ETV Bharat / state

નવસારીમાં કોરોનાને લઇ આરોગ્ય તંત્ર એલર્ટ, સાર્વજનિક સ્થાનોએ રેપીડ ટેસ્ટ શરૂ કરાયા

author img

By

Published : Nov 26, 2020, 10:58 PM IST

નવસારીમાં ગત એક મહિનામાં નામશેષ થયેલા કોરોનાના કેસોમાં એકદમથી વધારો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસોમાં જ 22 કોરોના પોઝિટીવ કેસો સામે આવ્યા છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના સાર્વજનિક અને ભીડભાડવાળા સ્થળોએ મોબાઇલ કોવીડ કલીનીકની મદદથી રેપીડ એન્ટીજન ટેસ્ટ શરૂ કર્યા છે. ઉલ્લેખનિય છે કે, નવસારીમાં અત્યાર સુધીમાં કોરોનાનો આંક 1400ને પાર પહોંચ્યો છે.

health departmen
health departmen
  • નવસારીમાં દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઉંચકયું
  • આરોગ્ય વિભાગે ટેસ્ટ વધારતા કોરોના પોઝિટીવ કેસોમાં પણ થયો વધારો
  • આરોગ્ય વિભાગે ભીડભાડ વાળી જગ્યાઓએ રેપીડ ટેસ્ટની કામગીરી આરંભી

નવસારી : દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકાર સતર્ક બની છે. નવસારી જિલ્લામાં પણ એક મહિના સુધી કોરોના જાણે શાંત રહ્યો હતો, પણ ફરી ત્રણ દિવસોથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઇએ તંત્રને સુસ્તતા છોડી ચેતનવંતુ બનાવવા કલેકટરને પત્ર પણ પાઠવ્યો હતો. જેને લઇને એક્ટીવ બનેલા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે કોરોનાના રેપીડ એન્ટીજન ટેસ્ટ વધાર્યા છે. સાથે જ જિલ્લાના ભીડભાડવાળા અને સાર્વજિક સ્થાનો પર અને કોરોના વાહક બની શકે એવા લોકોના મોબાઇલ કોવીડ કલીનીકની મદદથી રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે.

નવસારીમાં કોરોનાને લઇ આરોગ્ય તંત્ર એલર્ટ

નવસારી ST ડેપોમાં કોરોના ટેસ્ટ દરમિયાન એક પોઝિટીવ કેસ નોંધાયો

જેમાં નવસારી શાકમાર્કેટમાં શાકભાજીવાળાઓના ટેસ્ટ બાદ નવસારી ST ડેપોના ડ્રાઈવર, કંડકટર, મિકેનિકોના કોરોના ટેસ્ટ કરવા સાથે જ ડેપોમાં આવતા પ્રવાસી, રિક્ષાવાળાઓના પણ ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટીવ આવતા તેને હોમ આઇસોલેશનમાં મોકલી અપાયો હતો.

નવસારીમાં કોરોનાનો કુલ આંક 1400ને પાર

નવસારી જિલ્લામાં પણ કોરોનાનો બીજો ભાગ શરૂ થયો હોય એમ ત્રણ દિવસોમાં કુલ 22 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. ગુરુવારે 6 કોરોના પોઝિટીવ કેસોની સાથે જ જિલ્લામાં કુલ આંક 1409 થયો છે. જયારે 1234 દર્દીઓએ કોરોનાને હારાવ્યો છે, જિલ્લામાં 101 લોકોને કોરોના ભરખી ગયો છે. જિલ્લામાં કુલ 34 દર્દીઓ હોસ્પિટલ કે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

  • નવસારીમાં દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઉંચકયું
  • આરોગ્ય વિભાગે ટેસ્ટ વધારતા કોરોના પોઝિટીવ કેસોમાં પણ થયો વધારો
  • આરોગ્ય વિભાગે ભીડભાડ વાળી જગ્યાઓએ રેપીડ ટેસ્ટની કામગીરી આરંભી

નવસારી : દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકાર સતર્ક બની છે. નવસારી જિલ્લામાં પણ એક મહિના સુધી કોરોના જાણે શાંત રહ્યો હતો, પણ ફરી ત્રણ દિવસોથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઇએ તંત્રને સુસ્તતા છોડી ચેતનવંતુ બનાવવા કલેકટરને પત્ર પણ પાઠવ્યો હતો. જેને લઇને એક્ટીવ બનેલા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે કોરોનાના રેપીડ એન્ટીજન ટેસ્ટ વધાર્યા છે. સાથે જ જિલ્લાના ભીડભાડવાળા અને સાર્વજિક સ્થાનો પર અને કોરોના વાહક બની શકે એવા લોકોના મોબાઇલ કોવીડ કલીનીકની મદદથી રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે.

નવસારીમાં કોરોનાને લઇ આરોગ્ય તંત્ર એલર્ટ

નવસારી ST ડેપોમાં કોરોના ટેસ્ટ દરમિયાન એક પોઝિટીવ કેસ નોંધાયો

જેમાં નવસારી શાકમાર્કેટમાં શાકભાજીવાળાઓના ટેસ્ટ બાદ નવસારી ST ડેપોના ડ્રાઈવર, કંડકટર, મિકેનિકોના કોરોના ટેસ્ટ કરવા સાથે જ ડેપોમાં આવતા પ્રવાસી, રિક્ષાવાળાઓના પણ ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટીવ આવતા તેને હોમ આઇસોલેશનમાં મોકલી અપાયો હતો.

નવસારીમાં કોરોનાનો કુલ આંક 1400ને પાર

નવસારી જિલ્લામાં પણ કોરોનાનો બીજો ભાગ શરૂ થયો હોય એમ ત્રણ દિવસોમાં કુલ 22 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. ગુરુવારે 6 કોરોના પોઝિટીવ કેસોની સાથે જ જિલ્લામાં કુલ આંક 1409 થયો છે. જયારે 1234 દર્દીઓએ કોરોનાને હારાવ્યો છે, જિલ્લામાં 101 લોકોને કોરોના ભરખી ગયો છે. જિલ્લામાં કુલ 34 દર્દીઓ હોસ્પિટલ કે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.