ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટ : 15 નવા પોઝિટિવ કેસ, 6 ડિસ્ચાર્જ

author img

By

Published : Sep 8, 2020, 7:11 PM IST

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 8, લુણાવાડામાં 5 અને સંતરામપુરમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મહીસાગર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 748 થઈ છે.

મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર કોરોના અપડેટ

મહીસાગર: જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ જિલ્લામાં કોરોનાના વધુ 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 8, લુણાવાડામાં 5 અને સંતરામપુરમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

નવા નોંધાયેલ 15 પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 748 થઈ છે. મંગળવારે વધુ 6 કોરોના દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધી જિલ્લામાં કુલ 649 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મહીસાગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 748
  • કુલ સક્રિય કેસ - 62
  • કુલ ડિસ્ચાર્જ - 649
  • કુલ મોત - 37
  • કુલ હોમ ક્વોરેન્ટાઈન - 380
  • કુલ નેગેટિવ રિપોર્ટ - 31195

આ ઉપરાંત અત્યાર સુધી કુલ 37 લોકો કોરોના કારણે મૃત્યુ પામ્યા છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી જિલ્લામાં 380 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં કુલ કોરોના દર્દીઓ પૈકી 56 દર્દીઓની હાલત સ્થિર છે અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે. હાલ જિલ્લામાં 62 દર્દીઓ સારવાર હેઠળ છે.

મહીસાગર: જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ જિલ્લામાં કોરોનાના વધુ 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 8, લુણાવાડામાં 5 અને સંતરામપુરમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

નવા નોંધાયેલ 15 પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 748 થઈ છે. મંગળવારે વધુ 6 કોરોના દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધી જિલ્લામાં કુલ 649 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મહીસાગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 748
  • કુલ સક્રિય કેસ - 62
  • કુલ ડિસ્ચાર્જ - 649
  • કુલ મોત - 37
  • કુલ હોમ ક્વોરેન્ટાઈન - 380
  • કુલ નેગેટિવ રિપોર્ટ - 31195

આ ઉપરાંત અત્યાર સુધી કુલ 37 લોકો કોરોના કારણે મૃત્યુ પામ્યા છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી જિલ્લામાં 380 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં કુલ કોરોના દર્દીઓ પૈકી 56 દર્દીઓની હાલત સ્થિર છે અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે. હાલ જિલ્લામાં 62 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.