ETV Bharat / state

શહેરીજનોને સ્વચ્છતાના પાઠ ભણાવવા પાલિકાએ યોજી ભીતચિત્ર સ્પર્ધા - નવસારીના તાજા સમાચાર

નવસતી-વિજલપોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પ્રત્યે શહેરીજનોને જાગૃત કરવા જનજાગૃતિ અભિયાન છેડાયું છે. જેમાં આજે રવિવારે શહેરના મઘ્યમાં આવેલા લુન્સીકુઈ મેદાનની કંપાઉન્ડ વોલ પર ભીતચિત્ર સ્પર્ધા યોજી સ્વચ્છતા સંદેશ સાથે કોરોના સામે જાગૃતિ, બેટી બચાવો બેટી પઢાવો, ભૃણહત્યા જેવા સામાજિક વિષયો પર લોકોમાં જાગરૂત્તા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ETV BHARAT
શહેરીજનોને સ્વચ્છતાના પાઠ ભણાવવા પાલિકાએ યોજી ભીતચિત્ર સ્પર્ધા
author img

By

Published : Dec 20, 2020, 9:57 PM IST

  • શહેરના લુન્સીકુઈ મેદાનની કંપાઉન્ડ વોલ પર 30 ચિત્રકારોએ દોર્યા ભીતચિત્રો
  • ભીતચિત્રો થકી સ્વચ્છતા, કોરોના, ભૃણહત્યા સામાજિક મુદ્દાઓ પર જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ
  • સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાને ફરી અવ્વલ બનાવવા જનજાગૃતિ અભિયાન
    શહેરીજનોને સ્વચ્છતાના પાઠ ભણાવવા પાલિકાએ યોજી ભીતચિત્ર સ્પર્ધા

નવસારી: નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ગુજરાતના ચિત્ર શિક્ષક મહામંડળના સહયોગથી નવસારીના લુન્સીકુઈ મેદાનની કંપાઉન્ડ વોલ ઉપર આજે રવિવારે ભીતચિત્ર સ્પર્ધા યોજી હતી. જેમાં મુખ્યત્વે શહેરીજનોને સ્વચ્છતા સંદેશ થકી જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. જેની સાથે જ કોરોના સામે જાગૃતિ, બેટી બચાવો બેટી પઢાવો, ભૃણહત્યા જેવા સામાજિક મુદ્દાઓને પણ આવરી લઇ સુંદર ભીતચિત્રો તૈયાર કરાયાં હતા. જ્યાં સુરતના ચિત્રકારે 'માં તુ પણ ક્યારેક દીકરી હતી'ના સંદેશ સાથે ભૃણહત્યા પર બનાવેલું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

ETV BHARAT
ભીતચિત્ર

ચિત્રકારોને પ્રમાણપત્ર આપી કરાયા સન્માનિત

ભીતચિત્ર સ્પર્ધામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી 30 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો અને 20થી વધુ ચિત્રો દોર્યા હતા. જેમાંથી પ્રથમ આવનારને પાલિકા દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ તમામ પ્રતિયોગીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ETV BHARAT
સન્માનિક કરાયા

નંબર-1નું સ્થાન ખોનારી પાલિકાએ ફરી રાષ્ટ્રીય સ્તરે નામના મેળવવા શરૂ કરી કવાયત

વર્ષ 2017માં નવસારી નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં પશ્ચિમ ઝોન સહિત સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી હતી. જો કે, ત્યારબાદ શહેરીજનો સાથે પાલિકાની આળસને કારણે સ્વચ્છતામાં અવ્વલ રહેલી નવસારી પાલિકા હાશિયામાં ધકેલાઈ હતી, ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકા બન્યા બાદ પાલિકાએ નવસારીને સ્વચ્છતામાં ફરી રાષ્ટ્રીય સ્તરે નામના અપાવવા કમર કસી જનજાગૃતિ અભિયાન છેડ્યું છે. આ સાથે જ શહેરીજનોને સ્વચ્છ નવસારી બનાવવા સહયોગની અપીલ પણ કરી છે.

ભીતચિત્રો લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરે એવી આશા

લુન્સીકુઈ મેદાનની કંપાઉન્ડ વોલ પર સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ પાલિકાએ દોરાવેલા ભીતચિત્રો શહેરીજનોને સ્વચ્છતા જાળવવામાં અને સામાજિક મુદ્દાઓ પ્રત્યે જાગૃત કરે એવી આશા પાલિકા સેવી રહી છે.

  • શહેરના લુન્સીકુઈ મેદાનની કંપાઉન્ડ વોલ પર 30 ચિત્રકારોએ દોર્યા ભીતચિત્રો
  • ભીતચિત્રો થકી સ્વચ્છતા, કોરોના, ભૃણહત્યા સામાજિક મુદ્દાઓ પર જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ
  • સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાને ફરી અવ્વલ બનાવવા જનજાગૃતિ અભિયાન
    શહેરીજનોને સ્વચ્છતાના પાઠ ભણાવવા પાલિકાએ યોજી ભીતચિત્ર સ્પર્ધા

નવસારી: નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ગુજરાતના ચિત્ર શિક્ષક મહામંડળના સહયોગથી નવસારીના લુન્સીકુઈ મેદાનની કંપાઉન્ડ વોલ ઉપર આજે રવિવારે ભીતચિત્ર સ્પર્ધા યોજી હતી. જેમાં મુખ્યત્વે શહેરીજનોને સ્વચ્છતા સંદેશ થકી જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. જેની સાથે જ કોરોના સામે જાગૃતિ, બેટી બચાવો બેટી પઢાવો, ભૃણહત્યા જેવા સામાજિક મુદ્દાઓને પણ આવરી લઇ સુંદર ભીતચિત્રો તૈયાર કરાયાં હતા. જ્યાં સુરતના ચિત્રકારે 'માં તુ પણ ક્યારેક દીકરી હતી'ના સંદેશ સાથે ભૃણહત્યા પર બનાવેલું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

ETV BHARAT
ભીતચિત્ર

ચિત્રકારોને પ્રમાણપત્ર આપી કરાયા સન્માનિત

ભીતચિત્ર સ્પર્ધામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી 30 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો અને 20થી વધુ ચિત્રો દોર્યા હતા. જેમાંથી પ્રથમ આવનારને પાલિકા દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ તમામ પ્રતિયોગીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ETV BHARAT
સન્માનિક કરાયા

નંબર-1નું સ્થાન ખોનારી પાલિકાએ ફરી રાષ્ટ્રીય સ્તરે નામના મેળવવા શરૂ કરી કવાયત

વર્ષ 2017માં નવસારી નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં પશ્ચિમ ઝોન સહિત સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી હતી. જો કે, ત્યારબાદ શહેરીજનો સાથે પાલિકાની આળસને કારણે સ્વચ્છતામાં અવ્વલ રહેલી નવસારી પાલિકા હાશિયામાં ધકેલાઈ હતી, ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકા બન્યા બાદ પાલિકાએ નવસારીને સ્વચ્છતામાં ફરી રાષ્ટ્રીય સ્તરે નામના અપાવવા કમર કસી જનજાગૃતિ અભિયાન છેડ્યું છે. આ સાથે જ શહેરીજનોને સ્વચ્છ નવસારી બનાવવા સહયોગની અપીલ પણ કરી છે.

ભીતચિત્રો લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરે એવી આશા

લુન્સીકુઈ મેદાનની કંપાઉન્ડ વોલ પર સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ પાલિકાએ દોરાવેલા ભીતચિત્રો શહેરીજનોને સ્વચ્છતા જાળવવામાં અને સામાજિક મુદ્દાઓ પ્રત્યે જાગૃત કરે એવી આશા પાલિકા સેવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.