ETV Bharat / state

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની ખેડૂતોમાં વધી માગ

જૂનાગઢ: શહેરમાં આવેલી કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની ખેડૂતોમાં ભારે માગ જોવા મળી છે. જેમાં મગફળી, તુવેર તેમજ ચણા સહિતના બિયારણને લઈને ખેડૂતોમાં માગ જોવા મળી રહી છે. પરંતુ આ બિયારણો દરેક ખેડૂત સુધી પહોંચી શકતા નથી. જેને લઈને યુનિવર્સિટી બિયારણનું વધુ ઉત્પાદન થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યાં છે.

author img

By

Published : May 17, 2019, 5:27 PM IST

Junagadh

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્તરે બિયારણનું ઉત્પાદન છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. જેમાં વખતો વખતના સંશોધનો અને અખતરા બાદ સારી જાતનું બિયારણ ખેડૂતોને મળે તેના માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઘણા વર્ષોથી કામ કરી રહી છે. જેમાં તેને ભારે સફળતા પણ મળી રહી છે. દર વર્ષે સુધારેલી જાતોના બિયારણનું સફળતાપૂર્વક ખેડૂતોને વેચાણ કરીને ખેડૂતોને આવક અને સારો પાક મળી રહે તે દિશામાં યુનિવર્સિટી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની ખેડૂતોમાં વધી માગ

ગાંધીનગર નજીકથી શુક્રવારે પકડાયેલા નકલી બિયારણને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તો સામા પક્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની માગમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી, તુવેર, સોયાબીન અને ઘઉં જેવા પાકોના સંશોધન બાદ બિયારણો બજારમાં મુકવામાં આવી રહ્યા છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણો સફળતાપૂર્વક અને સંશોધનને અંતે બહાર પાડવામાં આવે છે. જેને લઇને ખેડૂતો ચિંતામુક્ત બનીને બિયારણની ખરીદી કરતા હોય છે. દર વર્ષે 1000 કરતાં વધુ ખેડૂતોને બિયારણનો લાભ મળે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનું ઉત્પાદન કરવામાં આવતું નથી. આ બિયારણ ખેડૂતોના લાભાર્થે વેચાણ માટે મૂકવામાં આવે છે, જેને લઈને દર વર્ષે 1000 જેટલા ખેડૂતોને આ બિયારણનો વહેલા તે પહેલા ધોરણે લાભ મળે છે. ઘણા ખેડૂતો એવા છે કે, યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણનું તેમના ખેતરમાં વાવેતર કરવા તો ઈચ્છે છે, પરંતુ બિયારણ નહિ મળતા તેઓ નાસીપાસ થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનું ઉત્પાદન થતું ન હોવાને કારણે દરેક ખેડૂતની આશા ફળીભૂત થતી નથી. માટે ખેડૂતો માની રહ્યાં છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનું ઉત્પાદન કરે અને તેનો લાભ રાજ્યના અને દેશના ખેડૂતોને મળવા પાત્ર બની રહે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દેશની એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે, જે ખેડૂતોને બિયારણ સબસીડી આપે છે. દેશમાં કૃષિને લગતી અનેક યુનિવર્સિટી અને સંસ્થા કામ કરી રહી છે, પરંતુ ખેડૂતોને બિયારણમાં સબસીડી આપતી એકમાત્ર યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. માટે ખેડૂતો એના બિયારણ પર વિશેષ ભાર મૂકે છે. પરંતુ યુનિવર્સિટીની કેટલીક મર્યાદાઓને કારણે દરેક ખેડૂતને આનો લાભ મળતો નથી, જેનો ખેડૂતોમાં આજે પણ વસવસો જોવા મળે છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્તરે બિયારણનું ઉત્પાદન છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. જેમાં વખતો વખતના સંશોધનો અને અખતરા બાદ સારી જાતનું બિયારણ ખેડૂતોને મળે તેના માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઘણા વર્ષોથી કામ કરી રહી છે. જેમાં તેને ભારે સફળતા પણ મળી રહી છે. દર વર્ષે સુધારેલી જાતોના બિયારણનું સફળતાપૂર્વક ખેડૂતોને વેચાણ કરીને ખેડૂતોને આવક અને સારો પાક મળી રહે તે દિશામાં યુનિવર્સિટી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની ખેડૂતોમાં વધી માગ

ગાંધીનગર નજીકથી શુક્રવારે પકડાયેલા નકલી બિયારણને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તો સામા પક્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની માગમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી, તુવેર, સોયાબીન અને ઘઉં જેવા પાકોના સંશોધન બાદ બિયારણો બજારમાં મુકવામાં આવી રહ્યા છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણો સફળતાપૂર્વક અને સંશોધનને અંતે બહાર પાડવામાં આવે છે. જેને લઇને ખેડૂતો ચિંતામુક્ત બનીને બિયારણની ખરીદી કરતા હોય છે. દર વર્ષે 1000 કરતાં વધુ ખેડૂતોને બિયારણનો લાભ મળે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનું ઉત્પાદન કરવામાં આવતું નથી. આ બિયારણ ખેડૂતોના લાભાર્થે વેચાણ માટે મૂકવામાં આવે છે, જેને લઈને દર વર્ષે 1000 જેટલા ખેડૂતોને આ બિયારણનો વહેલા તે પહેલા ધોરણે લાભ મળે છે. ઘણા ખેડૂતો એવા છે કે, યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણનું તેમના ખેતરમાં વાવેતર કરવા તો ઈચ્છે છે, પરંતુ બિયારણ નહિ મળતા તેઓ નાસીપાસ થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનું ઉત્પાદન થતું ન હોવાને કારણે દરેક ખેડૂતની આશા ફળીભૂત થતી નથી. માટે ખેડૂતો માની રહ્યાં છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનું ઉત્પાદન કરે અને તેનો લાભ રાજ્યના અને દેશના ખેડૂતોને મળવા પાત્ર બની રહે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દેશની એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે, જે ખેડૂતોને બિયારણ સબસીડી આપે છે. દેશમાં કૃષિને લગતી અનેક યુનિવર્સિટી અને સંસ્થા કામ કરી રહી છે, પરંતુ ખેડૂતોને બિયારણમાં સબસીડી આપતી એકમાત્ર યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. માટે ખેડૂતો એના બિયારણ પર વિશેષ ભાર મૂકે છે. પરંતુ યુનિવર્સિટીની કેટલીક મર્યાદાઓને કારણે દરેક ખેડૂતને આનો લાભ મળતો નથી, જેનો ખેડૂતોમાં આજે પણ વસવસો જોવા મળે છે.

Intro:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તુવેર ચણા મગફળી સહિતના બિયારણ ની ખેડૂતોમાં માંગ પરંતુ અજમાયશી ધોરણે બિયારણ નું ઉત્પાદન કરવામાં આવે છે


Body:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની ખેડૂતોમાં જોવા મળી ભારે માંગ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત મગફળી તુવેર ચણા સહિતના બિયારણ ને લઈને ખેડૂતોમાં ભારે માગ જોવા મળી રહ્યો છે પરંતુ અજમાયશી ધોરણે ઉત્પાદન ઉત્પાદિત થતા બિયારણો દરેક ખેડૂત સુધી પહોંચી નથી શકતું જેને લઇને યુનિવર્સિટી બિયારણ નુ વધુ ઉત્પાદન થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્તરે બિયારણ નું ઉત્પાદન છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે વખતો વખતના સંશોધનો અને અખતરા બાદ સારી જાતનું બિયારણ ખેડૂતોને મળે તેના માટે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ઘણા વર્ષોથી કામ કરી રહી છે જેમાં તેને ભારે સફળતા પણ મળી રહી છે દર વર્ષે સુધારેલી જાતોના બિયારણ નુ સફળતાપૂર્વક ખેડૂતોને વેચાણ કરીને ખેડૂતોની આવક અને સારો પાક મળી રહે તે દિશામાં યુનિવર્સિટી દ્વારા કામ કરવામાં આવી રહ્યુ છે

ગઈકાલે ગાંધીનગર નજીકથી પકડાયેલા ડુપ્લિકેટ બિયારણ ને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે તો સામા પક્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની માંગમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી તુવેર સોયાબિન અને ઘઉં જેવી પાકો ના સંશોધન બાદ બિયારણો બજારમાં મુકવામાં આવી રહ્યા છે કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણો સફળતાપૂર્વક અને સંશોધનને અંતે બહાર પાડવામાં આવે છે જેને લઇને ખેડૂતો ચિંતા મુક્ત બનીને બિયારણની ખરીદી કરતા હોય છે પરંતુ દર વર્ષે એક હજાર કરતાં વધુ ખેડૂતોને બિયારણનો લાભ મળે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણનો ઉત્પાદન કરવામાં આવતું નથી પરંતુ સંશોધનના અંતે પ્રાપ્ત થાય છે તેને ખેડૂતોના લાભાર્થે વેચાણ મૂકવામાં આવે છે જેને લઈને દર વર્ષે 1000 જેટલા ખેડૂતોને આ બિયારણનો વહેલા તે પહેલા ધોરણે લાભ મળે છે જેને કારણે ઘણા ખેડૂતો એવા છે કે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણનું તો તેમના ખેતરમાં વાવેતર કરવા ઈચ્છે છે પરંતુ બિયારણ નહિ મળતા તેઓ નાસીપાસ થાય છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણ નું ઉત્પાદન થતું ન હોવાને કારણે દરેક ખેડૂત ની આશા ફળીભૂત થતી નથી માટે ખેડૂતો માની રહ્યા છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યાપારિક ધોરણે બિયારણ નું ઉત્પાદન કરે અને તેનો લાભ રાજ્યના અને દેશના ખેડૂતોને મળે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દેશની એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે જે ખેડૂતોને બિયારણ સબસિડી આપે છે.દેશમાં અનેક કૃષિને લગતી યુનિવર્સિટીઓ અને સંસ્થા કામ કરી રહી છે પરંતુ ખેડૂતોને બિયારણમાં સબસીડી આપતી એકમાત્ર યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે માટે ખેડૂતો એના બિયારણ પર વિશેષ ભાર મૂકે છે પરંતુ યુનિવર્સિટી ની મર્યાદાઓ ને લઈને બિયારણના વેપારી ધોરણે ઉત્પાદન થતું નથી માટે દરેક ખેડૂતને આનો લાભ મળતો નથી જેનો ખેડૂતોમાં આજે પણ વસવસો જોવા મળે છે

બાઈટ 1 વી.જે ભાટીયા અધ્યક્ષ મેગા સીડ પ્રોજેક્ટ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી


Conclusion:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વ્યાપારિક ધોરણે ઘઉં મગફળી ચણા તુવેર સહિતના કૃષિ પાકોના બિયારણનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરે તો ખેડૂતોને સારો લાભ મળી શકે તેમ છે તેમજ બજારમાં જ ડુપ્લીકેટ બિયારણોની ભરમાર ચાલી રહી છે તેના પર કાબૂ મેળવી શકવામાં રાજ્ય સરકાર અને યુનિવર્સિટીને સફળતા મળે તેવા ઉજળા સંજોગો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.