નડિયાદના કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરમાં ઍપાર્ટમેન્ટનો બ્લોક રાત્રીના સમયે અચાનક ધરાશાયી થયો હતો. બ્લોક ધરાશાયી થતા કાટમાળ નીચે અનેક લોકો દબાયા હતા. જેમાંથી 4 લોકોના મૃત્યુ અને 5 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિકો દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મોડી રાત સુધી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ધરાશાયી એપાર્ટમેન્ટના બ્લોકની ઇમારત જૂની છે. જેનું વર્ષો પહેલા બાંધકામ થયેલું છે. શહેર સહીત જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઇમારત અચાનક ધરાશાયી થઇ હતી.