ટંકારાના રહેવાસી બાબુભાઈ મોમભાઈ નામના માલધારીના વાડામાં બાંધેલ ૪૫ થી વધુ ઘેટાનું મારણ દીપડાe કર્યું હોય તેવુ ફોરેસ્ટ વિભાગના અધિકારી જે ટી કુંડારિયાની ટીમની તપાસમાં સામે આવ્યું હતું અને દીપડાએ દેખા દેતા વનવિભાગ એલર્ટ મોડમાં મુકાયું હતું તેમજ ગત રાત્રીના દીપડો મારણ કરેલ ખોરાક આરોગવા માટે આવે તેવી સંભાવનાને પગલે પાંજરું ગોઠવી તેમજ ફોરેસ્ટની આખી ટીમ વિસ્તારમાં તૈનાત કરી હતી આખી રાત્રી જાગીને ફોરેસ્ટ ટીમે દીપડાને પાંજરે પુરવા માટે ઈન્તેજાર કર્યો હતો.
![ટંકારા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r_gj_mrb_06_11may_tankara_dipado_cheking_photo_02_av_ravi1557570190503-95_1105email_1557570201_128.jpg)
જો કે, દીપડો ગત રાત્રીના વિસ્તારમાં ફરક્યો જ ન હતો. તો દીપડાને પાંજરે પૂરવા કમર કસી ચુકેલા ટંકારા રેંજ ફોરેસ્ટ ટીમ આજે શનિવારે રાત્રીના પણ પાંજરું ગોઠવીને સતત વોચ રાખશે અને જો આજે દીપડો દેખાય તો ગમે તેમ કરીને પણ તેને પાંજરે પુરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે તેમ રેંજ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું છે ફોરેસ્ટ ટીમને આખી રાતનો ઉજાગરો કરાવીને દીપડો દેખાયો જ નથી જોકે રાહતની વાત એ રહી કે અન્ય કોઈ વિસ્તારમાં ગત રાત્રીના દીપડો પહોંચ્યો ના હતો વળી દીપડાને પાંજરે પૂરી દેવા ફોરેસ્ટ ટીમ આજે પણ તૈનાત રહેશે.