ETV Bharat / state

માહિતીના અભાવે ગોયંદી-ભાઠલા ગામે ઓઈસોલેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું

author img

By

Published : May 8, 2021, 8:32 AM IST

નવસારીના ગણદેવી તાલુકાના ગોયંદી-ભાઠલા ગામમા નવ નિર્મિત બંધ પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં ઓઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેથી ગામના લોકોને કોઈ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે પંરતુ આરોગ્ય વિભાગ પાસે પૂરતી માહિતી ન હોવાના કારણે આ આઈસોલેશ સેન્ટર બંધ કર્યું હતું. ગામના આગેવાનો દ્વારા ધારાસભ્યને આ વિશે જાણ કરતા ફરી એક વાર આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.

corona
માહિતીના અભાવે ગોયંદી-ભાઠલા ગામે ઓઈસોલેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું
  • જિલ્લા વિકાસ અધિકારીએ સબ સેન્ટરમાં શરૂ થતું આઇસોલેશન સેન્ટર કરાવ્યુ હતું બંધ
  • આરોગ્ય વિભાગે સબ સેન્ટરમાંથી સમાન બહાર કાઢી માર્યા હતા તાળા
  • આગેવાનોએ ભાજપી આગેવાનોને રજૂઆત કરી, ફરી આઇસોલેશન સેન્ટર શરૂ કર્યુ

નવસારી : જિલ્લામાં શહેરો સાથે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેની સાથે મૃત્યુનો આંકડો પણ વધ્યો છે. હાલમાં તમામ લોકો કોરોનાને વધતો અટકાવવા પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રકરણમાં ગામડાઓમાં આઇસોલેશન વોર્ડ મહત્ત્વની કડી સાબિત થઇ શકે છે, પરંતુ ગણદેવીના ગોયંદી-ભાઠલા ગામે નવનિર્મિત આરોગ્ય સબસેન્ટરમાં શરૂ કરવામાં આવેલા 10 બેડના આઇસોલેશન સેન્ટરને શરૂ થાય એ પૂર્વે ડીડીઓના આદેશથી બંધ કરાવી દેવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. બાદમાં નવસારીના સાંસદની મધ્યસ્થીથી ફરી આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે.

માહિતીના અભાવે ગોયંદી-ભાઠલા ગામે ઓઈસોલેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું
સીમાના 10 ગામડાઓને મળશે આઇસોલેશન સેન્ટરનો લાભ નવસારી જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં પણ જિલ્લાના સીમાના વિસ્તારના ગામડાઓ શહેરથી દૂર હોવાને કારણે કોરોના દર્દીને સમયસર સારવાર ન મળતાં જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. નવસારીના ગણદેવી તાલુકાના ગોયંદી-ભાઠલા ગામે બંધ પડેલ નવનિર્મિત આરોગ્ય સેન્ટર પર ગામના આગેવાનો દ્વારા ગણદેવીના ધારાસભ્યના સહયોગથી 10 બેડનુ આઇસોલેશન સેન્ટર શરૂ કરવાના પ્રયાસો થયા હતા. જેની જાણ થતા નવસારી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીખ દ્વારા સબ સેન્ટરમાં શરૂ થઈ રહેલા આઇસોલેશન સેન્ટરમાં મુકવામાં આવેલા બેડ, ગાદલા-તકિયા બહાર કઢાવી સબસેન્ટરને તાળુ મારી દેવામાં આવ્યું હતુ. તંત્ર દ્વારા કોરોનાના વિપરીત કાળમાં આઇસોલેશન સેન્ટર શરૂ થયા પૂર્વે જ બંધ કરાવાતા ગ્રામજનો સહિત આગેવાનોમાં રોષ ફેલાયો હતો. જેથી તાત્કાલિક સ્થાનિક આગેવાનોએ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત નવસારીના સાંસદ સી.આર.પાટીલને તંત્રની નિર્દયતાની ટેલિફોનિક જાણ કરી, સબ સેન્ટર શરૂ કરાવવા માંગણી કરી હતી. જેમાં સાંસદની મધ્યસ્થી બાદ આઇસોલેશન સેન્ટરની ચાવી મળતા સેન્ટર ફરી શરૂ કરાયું છે.

આ પણ વાંચો : નવસારી સિવિલના દર્દીઓ માટે RSSના યુવાનો બન્યા દેવદૂત


આરોગ્ય વિભાગે જાણકરીના અભાવે કર્યું બંધ સેન્ટર

સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીખનો પક્ષ જાણતા આરોગ્ય વિભાગ દ્વારા તેમને પુરતી માહિતી ન આપવાને કારણે સબ સેન્ટર બંધ કરાવાયું હતુ. કારણ આરોગ્ય સબસેન્ટરમાં સગર્ભા અને ધાત્રી માતાઓ આવતી હોય છે. જેથી તેમને સંક્રમણ લાગવાનો ભય વધી જાય છે. તેમજ આરોગ્ય સુવિધા ચાલુ હોય આઇસોલેશન સેન્ટર ઉભું કરવું જોખમી થઈ પડે, જેથી સબસેન્ટર બંધ કરાવાયું હતુ. પરંતુ જ્યારે સબસેન્ટરનું મકાન નવું અને કાર્યરત ન હોવાનું જાણતા તેમણે તાત્કાલિક આઇસોલેશન સેન્ટર શરૂ કરવા મંજૂરી આપી હતી.

  • જિલ્લા વિકાસ અધિકારીએ સબ સેન્ટરમાં શરૂ થતું આઇસોલેશન સેન્ટર કરાવ્યુ હતું બંધ
  • આરોગ્ય વિભાગે સબ સેન્ટરમાંથી સમાન બહાર કાઢી માર્યા હતા તાળા
  • આગેવાનોએ ભાજપી આગેવાનોને રજૂઆત કરી, ફરી આઇસોલેશન સેન્ટર શરૂ કર્યુ

નવસારી : જિલ્લામાં શહેરો સાથે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેની સાથે મૃત્યુનો આંકડો પણ વધ્યો છે. હાલમાં તમામ લોકો કોરોનાને વધતો અટકાવવા પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રકરણમાં ગામડાઓમાં આઇસોલેશન વોર્ડ મહત્ત્વની કડી સાબિત થઇ શકે છે, પરંતુ ગણદેવીના ગોયંદી-ભાઠલા ગામે નવનિર્મિત આરોગ્ય સબસેન્ટરમાં શરૂ કરવામાં આવેલા 10 બેડના આઇસોલેશન સેન્ટરને શરૂ થાય એ પૂર્વે ડીડીઓના આદેશથી બંધ કરાવી દેવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. બાદમાં નવસારીના સાંસદની મધ્યસ્થીથી ફરી આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે.

માહિતીના અભાવે ગોયંદી-ભાઠલા ગામે ઓઈસોલેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું
સીમાના 10 ગામડાઓને મળશે આઇસોલેશન સેન્ટરનો લાભ નવસારી જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં પણ જિલ્લાના સીમાના વિસ્તારના ગામડાઓ શહેરથી દૂર હોવાને કારણે કોરોના દર્દીને સમયસર સારવાર ન મળતાં જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. નવસારીના ગણદેવી તાલુકાના ગોયંદી-ભાઠલા ગામે બંધ પડેલ નવનિર્મિત આરોગ્ય સેન્ટર પર ગામના આગેવાનો દ્વારા ગણદેવીના ધારાસભ્યના સહયોગથી 10 બેડનુ આઇસોલેશન સેન્ટર શરૂ કરવાના પ્રયાસો થયા હતા. જેની જાણ થતા નવસારી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીખ દ્વારા સબ સેન્ટરમાં શરૂ થઈ રહેલા આઇસોલેશન સેન્ટરમાં મુકવામાં આવેલા બેડ, ગાદલા-તકિયા બહાર કઢાવી સબસેન્ટરને તાળુ મારી દેવામાં આવ્યું હતુ. તંત્ર દ્વારા કોરોનાના વિપરીત કાળમાં આઇસોલેશન સેન્ટર શરૂ થયા પૂર્વે જ બંધ કરાવાતા ગ્રામજનો સહિત આગેવાનોમાં રોષ ફેલાયો હતો. જેથી તાત્કાલિક સ્થાનિક આગેવાનોએ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત નવસારીના સાંસદ સી.આર.પાટીલને તંત્રની નિર્દયતાની ટેલિફોનિક જાણ કરી, સબ સેન્ટર શરૂ કરાવવા માંગણી કરી હતી. જેમાં સાંસદની મધ્યસ્થી બાદ આઇસોલેશન સેન્ટરની ચાવી મળતા સેન્ટર ફરી શરૂ કરાયું છે.

આ પણ વાંચો : નવસારી સિવિલના દર્દીઓ માટે RSSના યુવાનો બન્યા દેવદૂત


આરોગ્ય વિભાગે જાણકરીના અભાવે કર્યું બંધ સેન્ટર

સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીખનો પક્ષ જાણતા આરોગ્ય વિભાગ દ્વારા તેમને પુરતી માહિતી ન આપવાને કારણે સબ સેન્ટર બંધ કરાવાયું હતુ. કારણ આરોગ્ય સબસેન્ટરમાં સગર્ભા અને ધાત્રી માતાઓ આવતી હોય છે. જેથી તેમને સંક્રમણ લાગવાનો ભય વધી જાય છે. તેમજ આરોગ્ય સુવિધા ચાલુ હોય આઇસોલેશન સેન્ટર ઉભું કરવું જોખમી થઈ પડે, જેથી સબસેન્ટર બંધ કરાવાયું હતુ. પરંતુ જ્યારે સબસેન્ટરનું મકાન નવું અને કાર્યરત ન હોવાનું જાણતા તેમણે તાત્કાલિક આઇસોલેશન સેન્ટર શરૂ કરવા મંજૂરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.