ETV Bharat / state

શંકરસિંહ બાપુએ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી, ગુજરાતમાં દારૂબંધી દૂર કરવી જોઈએઃ બાપુ - Visnagar News

રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ સહિત રાજકીય ચૂંટણીઓ આવનારી છે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ પોતાના નવા મોરચાનો પ્રચાર પ્રસાર કરતા મહેસાણા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. વિસનગરના બાસણા ગામે અર્બુદાધામમાં શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી માતાજીના દર્શન કરીને ચૌધરી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી.

shankarsinh-vaghela
શંકરસિંહ બાપુએ મહેસાણાની મુલાકાત લીધી
author img

By

Published : Sep 28, 2020, 1:46 AM IST

મહેસાણાઃ રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ સહિત રાજકીય ચૂંટણીઓ આવનારી છે, ત્યારે દર વખતે ચૂંટણીઓની સિઝન આવતાની સાથે નવા વિચારો અને નવી પાર્ટીના સંગ સાથે જોડાઈ જતા રાજ્યના એક પીઠનેતા એવા શંકરસિંહ વાઘેલા આ વખતે પણ પ્રજાશક્તિ મોરચાનો નેજો લઈ પ્રચાર પ્રસાર કરવા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.

shankarsinh-vaghela
શંકરસિંહ બાપુએ મહેસાણાની મુલાકાત લીધી

જિલ્લાના વિસનગરના બાસણા ગામે અર્બુદાધામમાં શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી માતાજીના દર્શન કરીને ચૌધરી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં બાપુએ યુવાઓ આગામી દિવસોમાં યોગ્ય દિશા તરફ વળે તે માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

shankarsinh-vaghela
શંકરસિંહ બાપુએ મહેસાણાની મુલાકાત લીધી

આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે દારૂ ઝેર છે તેમ લખીને ગુજરાતમાં દારૂબંધી દૂર કરી દેવી જોઈએ કારણ કે, આજે દારૂબંધી માત્ર કહેવા પૂરતી જ રહી છે અને ગુજરાતમાં ઠેર ઠેર દારૂ વેચાય છે.

shankarsinh-vaghela
શંકરસિંહ બાપુએ મહેસાણાની મુલાકાત લીધી

તેમજ બાપુએ પ્રજાશક્તિના નેજા હેઠળ આવનારી ચૂંટણીઓમાં પોતાની પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી કરશે તેવા સંકેતો આપ્યા છે.

શંકરસિંહ બાપુએ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી

મહેસાણાઃ રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ સહિત રાજકીય ચૂંટણીઓ આવનારી છે, ત્યારે દર વખતે ચૂંટણીઓની સિઝન આવતાની સાથે નવા વિચારો અને નવી પાર્ટીના સંગ સાથે જોડાઈ જતા રાજ્યના એક પીઠનેતા એવા શંકરસિંહ વાઘેલા આ વખતે પણ પ્રજાશક્તિ મોરચાનો નેજો લઈ પ્રચાર પ્રસાર કરવા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.

shankarsinh-vaghela
શંકરસિંહ બાપુએ મહેસાણાની મુલાકાત લીધી

જિલ્લાના વિસનગરના બાસણા ગામે અર્બુદાધામમાં શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી માતાજીના દર્શન કરીને ચૌધરી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં બાપુએ યુવાઓ આગામી દિવસોમાં યોગ્ય દિશા તરફ વળે તે માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

shankarsinh-vaghela
શંકરસિંહ બાપુએ મહેસાણાની મુલાકાત લીધી

આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે દારૂ ઝેર છે તેમ લખીને ગુજરાતમાં દારૂબંધી દૂર કરી દેવી જોઈએ કારણ કે, આજે દારૂબંધી માત્ર કહેવા પૂરતી જ રહી છે અને ગુજરાતમાં ઠેર ઠેર દારૂ વેચાય છે.

shankarsinh-vaghela
શંકરસિંહ બાપુએ મહેસાણાની મુલાકાત લીધી

તેમજ બાપુએ પ્રજાશક્તિના નેજા હેઠળ આવનારી ચૂંટણીઓમાં પોતાની પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી કરશે તેવા સંકેતો આપ્યા છે.

શંકરસિંહ બાપુએ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.