નાગરિકતા સંશોધન કાયદાને લઈને હવે વ્યાપક પણે વિરોધ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી કાયદાના વિરોધમાં અનેક લોકો અને સંગઠન બહાર આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં સર્વ સમાજના લોકોએ એકઠા થઈને નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો હતો.
દિવાન ચોકમાં એકઠા થયેલા લોકોએ આ બિલને ચોક્કસ ધર્મના લોકો વિરુદ્ધનું ગણાવીને તેને ફગાવી દીધું હતું અને વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બિનસાંપ્રદાયિકતાની પાયા પર નિર્માણ પામેલા ભારત જેવાં દેશમા કોઈ એક ધર્મને લઈને કાયદો બને તે ક્યારેય સાંખી લેવાય તેમ નથી.
તેમજ ભારતનું બંધારણ પણ સર્વે ધર્મ સમભાવના આશય સાથે બનાવવામાં આવ્યું છે અને તેનો અમલ પણ થતો આવ્યો છે, ત્યારે નાગરિકતા સંશોધન બિલ ભારતની ધાર્મિક એકતાને તોડી પાડનાર તેમજ ધર્મ ધર્મ અને કોમ વચ્ચે વિખવાદ ઊભો કરનારું આ બિલને તાકીદે સરકાર પરત લે તેવી માંગ અને સૂત્રોચ્ચાર સાથે પ્રતિક ધરણાં કર્યા હતા.