ETV Bharat / state

મોરબી જિલ્લામાં 9 પરીક્ષા કેન્દ્ર પરથી 15 હજાર 596 વિદ્યાર્થી પરીક્ષા આપશે - HSC Exams 2020

મોરબી જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ ગઇ છે. જિલ્લામાં કુલ 9 પરીક્ષા કેન્દ્રમાં 53 બિલ્ડિંગમાં 15 હજાર 596 વિદ્યાર્થીઓ નોંધાયાં છે. તંત્રએ પરીક્ષાઓ સુચારુપણે સંચાલિત થાય તેની તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે.

મોરબીઃ બોર્ડ પરીક્ષાર્થીઓનું મો મીઠું કરાવાયું, જિલ્લામાં કુલ 9 પરીક્ષા કેન્દ્ર અને 15596 પરીક્ષાર્થી
મોરબીઃ બોર્ડ પરીક્ષાર્થીઓનું મો મીઠું કરાવાયું, જિલ્લામાં કુલ 9 પરીક્ષા કેન્દ્ર અને 15596 પરીક્ષાર્થી
author img

By

Published : Mar 5, 2020, 8:08 PM IST

મોરબીઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 25 હજાર 868 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. મોરબી જિલ્લામાં ધોરણ 10 માટે કુલ નવ પરીક્ષા કેન્દ્રો છે. જેમાં મોરબી, વાંકાનેર, ટંકારા, જેતપર, સિંધાવદર, હળવદ, ચંદ્રપુર, ચરાડવા અને પીપળીયાના 53 બિલ્ડિંગમાં 15, 598 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મોરબીમાં બોર્ડના પરીક્ષાર્થીઓનું મો મીઠું કરાવાયું

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 11 બિલ્ડિંગમાં 2274 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટસ અને કોમર્સમાં કુલ 7966 વિદ્યાર્થીઓ માટે 27 બિલ્ડિંગમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી સકે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કુમકુમ તીલક અને ગુલાબના ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રમાં સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ પરીક્ષા કેન્દ્રો નજીક પોલીસો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

મોરબીઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 25 હજાર 868 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. મોરબી જિલ્લામાં ધોરણ 10 માટે કુલ નવ પરીક્ષા કેન્દ્રો છે. જેમાં મોરબી, વાંકાનેર, ટંકારા, જેતપર, સિંધાવદર, હળવદ, ચંદ્રપુર, ચરાડવા અને પીપળીયાના 53 બિલ્ડિંગમાં 15, 598 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મોરબીમાં બોર્ડના પરીક્ષાર્થીઓનું મો મીઠું કરાવાયું

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 11 બિલ્ડિંગમાં 2274 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટસ અને કોમર્સમાં કુલ 7966 વિદ્યાર્થીઓ માટે 27 બિલ્ડિંગમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી સકે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કુમકુમ તીલક અને ગુલાબના ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રમાં સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ પરીક્ષા કેન્દ્રો નજીક પોલીસો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.