ETV Bharat / state

નર્મદામાં રાજપીપળા ખાતે પ્રથમ તબક્કામાં રસીકરણ - તિલકવાડા આરોગ્ય કેન્દ્ર

નર્મદામાં કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. રાજપીપલા ખાતે પ્રથમ તબક્કામાં આવેલ 5200 જેટલા ડોઝ નોંધાયેલ કોરોના વોરિયર્સને આપવામાં આવશે. જેમાં રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાના હસ્તે આપવામાં આવી છે. જ્યારે તિલકવાડા આરોગ્ય કેન્દ્ર પર પૂર્વ વન પ્રધાન શબ્દશરણ તડવીના હસ્તે આપવામાં આવી હતી.

નર્મદામાં રાજપીપળા ખાતે પ્રથમ તબક્કામાં રસીકરણ
નર્મદામાં રાજપીપળા ખાતે પ્રથમ તબક્કામાં રસીકરણ
author img

By

Published : Jan 17, 2021, 12:55 PM IST

  • રાજપીપળામાં અર્બન સેન્ટર ખાતેથી રસીકરણ કરાયું
  • 100 જેટલા કર્મચારીઓને વેક્સિન ડોઝ અપાયા
  • નર્મદા જિલ્લા ખાતે 5200 ડોઝ આપવામાં આવેલ

નર્મદા : વડોદરા ખાતેના ઝોનલ વેક્સિન સ્ટોરમાંથી રાજપીપળા ખાતેના વેક્સિન અને ડ્રગ સ્ટોરમાં આવેલ હતા. જ્યાંથી નર્મદા જિલ્લા ખાતે 5200 ડોઝ આપવામાં આવેલ હતા. જેમાંથી પ્રથમ હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે રાજપીપળામાં અર્બન સેન્ટર ખાતેથી 100 જેટલા કર્મચારીઓને વેક્સિન ડોઝ આપવામાં આવ્યા

નર્મદામાં રાજપીપળા ખાતે પ્રથમ તબક્કામાં રસીકરણ

રસી મુકવતા કોઈ આડ અસર ન થઈ : કોરોના વોરિયર્સ

જ્યારે તિલકવાડા ખાતે 50 જેટલા ડોઝ આપવામાં આવ્યા હતા. જેમા રાજપીપળા ખાતે પ્રથમ રસી મુકાવનાર કોરોના વોરિયર્સ જોડે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, રસી મુકવતા કોઈ આડ અસર ન થઈ અને દરેક વ્યક્તિએ વેક્સિન મુકાવવી જોઈએ. હાલ તો તમામ વેક્સિન લેનારને 30 મિનિટ ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમની તમામ પ્રકારની કાળજી લેવામાં આવી હતી. જોકે, વેક્સિન લીધેલા વ્યક્તિઓને હાલ કોઈ આડ અસર દેખાઈ ન હતી.

  • રાજપીપળામાં અર્બન સેન્ટર ખાતેથી રસીકરણ કરાયું
  • 100 જેટલા કર્મચારીઓને વેક્સિન ડોઝ અપાયા
  • નર્મદા જિલ્લા ખાતે 5200 ડોઝ આપવામાં આવેલ

નર્મદા : વડોદરા ખાતેના ઝોનલ વેક્સિન સ્ટોરમાંથી રાજપીપળા ખાતેના વેક્સિન અને ડ્રગ સ્ટોરમાં આવેલ હતા. જ્યાંથી નર્મદા જિલ્લા ખાતે 5200 ડોઝ આપવામાં આવેલ હતા. જેમાંથી પ્રથમ હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે રાજપીપળામાં અર્બન સેન્ટર ખાતેથી 100 જેટલા કર્મચારીઓને વેક્સિન ડોઝ આપવામાં આવ્યા

નર્મદામાં રાજપીપળા ખાતે પ્રથમ તબક્કામાં રસીકરણ

રસી મુકવતા કોઈ આડ અસર ન થઈ : કોરોના વોરિયર્સ

જ્યારે તિલકવાડા ખાતે 50 જેટલા ડોઝ આપવામાં આવ્યા હતા. જેમા રાજપીપળા ખાતે પ્રથમ રસી મુકાવનાર કોરોના વોરિયર્સ જોડે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, રસી મુકવતા કોઈ આડ અસર ન થઈ અને દરેક વ્યક્તિએ વેક્સિન મુકાવવી જોઈએ. હાલ તો તમામ વેક્સિન લેનારને 30 મિનિટ ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમની તમામ પ્રકારની કાળજી લેવામાં આવી હતી. જોકે, વેક્સિન લીધેલા વ્યક્તિઓને હાલ કોઈ આડ અસર દેખાઈ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.