ETV Bharat / state

ગણદેવીના નિવૃત બેન્કકર્મીનો માર સહન કરતી પત્નીએ લાકડાના ફટકા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો - wife murders husband in navsari

ગણદેવીમાં પત્નીને ત્રાસ આપનારા પતિઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધાવસ્થાએ પહોંચેલા પતિએ પત્ની સાથે ઝઘડો થયા બાદ તેને માર માર્યો હતો. પતિના મારથી કંટાળેલી પત્નીએ 40 વર્ષોના દાંપત્ય જીવનને ભુલીને આવેશમાં આવી રાત્રીના સમયે જ્યારે પતિ ભર ઉંઘમાં હતો, ત્યારે તેને મરણતોલ ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ પત્નીએ ગુનો કબૂલી લેતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

ગણદેવીના નિવૃત બેંકકર્મીનો માર સહન કરતી પત્નીએ લાકડાના ફટકા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો
ગણદેવીના નિવૃત બેંકકર્મીનો માર સહન કરતી પત્નીએ લાકડાના ફટકા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો
author img

By

Published : Nov 23, 2020, 1:45 PM IST

  • પતિનો માર સહન કરતી પત્નીએ કંટાળીને પતિની કરી હત્યા
  • હત્યા બાદ પડોશીઓને જાણ થતાં ગણદેવી પોલીસમાં નોંધાવી ફરિયાદ
  • હત્યારી પત્ની રૂકસાના મુઝાવરની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી

નવસારી: પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ જીવનના અંત સુધી હોય છે, પણ ઘણીવાર પત્નીને દાસી સમજતા પતિ તેની સાથે મારઝૂડ કરતા હોય છે. સમાજના ડરથી પતિનો માર પણ સહન કરીને રહેતી મહિલાની ક્યારેક ધીરજ ખૂટી પડે, તો સબંધોનો કરૂણ અંત આવતો હોય છે. આવી જ એક ઘટના નવસારી જિલ્લાના ગણદેવીમાં ઘટી છે. જ્યાં બેન્ક ઓફ બરોડામાંથી નિવૃત થયેલા 62 વર્ષીય ઈમ્તિયાઝ મુંઝાવર અને પત્ની રૂકસાના વચ્ચે કોઈ વાતે વિવાદ થતા રૂકસાનને માર ખાવો પડ્યો હતો. 40 વર્ષોના દાંપત્ય જીવન દરમિયાન સતત પતિનો માર સહન કરતી આવેલી રૂકસાના સાથે શનિવારે રાતે ઈમ્તિયાઝે તકરાર થતાં તેને માર માર્યો હતો. પતિનો માર ખાધા બાદ રૂકસાના તેનાથી અલગ અન્ય બેડરૂમમાં સુવા જતી રહી હતી.

ગણદેવીના નિવૃત બેંકકર્મીનો માર સહન કરતી પત્નીએ લાકડાના ફટકા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો

જે બાદમાં વહેલી સવારે 3 કલાકની આસપાસ પતિના મારથી કંટાળેલી રૂકસાનાએ આવેશમાં આવી ભર ઉંઘમાં પડેલા પતિ ઈમ્તિયાઝના માથામાં લાકડાના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં સવારે રૂકસાનાએ પાડોશી સમક્ષ રાત્રિની ઘટના વર્ણવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મા-બાપની તકરારમાં બાળકો થયા અનાથ

પિતાના મોતને લીધે માતાને જેલ થતા પારિવારિક જીવન વિતાવતા બાળકોએ પોતાના પિતા સાથે માતાને પણ ગુમાવવાનો વારો આવ્યો છે. બદલાયેલા જમાનામાં પતિ-પત્ની સંયમ ગુમાવીને સંબંધોની ગરિમાને ભુલી જતા હોય એવા કિસ્સાઓ સામાન્ય બન્યા છે. આ સાથે જ પત્નીને મારઝૂડ કરતા પતિઓ માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે.

  • પતિનો માર સહન કરતી પત્નીએ કંટાળીને પતિની કરી હત્યા
  • હત્યા બાદ પડોશીઓને જાણ થતાં ગણદેવી પોલીસમાં નોંધાવી ફરિયાદ
  • હત્યારી પત્ની રૂકસાના મુઝાવરની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી

નવસારી: પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ જીવનના અંત સુધી હોય છે, પણ ઘણીવાર પત્નીને દાસી સમજતા પતિ તેની સાથે મારઝૂડ કરતા હોય છે. સમાજના ડરથી પતિનો માર પણ સહન કરીને રહેતી મહિલાની ક્યારેક ધીરજ ખૂટી પડે, તો સબંધોનો કરૂણ અંત આવતો હોય છે. આવી જ એક ઘટના નવસારી જિલ્લાના ગણદેવીમાં ઘટી છે. જ્યાં બેન્ક ઓફ બરોડામાંથી નિવૃત થયેલા 62 વર્ષીય ઈમ્તિયાઝ મુંઝાવર અને પત્ની રૂકસાના વચ્ચે કોઈ વાતે વિવાદ થતા રૂકસાનને માર ખાવો પડ્યો હતો. 40 વર્ષોના દાંપત્ય જીવન દરમિયાન સતત પતિનો માર સહન કરતી આવેલી રૂકસાના સાથે શનિવારે રાતે ઈમ્તિયાઝે તકરાર થતાં તેને માર માર્યો હતો. પતિનો માર ખાધા બાદ રૂકસાના તેનાથી અલગ અન્ય બેડરૂમમાં સુવા જતી રહી હતી.

ગણદેવીના નિવૃત બેંકકર્મીનો માર સહન કરતી પત્નીએ લાકડાના ફટકા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો

જે બાદમાં વહેલી સવારે 3 કલાકની આસપાસ પતિના મારથી કંટાળેલી રૂકસાનાએ આવેશમાં આવી ભર ઉંઘમાં પડેલા પતિ ઈમ્તિયાઝના માથામાં લાકડાના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં સવારે રૂકસાનાએ પાડોશી સમક્ષ રાત્રિની ઘટના વર્ણવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મા-બાપની તકરારમાં બાળકો થયા અનાથ

પિતાના મોતને લીધે માતાને જેલ થતા પારિવારિક જીવન વિતાવતા બાળકોએ પોતાના પિતા સાથે માતાને પણ ગુમાવવાનો વારો આવ્યો છે. બદલાયેલા જમાનામાં પતિ-પત્ની સંયમ ગુમાવીને સંબંધોની ગરિમાને ભુલી જતા હોય એવા કિસ્સાઓ સામાન્ય બન્યા છે. આ સાથે જ પત્નીને મારઝૂડ કરતા પતિઓ માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.