ETV Bharat / state

નવસારી માટે સારા સમાચાર : કોરોના પોઝિટીવ કરતા કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધી

author img

By

Published : May 12, 2021, 9:38 AM IST

રાજ્યમાં કોરોનાનુ જોર થોડુ ઘટતું હોય તેવું દેખાઈ રહ્યું છે. મંગળવારે નવસારી જિલ્લામાં 129 કોરોના પોઝિટિવ કેસો નોંધયા હતા તેની સામે 144 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

navsari
નવસારી માટે સારા સમાચાર : કોરોના પોઝિટીવ કરતા કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધી
  • નવસારીમાં મંગળવાર 144 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી
  • જિલ્લામાં મંગળવારે 129 લોકો થયા કોરોના પોઝિટીવ
  • કોરોનાને કારણે 6 દર્દીઓના થયા મૃત્યું

નવસારી : એપ્રિલ મહિનામાં હાહાકાર મચાવનાર કોરોના હવે ધીમો પડયો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો સાથે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. મંગળવારે કોરોના પોઝિટીવ કેસ કરતા કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધુ હતી. નવસારીમાં મંગળવારે 144 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે વધુ 129 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેની સાથે આરોગ્ય વિભાગના ચોપડે મંગળવારે 6 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો.

નવસારીમાં કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા 4060 થઈ

એપ્રિલ મહિનામાં કોરોનાએ ગતિ પકડી અને નવસારી જિલ્લામાં કોરોનાનો આંક 5000ને પાર કરી ગયો હતો. જોકે હાલના દિવસોમાં કોરોના સંક્રમણનું જોર થોડુ ઘટ્યું હોય તેવુ લાગી રહ્યું છે. હવે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેમાં મંગળવારે પ્રથમવાર જિલ્લામાં નોંધાયેલા કોરોના પોઝિટીવ કેસો કરતા કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધી છે. નવસારીમાં મંગળવારે 144 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નવસારીમાં મંગળવારે વધુ 129 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 1238 પર પહોંચ્યો છે. બીજી તરફ કોરોનામાં મૃત્યુ પણ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના ચોપડે નવસારીમાં મંગળવારે મે મહિનાના સૌથી વધુ મૃત્યુ નોંધાયા, જેમાં ચીખલી તાલુકામાં 4 અને ગણદેવી તાલુકામાં 2 મળી કુલ 6 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : નવસારી જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના 160 પોઝિટિવ કેસ નોંધાયા

નવસારીમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 5500 નજીક પહોંચી

નવસારી જિલ્લામાં 21 એપ્રિલ 2020 ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ કોરોના ધીમી ગતિએ વધી રહ્યો હતો. પરંતુ ગત એપ્રિલ મહિનામાં બુલેટ ગતિએ વધેલા કોરોના એ 5 હજારનો આંકડો પાર કર્યો હતો. કોરોનાના કેસો વધતા જિલ્લામાં ઓક્સિજનની અછત સાથે દવાઓની પણ ઘટ પડી ગઈ હતી ત્યારે જિલ્લાની તમામ હોસ્પિટલો હાઉસફુલ થઈ હતી. પરંતુ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા લેવાયેલા અસરકારક પગલાઓને કારણે હવે કોરોનાની ગતિ ધીમી પડી છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 5433 થઈ છે. જેની સામે 4060 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કોરોનાને કારણે 135 લોકોના મૃત્યુ થયા છે.

  • નવસારીમાં મંગળવાર 144 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી
  • જિલ્લામાં મંગળવારે 129 લોકો થયા કોરોના પોઝિટીવ
  • કોરોનાને કારણે 6 દર્દીઓના થયા મૃત્યું

નવસારી : એપ્રિલ મહિનામાં હાહાકાર મચાવનાર કોરોના હવે ધીમો પડયો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો સાથે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. મંગળવારે કોરોના પોઝિટીવ કેસ કરતા કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધુ હતી. નવસારીમાં મંગળવારે 144 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે વધુ 129 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેની સાથે આરોગ્ય વિભાગના ચોપડે મંગળવારે 6 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો.

નવસારીમાં કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા 4060 થઈ

એપ્રિલ મહિનામાં કોરોનાએ ગતિ પકડી અને નવસારી જિલ્લામાં કોરોનાનો આંક 5000ને પાર કરી ગયો હતો. જોકે હાલના દિવસોમાં કોરોના સંક્રમણનું જોર થોડુ ઘટ્યું હોય તેવુ લાગી રહ્યું છે. હવે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેમાં મંગળવારે પ્રથમવાર જિલ્લામાં નોંધાયેલા કોરોના પોઝિટીવ કેસો કરતા કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધી છે. નવસારીમાં મંગળવારે 144 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નવસારીમાં મંગળવારે વધુ 129 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 1238 પર પહોંચ્યો છે. બીજી તરફ કોરોનામાં મૃત્યુ પણ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના ચોપડે નવસારીમાં મંગળવારે મે મહિનાના સૌથી વધુ મૃત્યુ નોંધાયા, જેમાં ચીખલી તાલુકામાં 4 અને ગણદેવી તાલુકામાં 2 મળી કુલ 6 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : નવસારી જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના 160 પોઝિટિવ કેસ નોંધાયા

નવસારીમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 5500 નજીક પહોંચી

નવસારી જિલ્લામાં 21 એપ્રિલ 2020 ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ કોરોના ધીમી ગતિએ વધી રહ્યો હતો. પરંતુ ગત એપ્રિલ મહિનામાં બુલેટ ગતિએ વધેલા કોરોના એ 5 હજારનો આંકડો પાર કર્યો હતો. કોરોનાના કેસો વધતા જિલ્લામાં ઓક્સિજનની અછત સાથે દવાઓની પણ ઘટ પડી ગઈ હતી ત્યારે જિલ્લાની તમામ હોસ્પિટલો હાઉસફુલ થઈ હતી. પરંતુ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા લેવાયેલા અસરકારક પગલાઓને કારણે હવે કોરોનાની ગતિ ધીમી પડી છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 5433 થઈ છે. જેની સામે 4060 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કોરોનાને કારણે 135 લોકોના મૃત્યુ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.