ETV Bharat / state

મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન-વાઈસ ચેરમેનના પદગ્રહણ સમારોહમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

મહેસાણામાં દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ધારાસભ્યો અને પૂર્વ પ્રધાનો સહિતના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જેમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.

author img

By

Published : Jan 15, 2021, 9:24 PM IST

Mehsana
Mehsana
  • મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ
  • ચેરમેન વાઇસ ચેરમેનના પદગ્રહણનો કાર્યક્રમ
  • મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર કરાઈ
  • માસ્ક અને સામાજિક અંતર ન જાળવવામાં આવ્યું
    દૂધ સાગર ડેરી
    કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
    દૂધ સાગર ડેરી
    કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

મહેસાણા: દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના સરતાજ માટે આજે શુક્રવારે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન તરીકે જેમનું અગાઉથી જ પલ્લું ભારે રહ્યું હતું તેવા અશોક ચૌધરીએ ઉમેદવારી કરી હતી. જેની સામે કોઈ ઉમેદવારી ન કરાઈ હોવાથી તેમને ચેરમેન તરીકે, જ્યારે વાઇસ ચેરમેન માટે પહેલી વાર ડેરીમાં ચૂંટાયેલા મંડળ દ્વારા સવા વર્ષ માટે અમરત દેસાઈ અને અગાઉના સવા વર્ષ માટે જસી દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ 18 મતો મળ્યા હતા. જેમાં 15 ચૂંટાયેલા પ્રતિનિધિઓ, 1 જિલ્લા રજીસ્ટાર, 1 ડેરીના વહીવટદાર અને 1 અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મતો રહ્યા હતા.

દૂધ સાગર ડેરી
કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

પદગ્રહણ સમારોહમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

દૂધ સાગર ડેરી
કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

મહત્વનું છે કે ચૂંટણી અધિકારી દ્વારા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ પર નામ જાહેર કરાતા ચૂંટાયેલા પદાધીકારીઓ માટે પદગ્રહણ સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં ભાજપના ધારાસભ્યો અને પૂર્વ પ્રધાનો સહિતના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં બીજી તરફ આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. જેમાં કોરોનાની ચિંતા છોડી સ્ટેજ પર 150થી વધુ લોકોએ સ્થાન લીધું હતું. જેમાં કોઈએ માસ્ક નહોતું પહેર્યું અને સામજિક અંતર પણ જાળવ્યું નહોતું. આમ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એકત્ર કરી આયોજકોએ કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. જો કે, આ કાર્યક્રમમાં મહેસાણા બી-ડિવિઝન પોલીસ અધિકારી સહિતના સરકારી બાબુઓ પણ ઉપસ્થિત હોવા છતાં અહીં કોઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે અહીં સવાલ એ છે કે શું કોરોના ગાઈડલાઇન માત્ર પ્રજાને પરેશાન કરવા છે. નિયમો નેતાઓ કે ભાજપના સમર્થકોને લાગુ પડતા જ નથી?

દૂધ સાગર ડેરી
કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

  • મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ
  • ચેરમેન વાઇસ ચેરમેનના પદગ્રહણનો કાર્યક્રમ
  • મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર કરાઈ
  • માસ્ક અને સામાજિક અંતર ન જાળવવામાં આવ્યું
    દૂધ સાગર ડેરી
    કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
    દૂધ સાગર ડેરી
    કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

મહેસાણા: દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના સરતાજ માટે આજે શુક્રવારે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન તરીકે જેમનું અગાઉથી જ પલ્લું ભારે રહ્યું હતું તેવા અશોક ચૌધરીએ ઉમેદવારી કરી હતી. જેની સામે કોઈ ઉમેદવારી ન કરાઈ હોવાથી તેમને ચેરમેન તરીકે, જ્યારે વાઇસ ચેરમેન માટે પહેલી વાર ડેરીમાં ચૂંટાયેલા મંડળ દ્વારા સવા વર્ષ માટે અમરત દેસાઈ અને અગાઉના સવા વર્ષ માટે જસી દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ 18 મતો મળ્યા હતા. જેમાં 15 ચૂંટાયેલા પ્રતિનિધિઓ, 1 જિલ્લા રજીસ્ટાર, 1 ડેરીના વહીવટદાર અને 1 અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મતો રહ્યા હતા.

દૂધ સાગર ડેરી
કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

પદગ્રહણ સમારોહમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

દૂધ સાગર ડેરી
કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

મહત્વનું છે કે ચૂંટણી અધિકારી દ્વારા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ પર નામ જાહેર કરાતા ચૂંટાયેલા પદાધીકારીઓ માટે પદગ્રહણ સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં ભાજપના ધારાસભ્યો અને પૂર્વ પ્રધાનો સહિતના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં બીજી તરફ આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. જેમાં કોરોનાની ચિંતા છોડી સ્ટેજ પર 150થી વધુ લોકોએ સ્થાન લીધું હતું. જેમાં કોઈએ માસ્ક નહોતું પહેર્યું અને સામજિક અંતર પણ જાળવ્યું નહોતું. આમ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એકત્ર કરી આયોજકોએ કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. જો કે, આ કાર્યક્રમમાં મહેસાણા બી-ડિવિઝન પોલીસ અધિકારી સહિતના સરકારી બાબુઓ પણ ઉપસ્થિત હોવા છતાં અહીં કોઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે અહીં સવાલ એ છે કે શું કોરોના ગાઈડલાઇન માત્ર પ્રજાને પરેશાન કરવા છે. નિયમો નેતાઓ કે ભાજપના સમર્થકોને લાગુ પડતા જ નથી?

દૂધ સાગર ડેરી
કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.