ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધું 9 કેસ નોંધાયા, કુલ સંખ્યા 492

author img

By

Published : Aug 8, 2020, 10:18 PM IST

મહીસાગાર જિલ્લામાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વધુ નવા 9 કોરોનાના કેસ નોધાતા કુલ સંખ્યા 492 પર પહોંચી છે.

મહીસાગરમાં કોરોનાના વધું 9 કેસ નોંધાયા, કુલ સંખ્યા 492
મહીસાગરમાં કોરોનાના વધું 9 કેસ નોંધાયા, કુલ સંખ્યા 492

મહિસાગરઃ જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. શનિવારના રોજ જિલ્લામાં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 492 પર પહોંચી છે.

શનિવારના રોજ નોંધાયેલા 9 કોરોના પોઝિટિવ કેસમાં જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં 2 કેસ અને તાલુકામાં 2 કેસ, સંતરામપુરમાં 2, અને બાલાસિનોરમાં 3 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં (કોવિડ-19) ના 93 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુરુવારે 14 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આમ અત્યાર સુધીમાં 369 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કારણે કુલ 30 લોકોના મૃત્યું થયા છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 17 દર્દીઓ (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 27 દર્દીઓ હોમ આઈસોલેશન તેમજ અન્ય 49 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 89 દર્દીઓ સ્ટેબલ અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે.

મહિસાગરઃ જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. શનિવારના રોજ જિલ્લામાં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 492 પર પહોંચી છે.

શનિવારના રોજ નોંધાયેલા 9 કોરોના પોઝિટિવ કેસમાં જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં 2 કેસ અને તાલુકામાં 2 કેસ, સંતરામપુરમાં 2, અને બાલાસિનોરમાં 3 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં (કોવિડ-19) ના 93 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુરુવારે 14 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આમ અત્યાર સુધીમાં 369 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કારણે કુલ 30 લોકોના મૃત્યું થયા છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 17 દર્દીઓ (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 27 દર્દીઓ હોમ આઈસોલેશન તેમજ અન્ય 49 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 89 દર્દીઓ સ્ટેબલ અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.