- મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ
- ફેક્ટરીના ભાગીદાર સહીત 2ના કરુણ મોત
- એકની શોધખોળ શરૂ
મોરબીઃ શહેરના જેતપર રોડ પર રંગપર નજીક આવેલા સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સિરામિક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા પાંચ વ્યક્તિ દટાયા હોતા જે પૈકી 2ને બચાવી લેવાયા હતા. તો 2ના મૃતદેહ મળ્યા હતા અને 1ની શોધખોળ ચાલી રહી છે.
બે મૃતદેહો બહાર કાઢ્યા, મહિલાનું રેક્સ્યું ઓપરેશન ચાલું
મોરબીના રંગપર નજીક આવેલા ગ્રીસ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં માટીના સાયલા તૂટી પડતા માટી ખાતામાં કામ કરતા શ્રમિકો, લેબ ટેકનિશિયન તેમજ ભાગીદાર સહિતના પાંચ વ્યક્તિ સાયલા નીચે દબાયા હોતા જે બનાવને પગલે મોરબી 108, મોરબી ફાયર ટીમ ઉપરાંત મામલતદાર ડી. જે. જાડેજા સ્થળ પર પહોંચ્યા હતા. સાયલા તૂટી પડતા ભાગીદાર સંજય સાણંદીયા, લેબ ટેકનિશિયન અરવિંદભાઈ ગામી તેમજ શ્રમિકો સહિત 5 દટાયા હોવાની માહિતી મળી હતી. જેમાંથી નવીનભાઈ નાખવા અને કાલીબેન ગનાવાને બચાવી લેવામાં સફળતા મળી છે અને તે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભાગીદાર અને લેબ ટેકનિશિયનના મૃતદેહ મળ્યા
તો ભાગીદાર સંજયભાઈ સાણંદીયા, લેબ ટેક્નિશિયન અરવિંદભાઈ ગામી અને સોરમબેન દેવકરણભાઈ પુરબીયા દટાયા હોવાને પગલે રેક્સ્યું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ક્રેન અને કટર સહિતના સાધનોની મદદથી વહેલી સવારના સુમારે ભાગીદાર સંજયભાઈ સાણંદિયા અને લેબ ટેકનિશિયન અરવિંદભાઈ ગામીના મૃતદેહ મળી આવ્યા હતા. જે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. તો મહિલા શ્રમિક સોરમબેન પુરબીયાની શોધખોળ હાલ ચાલી રહી હોવાની માહિતી મળી છે.
ફાયર ટીમે આખી રાત જહેમત ઉઠાવી મૃતદેહો બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકના આર બી વ્યાસ સહિતની ટીમે દોડી આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. તો આ ઘટનામાં રેસ્ક્યુ કામગીરીમાં રાજકોટ ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી છે. તો મોરબી પાલિકા અને ફાયરની ટીમે આખી રાત કામગીરી કરી રેક્સ્યું ઓપરેશન ચલાવ્યું હતું. રેક્સ્યું ઓપરેશન ચાલું જોવા મળ્યું હતું.