જામનગરઃ આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ તથા રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ભારત સરકારના આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ હોમિયોપેથી અને આયુર્વેદ ડોક્ટરોની ટીમ દ્વરા ત્યાર કરેલી "IMMUNITY BOOSTER KIT"નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

કોરોના જેવી મહામારીથી આખું વિશ્વ ભય હેઠળ છે. ત્યારે આપણી હજારો વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ દ્વારા કોરોના જેવા વાઈરસ સામે રક્ષણ મેળવવા માટેની ઘણી બધી આયુર્વેદ દવા તથા હોમીયોપેથી દવા ઉપલબ્ધ છે. લોકોની રોગપ્રતિકારકશક્તિ જળવાઇ રહે તે હેતુથી લોકઆર્યુવેદ અને કે.ડી.ફાર્મા દ્વારા હોમીયોપેથી અને આયુર્વેદિક કીટ બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.