જ્યારે ચણાના પાક પર કમોસમી વરસાદ વરસતાં ઉપરથી આ ચણાનું ધોવાણ થતાં ખારાશ ધોવાઇ જતાં ચણાના પાકનેપણ ભારે નુકસાનની શક્યતા સેવાઇ રહી છે અને ચણામાં આવતાં ફુલો અને ચણાના ડોડવાપણ ખરી જવાની હકીકત સામે આવી છે.
આ ઉપરાંત મગફળીમાં ખેડૂતોએ નુકસાની ભોગવવી પડી છે. પરંતુ હવે ઘંઉ, ચણા, ધાણા, જીરૂં સહિતના પાકને પણ ભારે નુકસાની થવાથી જગતનો તાત ભારે ચિંતામાં મૂકાયો છે અને સરકાર પાસે ફરીવાર સર્વે થાય તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
માંગરોળ તાલુકામાં તેમજ માળીયા હાટીના સહિત દરીયાઇ પટીના અનેક વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ બંધાયું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ માંગરોળ તેમજ માળીયા હાટીના સહિતના દરિયાઇ પટીમાં ક્યાંક ઝાપટાં તો, ક્યાંક ધોધમાર વરસાદ પડયો હતો અને ખેડૂતોમાં ચીંતાનુ મોજુ ફરી વળ્યું હતું.