- જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ ઝૂંબેશ હાથ ધરાયું
- સૌથી વધુ વેક્સિનેશન લુણાવાડામાં
- વેક્સિન મુકાવ્યા પછી પણ તકેદારી રાખવી જરૂરી
મહીસાગર: જિલ્લાના નાગરિકો કોરોના રસીકરણ અંગે જાગૃત થઈ રસી મુકાવી રહ્યા છે. જિલ્લામાં 25મી એપ્રિલ સુધીમાં લુણાવાડા તાલુકામાં 73,000, બાલાસિનોર તાલુકામાં 41,286, સંતરામપુર તાલુકામાં 71,277, ખાનપુર તાલુકામાં 24,389, કડાણા તાલુકામાં 32,935 અને વીરપુર તાલુકામાં 28,162 મળી જિલ્લાના કુલ 2,71,026 જેટલા હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 45થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના શહેરી નાગરિકો દ્વારા કોરોના વેક્સિનેશન કરાવ્યું છે. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ મહિસાગર જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 45થી 59 વર્ષ અને 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 2,71,026 નાગરિકોએ કોરોના રસીકરણ કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા ક્વચ મેળવ્યું છે.
![2.71 લાખ નાગરિકોએ કરાવ્યું કોરોના રસીકરણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-03-corona-vaccination-script-photo-gj10008_26042021185332_2604f_1619443412_412.jpg)
આ પણ વાંચો: મહેસાણામાં નવી 10 જગ્યાએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી યોજાઈ
જિલ્લામાં 2,26,876 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ 44,150 નાગરિકોને બીજો ડોઝ