ETV Bharat / state

ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભાજપે છેવાડા સુધી અંત્યોદયની વાત પહોંચે એ હેતુથી 'સબકા સાથ, સબકા વિશ્વાસના નારા' સાથે સમર્પણ દિવસ ઉજવ્યો હતો. જેમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીના ઉમેદવારો જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષે આજે ભાજપના દરેક ઉમેદવારોને જીત સાથે જ પંડિતજીના વિચારને જન-જન સુધી લઈ જવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

author img

By

Published : Feb 13, 2021, 1:37 PM IST

ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ
ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ
  • પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ ભાજપે મનાવ્યો સમર્પણ દિવસ
  • અંત્યોદયની વાત સાથે સબકા સાથ, સબકા વિશ્વાસનો નારો
  • નવસારીના ઉમેદવારોનો ચુંટણીમાં જીતનો સંકલ્પ

નવસારી : નવસારીના ઇટાળવા સ્થિત બી.આર. ફાર્મમાં સમર્પણ દિવસ અંતર્ગત કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્યો આર.સી. પટેલ, પિયુષ દેસાઈ, નરેશ પટેલ સહિત ભાજપી આગેવાનો, સ્થાનિક સ્વરાજની ચુંટણીના ભાજપી ઉમેદવારો અને કાર્યકર્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપી હતી.

ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ
ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ

વિજય રૂપાણીએ આપ્યો 'સબકા સાથ, સબકા વિશ્વાસ'ના નારો

અમદાવાદમાં આયોજિત કાર્યક્રમને વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પંડિતજીને યાદ કરી તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવાની વાત સાથે 'સબકા સાથ, સબકા વિશ્વાસ'ના નારા થકી અંત્યોદયના વિચારને છેવાડા સુધી પહોંચાડવા હાંકલ કરી હતી. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જીતનો સંકલ્પ લેવડાવ્યો હતો.

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્ય તિથિ
પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્ય તિથિ

ભાજપમાં પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી
ભાજપમાં પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી કરી હોવાની વાત ઉપર નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું કે, ભાજપની તમામ બેઠકો જીતવાની છે, ત્યારે આ પ્રકારના વિરોધ અસ્થાને હોવાનું જણાવ્યું હતું.

ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ

  • પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ ભાજપે મનાવ્યો સમર્પણ દિવસ
  • અંત્યોદયની વાત સાથે સબકા સાથ, સબકા વિશ્વાસનો નારો
  • નવસારીના ઉમેદવારોનો ચુંટણીમાં જીતનો સંકલ્પ

નવસારી : નવસારીના ઇટાળવા સ્થિત બી.આર. ફાર્મમાં સમર્પણ દિવસ અંતર્ગત કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્યો આર.સી. પટેલ, પિયુષ દેસાઈ, નરેશ પટેલ સહિત ભાજપી આગેવાનો, સ્થાનિક સ્વરાજની ચુંટણીના ભાજપી ઉમેદવારો અને કાર્યકર્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપી હતી.

ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ
ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ

વિજય રૂપાણીએ આપ્યો 'સબકા સાથ, સબકા વિશ્વાસ'ના નારો

અમદાવાદમાં આયોજિત કાર્યક્રમને વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પંડિતજીને યાદ કરી તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવાની વાત સાથે 'સબકા સાથ, સબકા વિશ્વાસ'ના નારા થકી અંત્યોદયના વિચારને છેવાડા સુધી પહોંચાડવા હાંકલ કરી હતી. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જીતનો સંકલ્પ લેવડાવ્યો હતો.

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્ય તિથિ
પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્ય તિથિ

ભાજપમાં પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી
ભાજપમાં પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી કરી હોવાની વાત ઉપર નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું કે, ભાજપની તમામ બેઠકો જીતવાની છે, ત્યારે આ પ્રકારના વિરોધ અસ્થાને હોવાનું જણાવ્યું હતું.

ભાજપના ઉમેદવારોએ લીધો જીતનો સંકલ્પ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.