ETV Bharat / state

જામનગરથી વધુ એક શ્રમિક ટ્રેન દાનાપુર જવા રવાના, અંદાજે 1600 શ્રમિકોને બિહાર મોકલાયા

author img

By

Published : May 20, 2020, 8:22 PM IST

જામનગરથી વધુ એક શ્રમિક ટ્રેન દાનાપુર જવા રવાના થઇ હતી. વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા અંદાજે 1600 શ્રમિકોને બિહાર મોકલાયા.

શ્રમિક ટ્રેન
શ્રમિક ટ્રેન

જામનગર: શહેરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્વિમ રેલ્વેના સહયોગથી યુ.પી., બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા આજ રોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે 1600 જેટલા પરપ્રાંતિય મજુરોને અને તેમના પરિવારને બિહાર-દાનાપુર ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજ રોજ જામનગરથી 12મી ટ્રેન મોકલવામાં આવી છે.

ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગને ધ્યાને રાખીને શ્રમિકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.

આ ટ્રેનમાં કુલ 22 કોચ અને 1 આગળ તથા 1 પાછળ એસ.એલ.આર. કોચ જોડવામાં આવ્યો છે. રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનિટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.

જામનગર: શહેરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્વિમ રેલ્વેના સહયોગથી યુ.પી., બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા આજ રોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે 1600 જેટલા પરપ્રાંતિય મજુરોને અને તેમના પરિવારને બિહાર-દાનાપુર ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજ રોજ જામનગરથી 12મી ટ્રેન મોકલવામાં આવી છે.

ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગને ધ્યાને રાખીને શ્રમિકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.

આ ટ્રેનમાં કુલ 22 કોચ અને 1 આગળ તથા 1 પાછળ એસ.એલ.આર. કોચ જોડવામાં આવ્યો છે. રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનિટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.