ETV Bharat / state

Health in Winter : જાણો શિયાળામાં કંઈ રીતે શરીરને તંદુરસ્ત રાખી શકાય - શિયાળો

વ્યાયામ ( Exercise ) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખાસ કરીને છેલ્લા બે વર્ષથી કોરોનાકાળમાં (Corona Pandemic ) રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિની ( immunity ) જરૂરિયાત વધારે રહે છે. ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા આહાર તો જરૂરી છે જ, સાથે વ્યાયામનું પણ અનેરું મહત્વ છે. જે આજે સૌએ સમજવાની જરૂરિયાત છે.આ શિયાળામાં સ્વાસ્થ્યને ચુસ્ત રાખવા કેટલીક ટિપ્સ (Health tips for winter 2021) અહીં આપી છે.

Health in Winter : જાણો શિયાળામાં કંઈ રીતે શરીરને તંદુરસ્ત રાખી શકાય
Health in Winter : જાણો શિયાળામાં કંઈ રીતે શરીરને તંદુરસ્ત રાખી શકાય
author img

By

Published : Nov 23, 2021, 2:52 PM IST

  • કોરોનાકાળની નાદુરસ્તીની અસરો સામે વધારો પ્રતિકારક શક્તિ
  • આ શિયાળામાં કઇ રીતે શરીરને વધુ ચુસ્ત બનાવી શકશો તે જાણો
  • નિયમિત 30 મિનિટ પોતાના શરીરની તંદુરસ્તી માટે ફાળવવી
  • યોગ, આસન, પ્રાણાયામથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવો

કચ્છ: શિયાળાની ( Winter ) ઋતુ શરૂ થઈ ગઈ છે. શિયાળાની સવારમાં આપણે જો નિયમિત રીતે 30 મિનિટ પોતાના શરીરની તંદુરસ્તી માટે ફાળવી શકીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે વ્યાયામ શરીરમાં સ્થિરતા પ્રદાન કરે છે અને જેનાથી આપણે વિવિધ રોગોથી બચી શકીએ ( Health in Winter ) છીએ અને આપણી આંતરિક શક્તિમાં વધારો પણ લાવી શકીએ છીએ.

શરીર માટે સમય ન ફાળવવાથી શરીર બને છે રોગોનું ઘર

હાલના સમયમાં દરેક લોકો પોતાના જીવનમાં દૈનિક દિનચર્યામાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે તે વ્યસ્તતાની વચ્ચે વ્યાયામ ( Exercise ) માટે સમય ફાળવવાનું દરેક લોકો ભૂલી જતા હોય છે. ત્યારે સમય ન ફાળવવાના લીધે વિવિધ જાતના રોગો જેવા કે મેદસ્વિતા, હાઈપરટેન્શન,થાઈરોઈડ , ડાયાબિટિસ વગેરે રોગોનું ઘર આપણું શરીર બની જતું હોય છે અને તેવું ન બને તે માટે વ્યાયામ ખૂબ જરૂરી છે.

યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે છે

પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે હાલમાં પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર લોકો જીમમાં જઈ રહ્યાં છે. યંગ જનરેશન હજી જિમમાં જાય તો બોડી ફિટ થઈ શકે છે.પણ સામાન્ય રીતે 35 વર્ષની ઉંમર બાદ આપણા હાડકા થોડા નબળા થતાં હોય છે. કેલ્શિયમની ઉણપ થતી હોય છે ત્યારે યોગ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી પગના તળિયાથી લઇ માથાના વાળ સુધી શરીરના તમામ અંગોની કસરત ( Exercise ) થાય છે સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ( Effects of yoga on mental and physical health ) પણ જળવાય છે.

રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિની જરૂરિયાત વધારે રહે
રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિની જરૂરિયાત વધારે રહે

યોગથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે તે જ યોગ કરવા પ્રેરિત કરે છે

આ ઉપરાંત મ્યુઝિક સાથે આસનો કરવાથી મન પ્રફુલ્લિત થાય છે અને શરીરને એટલો બધો થાક પણ નથી લાગતો અને વધારે કેલેરી બર્ન કરવા માટે મ્યૂઝિક મદદરૂપ થતું હોય છે. દરરોજ યોગ કરવાનો સંકલ્પ કરો, કારણ કે સંકલ્પનો કોઈ વિકલ્પ નથી હોતો. શરૂઆતના સમયમાં આળસ જેવું લાગે છે પરંતુ ત્યાર બાદ દિવસ દરમિયાન યોગના કારણે જ ફાયદો થાય છે અને શરીરમાં જે ઊર્જા ઉત્પન્ન થાય છે તેનાથી દરરોજ કસરત ( Effects of yoga on mental and physical health) કરવા માટે પ્રેરણા મળે છે.

યોગ દ્વારા શરીરના તમામ અંગોની કસરત થાય છે: યોગાચાર્ય

સર્વમંગલ આરોગ્યધામ ખાતે યોગાચાર્ય તરીકે ફરજ બજાવતાં અને ગુજરાત યોગ બોર્ડના ( Gujarat Yoga Board ) સીનીયર કોચ પૂર્વીબેન સોનીએ ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેમના દ્વારા સવારના 6:00 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી યોગના બેચ ચલાવવામાં આવી રહ્યાં છે. બાળકો માટે, સગર્ભા મહિલાઓ માટે,ડાયાબિટીસ સ્પેશિયલ બેચ, પોસ્ટ કોરોના બેચનું પણ અહીં આયોજન કરવામાં આવે છે. યોગ દ્વારા શરીરના તમામ અંગોની કસરત થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા આહાર તો જરૂરી છે જ, સાથે વ્યાયામનું પણ અનેરું મહત્વ

સૂર્યનમસ્કાર કરીને પણ શરીરમાં ઊર્જા વધારી શકાય છે: સિનિયર કોચ Gujarat Yoga Board

આ ઉપરાંત પૂર્વીબેન સોનીએ જણાવ્યું હતું કે, હાલમાં શિયાળો ( Health in Winter ) ચાલી રહ્યો છે તો યોગ શરૂ કરવા માટે સૌથી સારો સમય છે. યોગ અને પ્રાણાયામથી શરીરમાં ઊર્જા ઉત્પન થાય છે. શિયાળાના સમયમાં શરૂઆતમાં સૂક્ષ્મ વ્યાયામ કરીને યોગ કરવાનું શરૂ કરવું જોઈએ, ઉપરાંત સૂર્ય નમસ્કાર કે જે વાર આસનોનો સમૂહ છે તે સર્વશ્રેષ્ઠ છે અને દરરોજ માત્ર 10 મિનિટમાં 10 સૂર્યનમસ્કાર કરીને શરીરને તંદુરસ્ત રાખી શરીરમાં ઊર્જા વધારી શકાય છે.

વ્યાયામ શરીર, મન અને આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવા માટે પણ જરૂરી: આયુર્વેદિક ઉપચાર વિશેષજ્ઞ

શિયાળામાં (Health in Winter ) શરીરને કઈ રીતે તંદુરસ્ત રાખવું એ અંગે ETV Bharat સાથે વાતચીત કરતા આયુર્વેદિક વૈદ્ય આલાપ અંતાણીએ જણાવ્યું હતું કે, નિયમિત રીતે યોગ, આસન, પ્રાણાયામ કરવા જોઈએ, જેનાથી આપણે શરીર અને મન સ્વસ્થ બનાવી શકીએ. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ, જેથી આપણા શરીરનાં સાંધાઓને નિયમિત રીતે કસરત મળી રહે. ઉપરાંત outdoor sport પણ એક્સરસાઇઝ તરીકે લઈ શકાય છે. જેમકે રનીંગ, સાયકલિંગ, બેડમિન્ટન , ટેનિસ જેવા sport કે જે તમારા સ્વાસ્થ્યને જાળવી શકે તેવા વર્કઆઉટને પણ પોતાના જીવનમાં નિયમિતતાથી કરવામાં આવે તો ચોક્કસ પણે સ્વસ્થ રહી શકાય. વ્યાયામ માત્ર રોગોથી બચવા નહીં પરંતુ શરીર, મન અને આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવા માટે પણ જરૂરી છે.

આ પણ વાંચોઃ શિયાળામાં કસરત ચાલુ રાખવાની છ રીતો

આ પણ વાંચોઃ Oil Pulling એટલે કે તેલના કોગળાથી મોં અને પેટ સ્વસ્થ રહે છે

  • કોરોનાકાળની નાદુરસ્તીની અસરો સામે વધારો પ્રતિકારક શક્તિ
  • આ શિયાળામાં કઇ રીતે શરીરને વધુ ચુસ્ત બનાવી શકશો તે જાણો
  • નિયમિત 30 મિનિટ પોતાના શરીરની તંદુરસ્તી માટે ફાળવવી
  • યોગ, આસન, પ્રાણાયામથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવો

કચ્છ: શિયાળાની ( Winter ) ઋતુ શરૂ થઈ ગઈ છે. શિયાળાની સવારમાં આપણે જો નિયમિત રીતે 30 મિનિટ પોતાના શરીરની તંદુરસ્તી માટે ફાળવી શકીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે વ્યાયામ શરીરમાં સ્થિરતા પ્રદાન કરે છે અને જેનાથી આપણે વિવિધ રોગોથી બચી શકીએ ( Health in Winter ) છીએ અને આપણી આંતરિક શક્તિમાં વધારો પણ લાવી શકીએ છીએ.

શરીર માટે સમય ન ફાળવવાથી શરીર બને છે રોગોનું ઘર

હાલના સમયમાં દરેક લોકો પોતાના જીવનમાં દૈનિક દિનચર્યામાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે તે વ્યસ્તતાની વચ્ચે વ્યાયામ ( Exercise ) માટે સમય ફાળવવાનું દરેક લોકો ભૂલી જતા હોય છે. ત્યારે સમય ન ફાળવવાના લીધે વિવિધ જાતના રોગો જેવા કે મેદસ્વિતા, હાઈપરટેન્શન,થાઈરોઈડ , ડાયાબિટિસ વગેરે રોગોનું ઘર આપણું શરીર બની જતું હોય છે અને તેવું ન બને તે માટે વ્યાયામ ખૂબ જરૂરી છે.

યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે છે

પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે હાલમાં પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર લોકો જીમમાં જઈ રહ્યાં છે. યંગ જનરેશન હજી જિમમાં જાય તો બોડી ફિટ થઈ શકે છે.પણ સામાન્ય રીતે 35 વર્ષની ઉંમર બાદ આપણા હાડકા થોડા નબળા થતાં હોય છે. કેલ્શિયમની ઉણપ થતી હોય છે ત્યારે યોગ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી પગના તળિયાથી લઇ માથાના વાળ સુધી શરીરના તમામ અંગોની કસરત ( Exercise ) થાય છે સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ( Effects of yoga on mental and physical health ) પણ જળવાય છે.

રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિની જરૂરિયાત વધારે રહે
રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિની જરૂરિયાત વધારે રહે

યોગથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે તે જ યોગ કરવા પ્રેરિત કરે છે

આ ઉપરાંત મ્યુઝિક સાથે આસનો કરવાથી મન પ્રફુલ્લિત થાય છે અને શરીરને એટલો બધો થાક પણ નથી લાગતો અને વધારે કેલેરી બર્ન કરવા માટે મ્યૂઝિક મદદરૂપ થતું હોય છે. દરરોજ યોગ કરવાનો સંકલ્પ કરો, કારણ કે સંકલ્પનો કોઈ વિકલ્પ નથી હોતો. શરૂઆતના સમયમાં આળસ જેવું લાગે છે પરંતુ ત્યાર બાદ દિવસ દરમિયાન યોગના કારણે જ ફાયદો થાય છે અને શરીરમાં જે ઊર્જા ઉત્પન્ન થાય છે તેનાથી દરરોજ કસરત ( Effects of yoga on mental and physical health) કરવા માટે પ્રેરણા મળે છે.

યોગ દ્વારા શરીરના તમામ અંગોની કસરત થાય છે: યોગાચાર્ય

સર્વમંગલ આરોગ્યધામ ખાતે યોગાચાર્ય તરીકે ફરજ બજાવતાં અને ગુજરાત યોગ બોર્ડના ( Gujarat Yoga Board ) સીનીયર કોચ પૂર્વીબેન સોનીએ ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેમના દ્વારા સવારના 6:00 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી યોગના બેચ ચલાવવામાં આવી રહ્યાં છે. બાળકો માટે, સગર્ભા મહિલાઓ માટે,ડાયાબિટીસ સ્પેશિયલ બેચ, પોસ્ટ કોરોના બેચનું પણ અહીં આયોજન કરવામાં આવે છે. યોગ દ્વારા શરીરના તમામ અંગોની કસરત થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા આહાર તો જરૂરી છે જ, સાથે વ્યાયામનું પણ અનેરું મહત્વ

સૂર્યનમસ્કાર કરીને પણ શરીરમાં ઊર્જા વધારી શકાય છે: સિનિયર કોચ Gujarat Yoga Board

આ ઉપરાંત પૂર્વીબેન સોનીએ જણાવ્યું હતું કે, હાલમાં શિયાળો ( Health in Winter ) ચાલી રહ્યો છે તો યોગ શરૂ કરવા માટે સૌથી સારો સમય છે. યોગ અને પ્રાણાયામથી શરીરમાં ઊર્જા ઉત્પન થાય છે. શિયાળાના સમયમાં શરૂઆતમાં સૂક્ષ્મ વ્યાયામ કરીને યોગ કરવાનું શરૂ કરવું જોઈએ, ઉપરાંત સૂર્ય નમસ્કાર કે જે વાર આસનોનો સમૂહ છે તે સર્વશ્રેષ્ઠ છે અને દરરોજ માત્ર 10 મિનિટમાં 10 સૂર્યનમસ્કાર કરીને શરીરને તંદુરસ્ત રાખી શરીરમાં ઊર્જા વધારી શકાય છે.

વ્યાયામ શરીર, મન અને આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવા માટે પણ જરૂરી: આયુર્વેદિક ઉપચાર વિશેષજ્ઞ

શિયાળામાં (Health in Winter ) શરીરને કઈ રીતે તંદુરસ્ત રાખવું એ અંગે ETV Bharat સાથે વાતચીત કરતા આયુર્વેદિક વૈદ્ય આલાપ અંતાણીએ જણાવ્યું હતું કે, નિયમિત રીતે યોગ, આસન, પ્રાણાયામ કરવા જોઈએ, જેનાથી આપણે શરીર અને મન સ્વસ્થ બનાવી શકીએ. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ, જેથી આપણા શરીરનાં સાંધાઓને નિયમિત રીતે કસરત મળી રહે. ઉપરાંત outdoor sport પણ એક્સરસાઇઝ તરીકે લઈ શકાય છે. જેમકે રનીંગ, સાયકલિંગ, બેડમિન્ટન , ટેનિસ જેવા sport કે જે તમારા સ્વાસ્થ્યને જાળવી શકે તેવા વર્કઆઉટને પણ પોતાના જીવનમાં નિયમિતતાથી કરવામાં આવે તો ચોક્કસ પણે સ્વસ્થ રહી શકાય. વ્યાયામ માત્ર રોગોથી બચવા નહીં પરંતુ શરીર, મન અને આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવા માટે પણ જરૂરી છે.

આ પણ વાંચોઃ શિયાળામાં કસરત ચાલુ રાખવાની છ રીતો

આ પણ વાંચોઃ Oil Pulling એટલે કે તેલના કોગળાથી મોં અને પેટ સ્વસ્થ રહે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.