ETV Bharat / state

જોડિયાના બાલંભામાં ખેલાયો ખૂની ખેલ, ઉપસરપંચની ગોળી મારી કરાઈ હત્યા - Crime News

જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ગ્રામ પંચાયતની કચેરીમાં 4 જેટલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જૂની અદાવતને લઈને ઉપસરપંચની હત્યા કરી હતી.

જોડિયાના બાલભામાં ખેલાયો ખૂની ખેલ, ઉપસરપંચની ગોળી મારી કરાઈ હત્યા
જોડિયાના બાલભામાં ખેલાયો ખૂની ખેલ, ઉપસરપંચની ગોળી મારી કરાઈ હત્યા
author img

By

Published : May 2, 2021, 1:22 PM IST

Updated : May 2, 2021, 1:33 PM IST

  • જોડિયાના બાલંભામાં ખેલાયો ખૂની ખેલ
  • બાલભામાં ઉપસરપંચની ગોળી મારી હત્યા કરાઈ
  • બાલંભા ગામમાં કરાયો હુમલો, જુની અદાવતમાં થયું ખૂન

જામનગર: જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ગ્રામ પંચાયતની કચેરીમાં 4 જેટલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઉપસરપંચને છાતીમાં ગોળી વાગવાથી સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું આ ઉપરાંત અન્ય એક યુવાન પર તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેેેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાલંભા ગામના જ બે નામચીન શખ્સો સહિતના 4 શખ્સોએ જુની અદાવતના કારણે મનદુ:ખ રાખી હિચકારો હુમલો કરાયાનું સામે આવ્યું છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સહિત પોલીસ ટુકડીએ નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

જોડિયાના બાલંભામાં ખેલાયો ખૂની ખેલ, ઉપસરપંચની ગોળી મારી કરાઈ હત્યા
જોડિયાના બાલંભામાં ખેલાયો ખૂની ખેલ, ઉપસરપંચની ગોળી મારી કરાઈ હત્યા

બાલંભા ગામ ખેલાયો ખૂની ખેલ

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બલંભા ગામમાં રહેતા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા બાલંભા ગામના ઉપસરપંચ કાંતિ લાલ રામજીભાઈ માલવિયા તેમજ નિલેશભાઈ કરસનભાઈ માલવિયા કે જેઓ સાંજે છ વાગ્યા આસપાસ ગ્રામ પંચાયતની કચેરીમાં બેઠા હતા. જે દરમિયાન બાલંભા ગામના જ બે નામચીન શખ્સો હુસેન કમોરા, તેમજ અયૂબ ઉર્ફે અયબો જૂસબ જ્સરાયા પોતાના અન્ય બે સાગરીતો સાથે ધસી આવ્યા હતા અને ખાનગી હથિયાર વડેે ફાયરિંગ કર્યું હતુ. ગામના ઉપસરપંચ કાંતિભાઈને છાતીમાં ગોળી વાગવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું

આ પણ વાંચો: જે હાથ પર રાખડી બાંધતી તે જ ભાઈના હાથે બહેનનું ખૂન

ખૂની હુમલામાં 4 શખ્સની સંડોવણી હોવાનું ખૂલ્યું

આ ઉપરાંત તેની સાથે જ બેઠેલા નિલેશભાઈ કરસનભાઈ માલવિયા પર તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ઇજ્જા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તંત્રને સમગ્ર બનાવની જાણ થતાં જામનગરની સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડી તેમજ જોડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા, તેમ જ ભાગી છૂટેલા 4 આરોપીઓને પકડી પાડવા માટે જોડીયા સહિત આસપાસના સમગ્ર પંથકમાં નાકાબંધી કરી હતી અને ગુનેગારોને પકડવા કાર્યવાહી શરૂ કરી હતી.

રેતી ચોરી મામલે અગાઉ થયો હતો ઝગડો

જુના મનદુઃખને કારણે આ હત્યા કરાઈ હોવાનું તેમજ ખૂની હુમલો કરાયાનું જાણવા મળ્યું છે. જે સમગ્ર બાબતે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે. આ બનાવને લઇને બાલંભા ગામમાં ભારે સૉંપો પડી ગયો છે.

  • જોડિયાના બાલંભામાં ખેલાયો ખૂની ખેલ
  • બાલભામાં ઉપસરપંચની ગોળી મારી હત્યા કરાઈ
  • બાલંભા ગામમાં કરાયો હુમલો, જુની અદાવતમાં થયું ખૂન

જામનગર: જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ગ્રામ પંચાયતની કચેરીમાં 4 જેટલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઉપસરપંચને છાતીમાં ગોળી વાગવાથી સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું આ ઉપરાંત અન્ય એક યુવાન પર તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેેેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાલંભા ગામના જ બે નામચીન શખ્સો સહિતના 4 શખ્સોએ જુની અદાવતના કારણે મનદુ:ખ રાખી હિચકારો હુમલો કરાયાનું સામે આવ્યું છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સહિત પોલીસ ટુકડીએ નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

જોડિયાના બાલંભામાં ખેલાયો ખૂની ખેલ, ઉપસરપંચની ગોળી મારી કરાઈ હત્યા
જોડિયાના બાલંભામાં ખેલાયો ખૂની ખેલ, ઉપસરપંચની ગોળી મારી કરાઈ હત્યા

બાલંભા ગામ ખેલાયો ખૂની ખેલ

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બલંભા ગામમાં રહેતા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા બાલંભા ગામના ઉપસરપંચ કાંતિ લાલ રામજીભાઈ માલવિયા તેમજ નિલેશભાઈ કરસનભાઈ માલવિયા કે જેઓ સાંજે છ વાગ્યા આસપાસ ગ્રામ પંચાયતની કચેરીમાં બેઠા હતા. જે દરમિયાન બાલંભા ગામના જ બે નામચીન શખ્સો હુસેન કમોરા, તેમજ અયૂબ ઉર્ફે અયબો જૂસબ જ્સરાયા પોતાના અન્ય બે સાગરીતો સાથે ધસી આવ્યા હતા અને ખાનગી હથિયાર વડેે ફાયરિંગ કર્યું હતુ. ગામના ઉપસરપંચ કાંતિભાઈને છાતીમાં ગોળી વાગવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું

આ પણ વાંચો: જે હાથ પર રાખડી બાંધતી તે જ ભાઈના હાથે બહેનનું ખૂન

ખૂની હુમલામાં 4 શખ્સની સંડોવણી હોવાનું ખૂલ્યું

આ ઉપરાંત તેની સાથે જ બેઠેલા નિલેશભાઈ કરસનભાઈ માલવિયા પર તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ઇજ્જા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તંત્રને સમગ્ર બનાવની જાણ થતાં જામનગરની સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડી તેમજ જોડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા, તેમ જ ભાગી છૂટેલા 4 આરોપીઓને પકડી પાડવા માટે જોડીયા સહિત આસપાસના સમગ્ર પંથકમાં નાકાબંધી કરી હતી અને ગુનેગારોને પકડવા કાર્યવાહી શરૂ કરી હતી.

રેતી ચોરી મામલે અગાઉ થયો હતો ઝગડો

જુના મનદુઃખને કારણે આ હત્યા કરાઈ હોવાનું તેમજ ખૂની હુમલો કરાયાનું જાણવા મળ્યું છે. જે સમગ્ર બાબતે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે. આ બનાવને લઇને બાલંભા ગામમાં ભારે સૉંપો પડી ગયો છે.

Last Updated : May 2, 2021, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.