જૂનાગઢઃ ગિરનારમાં જેમ-જેમ શિવરાત્રીનો દિવસ નજીક આવતો જાય છે. તેમ-તેમ ભવનાથની ગિરિ તળેટી ધીરે ધીરે શિવમય બનતી હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભવનાથ તળેટી હર હર મહાદેવ જય ભવનાથ અને જય ગિરનારીના નામથી અખાડાઓ પણ શિવમય બનતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ નાગા સંન્યાસીઓ પણ હવે ધૂણા ધખાવીને અલખ નિરંજનના નામથી નવપલ્લિત બનતા જાય છે. જેમ-જેમ શિવરાત્રીનો દિવસ નજીક આવતો જાય છે. તેમ-તેમ સમગ્ર ગિરિ તળેટી અને શિવના સૈનિકો ભગવાન ભોળાનાથ તરફ એક કદમ આગળ વધતા હોય તેવા ધાર્મિક દ્રશ્યોની વચ્ચે મહાશિવરાત્રીનો માહોલ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધતો હોય તેવું લાગી રહ્યું છે.
ભવનાથની તળેટી બની રહી છે શિવમય, બમ-બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા - હર-હર મહાદેવ
જૂનાગઢમાં ભવનાથ તળેટી હવે ધીરે-ધીરે શિવમય બનતી જોવા મળી રહી છે. અહીં શિવની સાથે અસલ ભાતીગળ મેળાના રંગો પણ પથરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર ગિરી તળેટી હર-હર મહાદેવ અને બમ-બમ ભોલેના નાદથી ગુંજી ઊઠી છે.
![ભવનાથની તળેટી બની રહી છે શિવમય, બમ-બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા ભવનાથના શિવરાત્રી મેળાની રંગત જામી રહી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6120554-thumbnail-3x2-jnd.jpg?imwidth=3840)
જૂનાગઢઃ ગિરનારમાં જેમ-જેમ શિવરાત્રીનો દિવસ નજીક આવતો જાય છે. તેમ-તેમ ભવનાથની ગિરિ તળેટી ધીરે ધીરે શિવમય બનતી હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભવનાથ તળેટી હર હર મહાદેવ જય ભવનાથ અને જય ગિરનારીના નામથી અખાડાઓ પણ શિવમય બનતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ નાગા સંન્યાસીઓ પણ હવે ધૂણા ધખાવીને અલખ નિરંજનના નામથી નવપલ્લિત બનતા જાય છે. જેમ-જેમ શિવરાત્રીનો દિવસ નજીક આવતો જાય છે. તેમ-તેમ સમગ્ર ગિરિ તળેટી અને શિવના સૈનિકો ભગવાન ભોળાનાથ તરફ એક કદમ આગળ વધતા હોય તેવા ધાર્મિક દ્રશ્યોની વચ્ચે મહાશિવરાત્રીનો માહોલ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધતો હોય તેવું લાગી રહ્યું છે.