અભિનેતા પણ છે. એક સાથે ત્રણ કામ કરવા ચેલેન્જ કરતા ઓછું નથી હોતું. આ અંગે ચેતન ધાનાણીએ કહ્યું કે, મને મારા સહ-લેખક અને ડિરેક્ટર રાહુલ તથા વિનીતનો સપોર્ટ મળ્યો. જેથી હું ફિલ્મમાં સારી રીતે મારી ભૂમિકા નિભાવી શક્યો હતો.

સાહિત્ય પરથી ફિલ્મો બનવી જોઈએ કે નહીં? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, એક સમય હતો કે લેખકો પોતાની અભિવ્યક્તિ લખીને સાહિત્ય સર્જન કરતા હતા. જ્યારે હવે વિવિધ પ્રકારના માધ્યમો ઉપલબ્ધ છે. આપણા ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ કક્ષાનું સર્જન થયું છે. મારી ફિલ્મ 'રેવા' પણ ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પર આધારિત છે. સાહિત્ય પરથી ફિલ્મો બનવી જોઈએ. સાહિત્ય પરથી સર્જન થશે તો લોકો પણ તેનો સ્વીકાર કરશે.

યુવાઓને મેસેજ આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યુવાનોઓ પોતાના સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત જોયા વિના પરીશ્રમ કરવો જોઈએ અને પરીશ્રમ કરી ધ્યેય પ્રાપ્ત કરવો જોઈએ.

ETV BHARATના 'નો પ્લાસ્ટિક લાઈફ ફેન્ટાસ્ટિક' કેમ્પેઈનને તેમણે બિરદાવ્યું હતું અને સ્વચ્છતા અંગે જણાવ્યું હતું કે, સ્વચ્છતા હશે તો સારૂં કામ થશે. દેશ સામૂહિક ઘર છે.

પોતાની આવનારી ફિલ્મ અંગે તેમણે જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ કરી દેવામાં આવશે. અને વર્ષના અંતમાં જ ફિલ્મ દર્શકોની વચ્ચે આવી જશે.

ઉલ્લેખનીય છે કે, ચેતન ધાનાણી ગુજરાતી ફિલ્મ 'રેવા'ના મુખ્ય અભિનેતા છે. મૂળ વડોદરામાં રહેતા આ અભિનેતાએ નાટકોથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. મુંબઈ અમદાવાદમાં પણ તેમણે નાટકોના શૉ કર્યા છે.

Intro:ગુજરાતી ફિલ્મોનો હવે સુવર્ણકાળ આવ્યો છે એક સમયે ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર અને પ્રતિબિંબિત કરતી ફિલ્મોનો સમય હતો. હવે ગુજરાતી ફિલ્મોનો સમય બદલાયો છે.પાછલા ત્રણ વર્ષથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક પ્રકારની અર્બન ગુજરાતી ફિલ્મો બની રહી છે.દર્શકો તેને વખાણી પણ રહ્યા છે. અને આ ફિલ્મોને એવોર્ડ પણ મળી રહ્યા છે. તેમાંની એક ફિલ્મ કે જેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે તે ફિલ્મનું નામ છે"રેવા"ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસિ પર આધારિત આ ફિલ્મ દર્શકોને ઉત્સાહભેર વખાણી હતી.આ ફિલ્મના અભિનેતા ચેતન ધાનાણીએ ગોધરા ખાતે એક યુવા સંમેલનમાં હાજરી આપી હતી તે વખતે ETV BHARAT ના રિપોર્ટર વિજયસિંહ સોલંકી સાથે ખાસ વાતચીત કરી હતી.





Body:ETV BHARAT સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે
તેમની પહેલી ફિલ્મ "રેવા" ને એવોર્ડ મળ્યો છે.જે ખૂબ જ ગમ્યું છે. તેના કારણે તેમને વિશ્વાસ બેસે છે કે આપણે જે કામ કરી રહ્યા છે તે યોગ્ય છે.આ ફિલ્મમાં પોતે ગીતકાર લેખક અને અભિનેતા પણ છે એક સાથે ત્રણ કામ થોડા ચેલેન્જ હોય છે પરંતુ તેમના સહ-લેખક અને ડિરેક્ટર રાહુલ અને વિનીત ની સાથે રહીને આ ચેલેન્જને તેમને પાર પાડી હતી.


- તેઓ કહે છે કે આ" રેવા" ફિલ્મને લોકોએ બહુ જ વખાણી છે.
સાહિત્ય પરથી ફિલ્મો બનવી જોઈએ કે નહીં? તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે એક સમય હતો કે લેખકો
પોતાની અભિવ્યક્તિ લખીને સાહિત્ય સર્જન કરીને પ્રગટ કરતા હતા. જ્યારે હવે વિવિધ પ્રકારના માધ્યમો હાલમાં ઉપલબ્ધ છે. આપણા ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ કક્ષાનું સર્જન થયું છે.પોતાની ફિલ્મ " રેવા" પણ ધ્રુવ ભટ્ટની નવલકથા" તત્વમસિ" પર આધારિત છે.સાહિત્ય પરથી ફિલ્મો બનવી જોઈએ. સાહિત્ય પરથી સર્જન થશે તો લોકો પણ તેમને સ્વીકારશે એવો પોતાનો મત વ્યક્ત કર્યો હતો.


-યુવાઓને મેસેજ આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ યુવાને પોતાના સપનાને ફોલો કરવા જોઈએ અને તેમને ગમતો ધ્યેય પસંદ કરવો જોઈએ


- ETV BHARAT ના" નો પ્લાસ્ટિક લાઈફ ફેન્ટાસ્ટિક"ના કેમ્પેઈન ને તેમને બિરદાવ્યું હતું અને સ્વચ્છતા ને લઈને તેમને જણાવ્યું હતું કે સ્વચ્છતા હશે તો સારું કામ થશે. દેશ સામૂહિક ઘર છે.મોદીજીની સ્વચ્છતાની ઝુંબેશને તેમને વખાણી હતી


- પોતાની આવનારી આવનારા ફિલ્મોના પ્રોજેક્ટને લઈને જણાવ્યું હતું કે હાલ એક ફિલ્મનું ડિરેક્શન ટીમ તને રાઈટીંગ ટીમમાં તેમણે કામ પૂર્ણ કર્યું છે. અને બીજી એક ફિલ્મ શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ થશે. પોતે તેમાં અભિનય કરી રહ્યા છે. અને વર્ષના અંતમાં આ ફિલ્મ દર્શકોને જોવા મળશે.


Conclusion:નોંધનીય છે કે ચેતન ધાનાણી ગુજરાતી ફિલ્મ "રેવા " ફિલ્મના મુખ્ય અભિનેતા છે.મૂળ વડોદરામાં રહેતા આ અભિનેતાએ નાટકોથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. મુંબઈ અમદાવાદ માં પણ તેમને નાટકોના શૉ કર્યા છે.અને ત્યારબાદ તેમને પહેલી ફિલ્મ "રેવા" કરી હતી.આ ફિલ્મને દર્શકોએ ખૂબ વખાણી હતી અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ આ ફિલ્મને મળ્યો હતો.


સ્ટોરી ડેસ્ક પરથી વિહાર સરના કહેવા પર મોકલી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.