ETV Bharat / state

Airavat Elephant of Kutch Museum : કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ ધરાવતી હાથીની પ્રતિકૃતિની શું છે વિશેષતા?

author img

By

Published : Jan 27, 2022, 3:15 PM IST

કચ્છ મ્યુઝિયમમાં એક હાથીની પ્રતિકૃતિ કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ બનાવે છે. ઇન્દ્રદેવના વાહન ઐરાવતની લાકડાની પ્રતિકૃતિ (Airavat Elephant of Kutch Museum) હજારો કિલોમીટર દૂરના બે જિલ્લા અને ત્રણ ધર્મ સાથે સંકળાયેલી છે.

Airavat Elephant of Kutch Museum : કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ ધરાવતી હાથીની પ્રતિકૃતિની શું છે વિશેષતા?
Airavat Elephant of Kutch Museum : કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ ધરાવતી હાથીની પ્રતિકૃતિની શું છે વિશેષતા?

કચ્છઃ કચ્છ મ્યુઝિયમમાં આવેલી એક લાકડાની પ્રતિકૃતિ કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ બનાવે છે. કચ્છ મ્યુઝિયમમાં આવેલી ઇન્દ્ર દેવના વાહન ઐરાવત હાથીની (Airavat Elephant of Kutch Museum ) લાકડાની પ્રતિકૃતિ હજારો કિલોમીટર દૂર બે જિલ્લા અને ત્રણ ધર્મ સાથે સંકળાયેલ છે. આપણા ભારતમાં દરેક વિસ્તાર અને સમાજની પોતાની એક આગવી કળા અને પરંપરા હોય છે અને ઘણી વખત વિવિધ કળા પરંપરાઓ સાથે મળી સમાજો અને વિસ્તારો વચ્ચે સંબંધ બનાવે છે. આવી જ રીતે ભુજ ખાતે આવેલ કચ્છ મ્યુઝિયમમાં સફેદ હાથીની એક વિશાળ પ્રતિકૃતિ દર્શકોનું સ્વાગત કરે છે.

ક્યૂરેટર દ્વારા ઐરાવત પ્રતિકૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી

20મી સદીમાં કેરળ રાજ્યના કોચીનમાં બની હતી

સામાન્ય વ્યક્તિને આ પ્રતિકૃતિ વધુમાં વધુ ફક્ત કોતરણીકામ અને ચિત્રકળાનું એક સુંદર નમૂનો લાગે. ઇન્દ્રદેવનું વાહન (Indradev ride Airavat Hathi ) મનાતા ઐરાવત હાથીની (Airavat Elephant of Kutch Museum ) આ પ્રતિકૃતિ 20મી સદીમાં કેરળ રાજ્યના કોચીનમાં બની હતી. આ પ્રતિકૃતિ 2300 કિલોમીટર દૂર બે અલગ અલગ વિસ્તારો વચ્ચે સંબંધ ધરાવે છે. ત્યાંથી આ પ્રતિકૃતિ કચ્છના માંડવી ખાતે આવી હતી અને અહીંના શાંતિનાથ જૈન દેરાસરમાં (Mandvi Shantinath Derasar ) રાખવામાં આવી હતી. માંડવીના આ દેરાસરમાં ધાર્મિક રેલીઓ વખતે આ લાકડાની પ્રતિકૃતિને પણ સાથે લઈ જવામાં આવતી હતી.

કચ્છ મ્યુઝિયમે માંડવીના દેરાસર પાસેથી ખરીદી હતી ઐરાવત હાથીની પ્રતિકૃતિ
કચ્છ મ્યુઝિયમે માંડવીના દેરાસર પાસેથી ખરીદી હતી ઐરાવત હાથીની પ્રતિકૃતિ

હાથી પર રંગબેરંગી કચ્છી કમાંગણી ચિત્રકામ કરવામાં આવ્યું છે

આ પ્રતિકૃતિ અંગે વાતચીત કરતા કચ્છ મ્યુઝિયમના કયુરેટર શેફાલીકા અવસ્થીએ જણાવ્યું હતું કે, આ પ્રતિકૃતિ જે કોચીનમાં બનેલી છે અને આ પ્રતિકૃતિની ખાસિયત એ છે કે સફેદ રંગના હાથી પર (Airavat Elephant of Kutch Museum ) રંગબેરંગી કચ્છી કમાંગણી ચિત્રકામ કરવામાં આવ્યું છે. સંભવિતપણે કચ્છમાંથી કોઈએ કોચીનના કારીગરોને આ પ્રકારના ચિત્રકામ વાળી પ્રતિકૃતિ બનાવવા ઓર્ડર આપવામાં આવ્યું હોય અથવા તો કોચીનમાં ફક્ત મૂર્તિ બની હોય અને કચ્છમાં લાવ્યા બાદ તેના પર ચિત્રકામ કરવામાં આવ્યું હોય.

આ પણ વાંચોઃ Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

આ પ્રતિકૃતિનો દરિયા સાથે ખાસ સંબંધ છે: કયુરેટર

કચ્છ મ્યુઝિયમના કયુરેટર શેફાલિકા અવસ્થીએ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ મુજબ ઐરાવત હાથીનું સર્જન સમુદ્રમંથનમાંથી થયું હતું. આ પ્રતિકૃતિને (Airavat Elephant of Kutch Museum ) પાણી અને દરિયા સાથે એક ખાસ સંબંધ છે. ઉપરાંત આ પ્રતિકૃતિ જ્યાં બની છે તે કોચીન દરિયાકિનારે આવેલું છે. તેના બાદ માંડવી લાવવામાં આવી તે પણ દરિયાકિનારે છે. હાલમાં કચ્છ મ્યુઝિયમ પણ હમીરસર તળાવના કિનારે આવેલું છે અને મ્યુઝિયમની અંદર આ પ્રતિકૃતિને એવી રીતે મૂકવામાં આવી છે કે હાથીનું મુખ માંડવી તરફની દિશામાં હોતાં તે દરિયા તરફ નજર કરી રહી છે તેથી આ પ્રતિકૃતિને દરિયા સાથે સંબંધ છે તેમ કહી શકાય.

આ પણ વાંચોઃ જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે...

ભારત સરકારે બહાર પાડી છે આ ઐરાવત હાથીની પ્રતિકૃતિ દર્શાવતી પોસ્ટ ટિકિટ

ઉલ્લેખનીય છે કે આ પ્રતિકૃતિ અનેક રીતે અનોખી હોતાં કચ્છ મ્યુઝિયમ દ્વારા 1975માં આને ખરીદીને મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી. 1977માં કચ્છ મ્યુઝિયમના 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે ભારત સરકાર દ્વારા આ ઐરાવત હાથીની (Airavat Elephant of Kutch Museum ) પ્રતિકૃતિ દર્શાવતી પોસ્ટ ટિકિટ (airavat elephant post ticket) પણ બહાર પાડવામાં આવી હતી.

કચ્છઃ કચ્છ મ્યુઝિયમમાં આવેલી એક લાકડાની પ્રતિકૃતિ કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ બનાવે છે. કચ્છ મ્યુઝિયમમાં આવેલી ઇન્દ્ર દેવના વાહન ઐરાવત હાથીની (Airavat Elephant of Kutch Museum ) લાકડાની પ્રતિકૃતિ હજારો કિલોમીટર દૂર બે જિલ્લા અને ત્રણ ધર્મ સાથે સંકળાયેલ છે. આપણા ભારતમાં દરેક વિસ્તાર અને સમાજની પોતાની એક આગવી કળા અને પરંપરા હોય છે અને ઘણી વખત વિવિધ કળા પરંપરાઓ સાથે મળી સમાજો અને વિસ્તારો વચ્ચે સંબંધ બનાવે છે. આવી જ રીતે ભુજ ખાતે આવેલ કચ્છ મ્યુઝિયમમાં સફેદ હાથીની એક વિશાળ પ્રતિકૃતિ દર્શકોનું સ્વાગત કરે છે.

ક્યૂરેટર દ્વારા ઐરાવત પ્રતિકૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી

20મી સદીમાં કેરળ રાજ્યના કોચીનમાં બની હતી

સામાન્ય વ્યક્તિને આ પ્રતિકૃતિ વધુમાં વધુ ફક્ત કોતરણીકામ અને ચિત્રકળાનું એક સુંદર નમૂનો લાગે. ઇન્દ્રદેવનું વાહન (Indradev ride Airavat Hathi ) મનાતા ઐરાવત હાથીની (Airavat Elephant of Kutch Museum ) આ પ્રતિકૃતિ 20મી સદીમાં કેરળ રાજ્યના કોચીનમાં બની હતી. આ પ્રતિકૃતિ 2300 કિલોમીટર દૂર બે અલગ અલગ વિસ્તારો વચ્ચે સંબંધ ધરાવે છે. ત્યાંથી આ પ્રતિકૃતિ કચ્છના માંડવી ખાતે આવી હતી અને અહીંના શાંતિનાથ જૈન દેરાસરમાં (Mandvi Shantinath Derasar ) રાખવામાં આવી હતી. માંડવીના આ દેરાસરમાં ધાર્મિક રેલીઓ વખતે આ લાકડાની પ્રતિકૃતિને પણ સાથે લઈ જવામાં આવતી હતી.

કચ્છ મ્યુઝિયમે માંડવીના દેરાસર પાસેથી ખરીદી હતી ઐરાવત હાથીની પ્રતિકૃતિ
કચ્છ મ્યુઝિયમે માંડવીના દેરાસર પાસેથી ખરીદી હતી ઐરાવત હાથીની પ્રતિકૃતિ

હાથી પર રંગબેરંગી કચ્છી કમાંગણી ચિત્રકામ કરવામાં આવ્યું છે

આ પ્રતિકૃતિ અંગે વાતચીત કરતા કચ્છ મ્યુઝિયમના કયુરેટર શેફાલીકા અવસ્થીએ જણાવ્યું હતું કે, આ પ્રતિકૃતિ જે કોચીનમાં બનેલી છે અને આ પ્રતિકૃતિની ખાસિયત એ છે કે સફેદ રંગના હાથી પર (Airavat Elephant of Kutch Museum ) રંગબેરંગી કચ્છી કમાંગણી ચિત્રકામ કરવામાં આવ્યું છે. સંભવિતપણે કચ્છમાંથી કોઈએ કોચીનના કારીગરોને આ પ્રકારના ચિત્રકામ વાળી પ્રતિકૃતિ બનાવવા ઓર્ડર આપવામાં આવ્યું હોય અથવા તો કોચીનમાં ફક્ત મૂર્તિ બની હોય અને કચ્છમાં લાવ્યા બાદ તેના પર ચિત્રકામ કરવામાં આવ્યું હોય.

આ પણ વાંચોઃ Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

આ પ્રતિકૃતિનો દરિયા સાથે ખાસ સંબંધ છે: કયુરેટર

કચ્છ મ્યુઝિયમના કયુરેટર શેફાલિકા અવસ્થીએ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ મુજબ ઐરાવત હાથીનું સર્જન સમુદ્રમંથનમાંથી થયું હતું. આ પ્રતિકૃતિને (Airavat Elephant of Kutch Museum ) પાણી અને દરિયા સાથે એક ખાસ સંબંધ છે. ઉપરાંત આ પ્રતિકૃતિ જ્યાં બની છે તે કોચીન દરિયાકિનારે આવેલું છે. તેના બાદ માંડવી લાવવામાં આવી તે પણ દરિયાકિનારે છે. હાલમાં કચ્છ મ્યુઝિયમ પણ હમીરસર તળાવના કિનારે આવેલું છે અને મ્યુઝિયમની અંદર આ પ્રતિકૃતિને એવી રીતે મૂકવામાં આવી છે કે હાથીનું મુખ માંડવી તરફની દિશામાં હોતાં તે દરિયા તરફ નજર કરી રહી છે તેથી આ પ્રતિકૃતિને દરિયા સાથે સંબંધ છે તેમ કહી શકાય.

આ પણ વાંચોઃ જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે...

ભારત સરકારે બહાર પાડી છે આ ઐરાવત હાથીની પ્રતિકૃતિ દર્શાવતી પોસ્ટ ટિકિટ

ઉલ્લેખનીય છે કે આ પ્રતિકૃતિ અનેક રીતે અનોખી હોતાં કચ્છ મ્યુઝિયમ દ્વારા 1975માં આને ખરીદીને મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી. 1977માં કચ્છ મ્યુઝિયમના 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે ભારત સરકાર દ્વારા આ ઐરાવત હાથીની (Airavat Elephant of Kutch Museum ) પ્રતિકૃતિ દર્શાવતી પોસ્ટ ટિકિટ (airavat elephant post ticket) પણ બહાર પાડવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.