નર્મદાઃ જિલ્લામાં ત્રણ દિવસીય ઇન્ડિયાઝ ફાઉન્ડેશન દ્વારા કોન્કલેવ ચાલી રહી છે. જેમાં આજે દેશના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ હાજર રહ્યાં છે. જ્યાં BJP મહામંત્રી રામ માધવે તેમનું સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમ બાદ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે દિલ્હી હિંસા વિશે વાત કરતાં જણાવ્યુ હતું કે, "ધમાલ ગમે ત્યાં થાય એ ખોટું જ છે. આ બધાએ સાથે મળીને શાંતિથી કામ લેવું જોઈએ. ધમાલમાં ઉત્તેજના ન ફેલાવી જોઈએ.
કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે ઇન્દિરા ગાંધીએ યુગાન્ડાના ગુજરાતીઓને નાગરિકતા આપી, જ્યારે મનમોહનસિંહ એ અડવાણીને પત્ર લખ્યો કે, યુપીએ સરકારના ગૃહ પ્રધાન નાગરિકતા મળવી જોઈએ, ત્યારે આ સવાલ શું કામ ઉત્પન્ન થાય છે. એની પાછળ કયો રાજધર્મ છે આ વોટ બેન્કની રાજનીતિ છે."