ETV Bharat / state

કચ્છમાં રણતીડનું આક્રમણઃ નુકસાનનો તંત્રનો નનૈયો, માલધારીઓ ચિંતામાં

author img

By

Published : Jul 15, 2020, 6:55 PM IST

કચ્છના વિવિધ વિસ્તારોમાં રણ તીડના આક્રમણને પગલે માલધારીઓ, ખેડુતોમાં ચિંતા ફેલાઈ છે. જો કે ખેતીવાડી વિભાગે તીડ નિંયત્રણની કામગીરી સાથે પાકને કોઈ નુકસાન ન હોવાનું જણાવ્યું છે. ડુંગરાળ વિસ્તારમાં નાના નાના ઝૂંડમાં તીડ પર દવા છંટકાવ સહિતના પગલાં લેવાઈ રહ્યાં છે. બીજીતરફ તીડના આ ઝૂંડ માલધારીઓ માટે ચિંતાનો વિષય બન્યાં છે અને તંત્ર રાત્રિના સમયે વધુ સતર્કતા સાથે તીડ નિયંત્રણ કામગીરી કરે તેવી માગ થઈ રહી છે.

કચ્છમાં રણતીડનું આક્રમણઃ નુકસાનનો તંત્રનો નનૈયો, માલધારીઓ ચિંતામાં
કચ્છમાં રણતીડનું આક્રમણઃ નુકસાનનો તંત્રનો નનૈયો, માલધારીઓ ચિંતામાં

ભૂજઃ કચ્છ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિક્ષક આઈ. એસ. શિહોરાએ જણાવ્યું હતું કે, લખપત, ભૂજ અને રાપરના ડુંગરાળ વિસ્તારોમાં તીડના જોવા મળ્યાં છે. વિવિધ 12 ટીમ નિયંત્રણની કામગીરી કરી રહી છે. પાકિસ્તાન અને રણ વિસ્તારમાંથી આવેલા આ તીડના ઝૂંડ નાના નાના હોવાથી હાલે ખેતીના પાકને કોઈ નુકસાનના સમાચાર નથી. ડુંગરાળ વિસ્તારમાં જયાં તીડ જોવા મળી રહ્યાં છે ત્યાં દવા છંટકાવ સહિત નિયંત્રણની કામગીરી થઈ રહી છે.

કચ્છમાં રણતીડનું આક્રમણઃ નુકસાનનો તંત્રનો નનૈયો, માલધારીઓ ચિંતામાં
કચ્છમાં રણતીડનું આક્રમણઃ નુકસાનનો તંત્રનો નનૈયો, માલધારીઓ ચિંતામાં

આ ઉપરાંત જે તરફ તીડ આગળ વધે તે વિસ્તારમાં ગ્રામ સેવકની મદદ વડે કામગીરી શરૂ કરવામાં આવે છે. જોકે તીડના ઝૂંડ નાના હોવાથી અને તેનું પ્રજનન ન હોવાથી સ્થિતિ નિયંત્રણમાં છે.

કચ્છમાં રણતીડનું આક્રમણઃ નુકસાનનો તંત્રનો નનૈયો, માલધારીઓ ચિંતામાં


દરમિયાન માલધારી વર્ગ વગડામાં તીડના ઝૂંડથી ભારે ચિંતામાં મુકાયો છે. હાલ દવા છંટકાવની કામગીરી થાય છે પણ રાત્રિના સમયે અને ચોકકસ કામગીરી નહીં થાય તો આગામી સમયમાં સારા વરસાદથી ખીલી ઉઠેલા વગડા તીડ ખાઈ જશેે અને માલધારી વર્ગ માટે ચિંતા ઉભી થશે તેવી ફરિયાદ થઈ રહી છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં હવાઈ માર્ગે દવા છંટકાવની માગ થઈ રહી છે.

ભૂજઃ કચ્છ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિક્ષક આઈ. એસ. શિહોરાએ જણાવ્યું હતું કે, લખપત, ભૂજ અને રાપરના ડુંગરાળ વિસ્તારોમાં તીડના જોવા મળ્યાં છે. વિવિધ 12 ટીમ નિયંત્રણની કામગીરી કરી રહી છે. પાકિસ્તાન અને રણ વિસ્તારમાંથી આવેલા આ તીડના ઝૂંડ નાના નાના હોવાથી હાલે ખેતીના પાકને કોઈ નુકસાનના સમાચાર નથી. ડુંગરાળ વિસ્તારમાં જયાં તીડ જોવા મળી રહ્યાં છે ત્યાં દવા છંટકાવ સહિત નિયંત્રણની કામગીરી થઈ રહી છે.

કચ્છમાં રણતીડનું આક્રમણઃ નુકસાનનો તંત્રનો નનૈયો, માલધારીઓ ચિંતામાં
કચ્છમાં રણતીડનું આક્રમણઃ નુકસાનનો તંત્રનો નનૈયો, માલધારીઓ ચિંતામાં

આ ઉપરાંત જે તરફ તીડ આગળ વધે તે વિસ્તારમાં ગ્રામ સેવકની મદદ વડે કામગીરી શરૂ કરવામાં આવે છે. જોકે તીડના ઝૂંડ નાના હોવાથી અને તેનું પ્રજનન ન હોવાથી સ્થિતિ નિયંત્રણમાં છે.

કચ્છમાં રણતીડનું આક્રમણઃ નુકસાનનો તંત્રનો નનૈયો, માલધારીઓ ચિંતામાં


દરમિયાન માલધારી વર્ગ વગડામાં તીડના ઝૂંડથી ભારે ચિંતામાં મુકાયો છે. હાલ દવા છંટકાવની કામગીરી થાય છે પણ રાત્રિના સમયે અને ચોકકસ કામગીરી નહીં થાય તો આગામી સમયમાં સારા વરસાદથી ખીલી ઉઠેલા વગડા તીડ ખાઈ જશેે અને માલધારી વર્ગ માટે ચિંતા ઉભી થશે તેવી ફરિયાદ થઈ રહી છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં હવાઈ માર્ગે દવા છંટકાવની માગ થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.