મહીસાગર: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આયુર્વેદિક અધિકારીઓએ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તરના આરોગ્ય કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:47:18:1598631438_gj-msr-03-medicin-vitaran-cointentment-zone-script-photo-2-gj10008_28082020204818_2808f_1598627898_984.jpeg)
આ આરોગ્ય કર્મીઓ ગામેગામ ફરીને ડોર ટુ ડોર સર્વેલન્સની સાથે આરોગ્યલક્ષી શિક્ષણ પણ આપી રહ્યા છે. પછી તે કન્ટેન્મેન્ટ ઝોન હોય બફર ઝોન હોય કે સામાન્ય વિસ્તાર હોય તેઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર નાગરિકોના આરોગ્યની ચિંતા કરી ફરજ બજાવી રહ્યા છે.
જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રોની મેડીકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા જિલ્લાના મોટી ઝાંઝરી ગામના કન્ટેનમેન્ટ વિસ્તામાં ડોર ટુ ડોર સર્વે કરી આર્સેનિક આલ્બમ, ડોકસીસાયકલીન, ઝીંક અને એસકોરબીક એસીડની ગોળીઓ તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું હતું.
મેડીકલ ઓફિસરોએ તેમની આ મુલાકાત દરમિયાન તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા વારંવાર સાબુથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સના પાલન અંગે સમજ આપી હતી.