- ઈટીવી ભારતના દર્શકો માટે પરિક્રમા માર્ગના દર્શનનો વિશેષ અહેવાલ
- પરિક્રમાના માર્ગો પરિક્રમાર્થીઓ વિના બન્યા સુમસામ
- જ્યાં લાખોની હાજરી જોવા મળતી હતી તે માર્ગો આજે ખાલીખમ
- કોરોના સામે તકેદારી રાખતા પરિક્રમાર્થીઓના નહીં આવવાના નિર્ણયને નાગા સંન્યાસીઓ પણ વધાવ્યો
- ઈટીવી ભારતના દર્શકો માટે પરિક્રમા માર્ગના પાવનકારી દર્શનનો લાભ
જૂનાગઢ: કોરોના સંક્રમણને કારણે પરિક્રમા રદ કરવામાં આવી છે, ત્યારે ઈટીવી ભારતના દર્શકો માટે આ ખાસ વિશેષ અહેવાલ લઈને આવ્યા છીએ. પરિક્રમા માર્ગનું દર્શન કરીને પણ પરિક્રમા જેટલું જ પુણ્ય મળે છે, ત્યારે ઈટીવી ભારતે તેમની સામાજિકની સાથે ધાર્મિક ભાવનાઓ અને જવાબદારીને અગ્રતા આપીને પરિક્રમા માર્ગ પર દર વર્ષે પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ પરિક્રમા માર્ગના અને ગીરનારના દર્શન કરે તે માટે અમે અમારા દર્શકો માટે પરિક્રમા રૂટ પરથી વિશેષ અહેવાલ લઈને આજે આવ્યા છીએ.
પરિક્રમાર્થીઓ વિના આજે માર્ગો બન્યા સૂમસામ
કોરોના સંક્રમણમાં પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા રાજ્ય સરકારે રદ કરી છે, ત્યારે જે માર્ગો પર ગત વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ જોવા મળતા હતા, તે માર્ગો આજે પરિક્રમાર્થીઓ વિના સુમસામ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે આજ માર્ગો પર જ્યા નજર કરો ત્યા માત્ર માનવ મહેરામણ શિવાય કશું નજરે પડતું ન હતું, ત્યારે આ વર્ષે તેનાથી બિલકુલ વિપરીત દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યારે પરિક્રમા પથ આજે ભાવિકો વિના ખાલીખમ જોવા મળી રહ્યા છે.
પરિક્રમાર્થીઓના નિર્ણયને નાગા સંન્યાસીઓએ પણ વધાવ્યો
કોરોનાને કારણે સરકારે પરિક્રમા રદ્દ કરી છે, ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારીની ગંભીરતા સમજીને સરકાર અને પ્રશાસનના નિર્ણયની સાથે પરિક્રમાર્થીઓ જે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે, તેને લઈને ભવનાથના નાગા સંન્યાસીઓ પણ પરિક્રમાર્થીઓના નિર્ણયને વધાવી રહ્યા છે, તેઓ જણાવી રહ્યા છે કે લોકોએ જે સમજદારી દાખવી છે તે ભૂલી શકાય તેમ નથી, આવી વૈશ્વિક મહામારીમાં લોકોએ જે ધીરજ અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેને સમગ્ર સાધુ સમાજને નાગા સંન્યાસીઓ પણ આવકારી રહ્યા છે.