આખરે વાયુ વાવાઝોડું વધુ તીવ્ર બનીને ગુજરાતના દરિયા કિનારે આક્રમણ કરી રહ્યું છે. જો કે વાયુ ફુંટાવવાની માહિતી વચ્ચે નવસારીમાં ભયનો માહોલ સર્જાયો છે. એક તરફ તંત્ર તૈયારીઓના દાવાઓ કરી રહ્યું છે તો બીજી તરફ નવસારી જિલ્લામાં કયું સિગ્નલ છે એનાથી તંત્ર અજાણ રહ્યું છે. એટલાથી અટકતું નથી જિલ્લામાં દરિયો અંદાજિત કેટલા સમયે વધુ તોફાની બનશે જેની જાણકારીઓ પણ મેળવી શક્યા નથી.
નવસારી જિલ્લામાં આવેલા બોરસી ગામમાં દરિયાના પાણી ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકોમાં ભયનો માહોલ છે. તેમ છતાં તંત્ર હજી સંરક્ષણ દિવાલનું કામ પૂર્ણ કરી શકી નથી. વાયુને લઈને નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ વરસી રહ્યો છે.