- મહીસાગરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો
- શુકવારેના રોજ જિલ્લામાં કોરોનાના વધું નવા 48 પોઝિટિવ કેસ નોંધાયા
- કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,723 થઈ
મહીસાગર : જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુકવારના રોજ જિલ્લામાં કોરોનાના વધું નવા 48 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોર 16, ખાનપુરમાં 2 કડાણામાં 5, લુણાવાડા 9 અને સંતરામપુરમાં 15, નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા 48 પોઝિટિવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,723 થઈ છે.
- કુલ પોઝિટિવ કેસ- 2,723
- કુલ સક્રિય કેસ- 345
- કુલ ડીસ્ચાર્જ- 2,329
- કુલ મોત- 49
- કુલ હોમ કોરોન્ટાઈન- 485
- કુલ નેગેટીવ રીપોર્ટ- 1,55,340
જિલ્લામાં 345 દર્દીઓ સારવાર હેઠળ
આ ઉપરાંત અત્યાર સુધી કુલ 49 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 485 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે. હાલમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 308 દર્દીઓની હાલત સ્થિર છે. 32 દર્દીઓ ઓક્સિજન પર છે અને 5 વેન્ટીલેટર પર છે. આમ જિલ્લામાં કુલ 345 દર્દીઓ સારવાર હેઠળ છે.
જિલ્લા પ્રભારી સચીવ રાજેશ માંજુએ લુણાવાડા કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત
મહિસાગર જિલ્લામાં હવે કોરોનાનો ગ્રાફ દિન પ્રતિદિન ઉંચો જઈ રહ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં છેલ્લાં એક અઠવાડિયાથી રોજના 40 કેસ ઉપરના આંકડા નોંધાઈ રહ્યા છે. કેસની સંખ્યા વધતાં આરોગ્ય વિભાગ દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. શુક્રવારે મહીસાગર જિલ્લા પ્રભારી સચીવ રાજેશ માંજુએ કોવિડ સંદર્ભે બેઠક યોજી હતી અને લુણાવાડા કોવિડ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. જ્યાં કોવિડ- 19ના દર્દીઓની થઈ રહેલી સારવારનો તાગ મેળવી સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો : એપ્રિલ મહિનાના 8 દિવસમાં 164 દર્દી થયા કોરોના સંક્રમિત
બાલાસિનોરના તાલુકાના વધુ બે ગામો સ્વયંભૂ લોકડાઉન થયા
બાલાસિનોરના નગરપાલિકા વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ તેજ બની રહ્યું છે. બાલાસિનોર તાલુકાના જેઠોલીમાં સ્વૈછિક લોકડાઉન બાદ કરણપુર અને જનોડ ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. ગામના આગેવાનો અને વેપારીઓ દ્વારા મીટીંગ યોજીને શુક્રવારથી જ ત્રણ દિવસ લોકડાઉન જાહેર કરી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરાઈ હતી.
આ પણ વાંચો : ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા
સંતરામપુરના ગોઠીબ ગામમાં ધંધા- રોજગાર 19 એપ્રિલ સુધી બંધ
સંતરામપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. સંતરામપુરના ગોઠીબ ગામે શુક્રવારે 15 જેટલા નવા પોઝિટિવ કેસો મળતાં ગોઠીબ ગામના સરપંચ અને વેપારીઓએ એક થઈને ગામની તમામ દુકાનો બંધ રાખી કોરોનાનું સંક્રમણ અટકાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ગોઠીબ ગામના સરપંચ અને વેપારીઓએ 19 એપ્રિલ સુધી પોતાના સંપૂર્ણ ધંધા- રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.