ETV Bharat / state

Junagadh damodar kund : દામોદર કુંડમાં ધાર્મિક વિધિ માટે પરિવાર સાથે આવેલ બાળકનું ડૂબી જવાથી થયું મોત, પરિવારમાં શોકનો માહોલ - Junagadh damodar kund child death

જૂનાગઢ શહેરના તીર્થક્ષેત્ર દામોદર કુંડમાં આજે વિધિ કરાવવા માટે આવેલા કિકાણી પરિવારના બાળકનું ડૂબી જવાથી મોત થતા, શહેરમાં ગમગીની ફેલાઈ જવા પામી છે. તો બીજી તરફ સત્યમ એપાર્ટમેન્ટ માંથી કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા પોલીસે ધોરણસર ની કાર્યવાહી શરૂ કરી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 13, 2023, 10:29 PM IST

જૂનાગઢ : ભવનાથ તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં આજે ધાર્મિક વિધિ કરાવવા માટે આવેલા કિકાણી પરિવારના બાળકનું દામોદર કુંડમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. અચાનક દામોદર કુંડમાં ડૂબેલા હેત કિકાણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કરતા શહેરમાં શોકની લાગણી જોવા મળી હતી.

સત્યમ એપાર્ટમેન્ટ માંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો : ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ સત્યમ એપાર્ટમેન્ટ માંથી 60 વર્ષીય વૃદ્ધા શીલાબેન નાઢાનો મૃતદેહ મળી આવ્યો છે. એપાર્ટમેન્ટ એકદમ જર્જરીત થયું હોવાને કારણે મનપા દ્વારા ખાલી કરાવ્યું હતું. પરંતુ એકલવાયું જીવન જીવતા શીલાબેન નાઢા તેમના મકાનમાં હતા ત્યારે તેમનું અચાનક મોત થઈ ગયું હશે જેને કારણે મૃતદેહ કોહવાયેલી હાલતમાં જોવા મળતો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દામોદર કુંડમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું : પંદર દિવસ પૂર્વે દામોદર કુંડ ખાતે ધાર્મિક વિધિ કરાવવા માટે આવેલા અન્ય એક પરિવારના બાળકનો પણ દામોદર કુંડમાં ડૂબી જવાને કારણે મોત થયું હતું. ત્યારે આજે પંદર દિવસમાં બીજી વખત બાળકનું દામોદર કુંડમાં ડૂબી જવાથી મોત થયું છે. જેને કારણે શહેરમાં ખૂબ જ ગમગીની જોવા મળી છે. અધિક મહિનો હોવાને કારણે દામોદર કુંડમાં ભાવિકોનો ખૂબ મોટો પ્રવાહ આવી રહ્યો છે. જેને કારણે આ વર્ષે અકસ્માતની બીજી ઘટના ઘટી છે.

  1. Jharkhand News : ઝારખંડમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત, પરિવારમાં છવાયો માતમ
  2. Uttar Pradesh Crime News : સુલતાનપુરમાં બાળકો સામે થઇ માતાની હત્યા, કલાકો સુધી મૃતદેહ સાથે બેઠો રહ્યો હત્યારો પતિ

જૂનાગઢ : ભવનાથ તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં આજે ધાર્મિક વિધિ કરાવવા માટે આવેલા કિકાણી પરિવારના બાળકનું દામોદર કુંડમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. અચાનક દામોદર કુંડમાં ડૂબેલા હેત કિકાણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કરતા શહેરમાં શોકની લાગણી જોવા મળી હતી.

સત્યમ એપાર્ટમેન્ટ માંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો : ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ સત્યમ એપાર્ટમેન્ટ માંથી 60 વર્ષીય વૃદ્ધા શીલાબેન નાઢાનો મૃતદેહ મળી આવ્યો છે. એપાર્ટમેન્ટ એકદમ જર્જરીત થયું હોવાને કારણે મનપા દ્વારા ખાલી કરાવ્યું હતું. પરંતુ એકલવાયું જીવન જીવતા શીલાબેન નાઢા તેમના મકાનમાં હતા ત્યારે તેમનું અચાનક મોત થઈ ગયું હશે જેને કારણે મૃતદેહ કોહવાયેલી હાલતમાં જોવા મળતો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દામોદર કુંડમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું : પંદર દિવસ પૂર્વે દામોદર કુંડ ખાતે ધાર્મિક વિધિ કરાવવા માટે આવેલા અન્ય એક પરિવારના બાળકનો પણ દામોદર કુંડમાં ડૂબી જવાને કારણે મોત થયું હતું. ત્યારે આજે પંદર દિવસમાં બીજી વખત બાળકનું દામોદર કુંડમાં ડૂબી જવાથી મોત થયું છે. જેને કારણે શહેરમાં ખૂબ જ ગમગીની જોવા મળી છે. અધિક મહિનો હોવાને કારણે દામોદર કુંડમાં ભાવિકોનો ખૂબ મોટો પ્રવાહ આવી રહ્યો છે. જેને કારણે આ વર્ષે અકસ્માતની બીજી ઘટના ઘટી છે.

  1. Jharkhand News : ઝારખંડમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત, પરિવારમાં છવાયો માતમ
  2. Uttar Pradesh Crime News : સુલતાનપુરમાં બાળકો સામે થઇ માતાની હત્યા, કલાકો સુધી મૃતદેહ સાથે બેઠો રહ્યો હત્યારો પતિ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.