ETV Bharat / state

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં કરાઈ રહ્યો છે જન સેવાનો યજ્ઞ

author img

By

Published : May 2, 2021, 12:43 PM IST

જામનગરમાં જી. જી. હોસ્પિટલમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી તથા રાજકોટના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સારવાર મેળવી રહ્યા છે. સંક્રમણ સામે કોરોનાના દર્દીઓના મહામૂલા પ્રાણ બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આવનાર દર્દીને તત્કાલિક બેડની સૂવિધા જો ઉપલબ્ધ ન થઈ શકે તેમ હોય તેવા સંજોગોમાં વેઈટિંગ દરમિયાન 108, ખાનગી એમ્બ્યુલન્સ અથવા કાર અને રિક્ષા જેવા વાહનોમાં જ દર્દીને ચેક કરીને જરૂરિયાતની સેવા પૂરી પાડવામાં આવે છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ
જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ

  • “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” દર્દીને વાહનમાં જ તાત્કાલિક સારવાર અપાય
  • પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ત્રણ વોર્ડ બનાવવામાં આવ્યા
  • "જનસેવા એ જ પ્રભુસેવા”ના મંત્રને ચરિતાર્થ કરતાં 200 સેવાકર્મીઓ

જામનગર : જી. જી. હોસ્પિટલમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી તથા રાજકોટના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સારવાર મેળવી રહ્યા છે. વધતા જતા સંક્રમણ સામે કોરોનાના દર્દીઓના મહામૂલા પ્રાણ બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ સુવિધાઓ-જરૂરિયાતોને પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ
જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ

દર્દીઓને સત્વરે સારવાર મળી તે માટે “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” શરૂ કરવામાં આવ્યું

ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આવનાર દર્દીને તત્કાલિક બેડની સૂવિધા જો ઉપલબ્ધ ન થઈ શકે તેમ હોય તેવા સંજોગોમાં વેઈટિંગ દરમિયાન 108, ખાનગી એમ્બ્યુલન્સ અથવા કાર અને રિક્ષા જેવા વાહનોમાં જ દર્દીને ચેક કરીને જરૂરિયાતની સેવા પૂરી પાડવામાં આવે છે.

પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ત્રણ વોર્ડ બનાવવામાં આવ્યા
જ્યારે પણ કોઈ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે ત્યારે સૌપ્રથમ તેને OPD માટે લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું નિદાન થાય ત્યારે તેને IPDમાં લઇ જવામાં આવે છે. IPD એટલે ઇન્ડોર પેશન્ટ, પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારબાદ ત્યાં ત્રણ ભાગ બનાવવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીઓ માટેનો વોર્ડ, ડેડિકેટેડ કોવિડ વોર્ડ, સિવીયર કોવિડ વોર્ડ હોય છે. જેમ-જેમ દર્દીની તબિયતમાં સુધારો થાય છે તેમ સંપૂર્ણ સ્વસ્થ થતા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવે છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ
જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ
જી.જી હોસ્પિટલ ખાતે સરેરાશ રોજ 300થી વધૂ પેશન્ટ દાખલ થઈ રહ્યાપ્રક્રિયા દરમિયાન ઘણા વેઈટિંગમાં રહેલા દર્દીઓના અનૂસંધાને કોરોના નોડલ ડૉ. એસ. એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે, કોવિડ સંક્રમણમાં ખૂબ વધારો થતાં જી.જી હોસ્પિટલ ખાતે સરેરાશ રોજ 300થી વધૂ પેશન્ટ દાખલ થઈ રહ્યા છે. ત્યારે ઘણા દર્દીઓએ હોસ્પિટલ ખાતે વેઇટિંગમાં બેથી ચાર કલાક સૂધી રહેવું પડતું હોય છે. પરંતુ આ દરમિયાન પણ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જામનગર જી.જી હોસ્પિટલ ખાતે આશરે 200 જેટલા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ, વાન, રિક્ષા કે પોતાના પ્રાઈવેટ વાહનમાં આવેલા દર્દીને તાત્કાલિક જ સારવાર ચાલુ કરી દેવામાં આવે છે. દર્દી ડૉક્ટર પાસે નામ લખાવે કે તુરંત જ તેનું ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવે છે.,જો ઓક્સિજન 90થી ઓછું હોય અથવા શ્વાસની તકલીફ હોય તો દર્દીને તાત્કાલિક ઓક્સિજન સિલિન્ડર અને નેઝલ માસ્ક હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે અને વાહનમાં જ તેની સારવાર ચાલુ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો :જામનગરમાં જી. જી. હોસ્પિટલ સામેની તમામ દુકાનો સીલ કરાઈ

સામાન્ય શરદી, તાવના દર્દીઓને તપાસવા માટે જૂની બિલ્ડીંગ પાસે અલગથી OPD ચાલૂ કરાયું

હોસ્પિટલ ખાતેની વ્યવસ્થાઓ અને દર્દીઓની સેવામાં કાર્યરત સ્ટાફ વિશેની માહિતી આપતા એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદીની દેસાઈએ કહ્યું હતું કે, હાલ હોસ્પિટલ ખાતે સામાન્ય શરદી, તાવના દર્દીઓને તપાસવા માટે જૂની બિલ્ડીંગ પાસે અલગથી OPD ચાલૂ કરવામાં આવી છે. જેના થકી દર્દીઓને સંક્રમિત વિસ્તારથી દૂર રાખી સારવાર આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલ ખાતે પેશન્ટનો ધસારો વધતા હાલ આઉટડોર દર્દીઓને સારવાર માટે 200 જેટલા ડૉક્ટર અને અન્ય સ્ટાફ દ્વારા તત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.

સારવાર માટે SRF ફોર્મ ભરવાની કામગીરી ખૂબ લાંબી પ્રક્રિયા

દર્દીઓની સારવાર માટે આવશ્યક SRF ફોર્મ ભરવાની કામગીરી ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે. જેના માટે પણ મેડિકલ કોલેજના અંદાજે 700થી વધૂ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ માટેની ફરજ બજાવી રહ્યા છે. આ મહામારીમાં દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં પણ દર્દી નારાયણની સેવા માટે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ખંભાળિયા અને મોરબી ખાતે મોકલી કાર્યરત કરવામાં આવ્યા છે. તદુપરાંત કોવિડ હોસ્પિટલમાં તબીબી શિક્ષકો અને 300 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર ખૂબ મોટા નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફ સાથે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં કરાઈ રહ્યો છે જન સેવાનો યજ્ઞ

આ પણ વાંચો :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી જામનગરની જી. જી. હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો લાવવામાં આવ્યો

દરરોજ 150 જેટલા દર્દીઓ સારવારથી સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ થઇ રહ્યા
એમ્બ્યુલન્સ કે પ્રાઈવેટ વાહનમાં જ દર્દીને તાત્કાલિક સારવાર આપી દર્દીને કોઇ પણ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ પ્રક્રિયાનો એક માત્ર ઉદ્દેશ્ય દર્દી નારાયણના પ્રાણ બચાવવાનો છે. કોઈપણ દર્દી ઓક્સિજન કે સારવારના અભાવના કારણે મૃત્યુ ન પામે તે માટે આઉટડોર પેશન્ટ માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રોજ હોસ્પિટલ ખાતે આશરે 300 જેટલા દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. 150 જેટલા દર્દીઓ સારવારથી સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. અત્યાર સુધી દવાઓ, વેન્ટિલેટર કે અન્ય કોઈપણ સારવારલક્ષી વસ્તુઓની અછત થઈ નથી. સરકાર તરફથી જી. જી. હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં દવા અને વેન્ટિલેટરનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે ડૉક્ટરો દ્વારા માત્રને માત્ર દર્દીઓના પ્રાણ બચાવવા માટે સતત જહેમત ઉઠાવવામાં આવે છે.

“જનસેવા એ જ પ્રભુસેવા”ના મંત્રને આ 200 સેવાકર્મીઓ દ્વારા ચરિતાર્થ કરાયા
જી. જી. હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ઉપરાંત આઉટડોરમાં રહેલા દર્દીઓને પણ સારવાર આપી ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ દ્વારા “જનસેવા એ જ પ્રભુસેવા”ના મંત્રને આ 200 સેવાકર્મીઓ દ્વારા ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે. દર્દીઓ દ્વારા પણ હોસ્પિટલની આ સેવાને બિરદાવવામાં આવી રહી છે.

  • “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” દર્દીને વાહનમાં જ તાત્કાલિક સારવાર અપાય
  • પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ત્રણ વોર્ડ બનાવવામાં આવ્યા
  • "જનસેવા એ જ પ્રભુસેવા”ના મંત્રને ચરિતાર્થ કરતાં 200 સેવાકર્મીઓ

જામનગર : જી. જી. હોસ્પિટલમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી તથા રાજકોટના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સારવાર મેળવી રહ્યા છે. વધતા જતા સંક્રમણ સામે કોરોનાના દર્દીઓના મહામૂલા પ્રાણ બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ સુવિધાઓ-જરૂરિયાતોને પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ
જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ

દર્દીઓને સત્વરે સારવાર મળી તે માટે “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” શરૂ કરવામાં આવ્યું

ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આવનાર દર્દીને તત્કાલિક બેડની સૂવિધા જો ઉપલબ્ધ ન થઈ શકે તેમ હોય તેવા સંજોગોમાં વેઈટિંગ દરમિયાન 108, ખાનગી એમ્બ્યુલન્સ અથવા કાર અને રિક્ષા જેવા વાહનોમાં જ દર્દીને ચેક કરીને જરૂરિયાતની સેવા પૂરી પાડવામાં આવે છે.

પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ત્રણ વોર્ડ બનાવવામાં આવ્યા
જ્યારે પણ કોઈ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે ત્યારે સૌપ્રથમ તેને OPD માટે લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું નિદાન થાય ત્યારે તેને IPDમાં લઇ જવામાં આવે છે. IPD એટલે ઇન્ડોર પેશન્ટ, પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારબાદ ત્યાં ત્રણ ભાગ બનાવવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીઓ માટેનો વોર્ડ, ડેડિકેટેડ કોવિડ વોર્ડ, સિવીયર કોવિડ વોર્ડ હોય છે. જેમ-જેમ દર્દીની તબિયતમાં સુધારો થાય છે તેમ સંપૂર્ણ સ્વસ્થ થતા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવે છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ
જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ
જી.જી હોસ્પિટલ ખાતે સરેરાશ રોજ 300થી વધૂ પેશન્ટ દાખલ થઈ રહ્યાપ્રક્રિયા દરમિયાન ઘણા વેઈટિંગમાં રહેલા દર્દીઓના અનૂસંધાને કોરોના નોડલ ડૉ. એસ. એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે, કોવિડ સંક્રમણમાં ખૂબ વધારો થતાં જી.જી હોસ્પિટલ ખાતે સરેરાશ રોજ 300થી વધૂ પેશન્ટ દાખલ થઈ રહ્યા છે. ત્યારે ઘણા દર્દીઓએ હોસ્પિટલ ખાતે વેઇટિંગમાં બેથી ચાર કલાક સૂધી રહેવું પડતું હોય છે. પરંતુ આ દરમિયાન પણ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જામનગર જી.જી હોસ્પિટલ ખાતે આશરે 200 જેટલા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ, વાન, રિક્ષા કે પોતાના પ્રાઈવેટ વાહનમાં આવેલા દર્દીને તાત્કાલિક જ સારવાર ચાલુ કરી દેવામાં આવે છે. દર્દી ડૉક્ટર પાસે નામ લખાવે કે તુરંત જ તેનું ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવે છે.,જો ઓક્સિજન 90થી ઓછું હોય અથવા શ્વાસની તકલીફ હોય તો દર્દીને તાત્કાલિક ઓક્સિજન સિલિન્ડર અને નેઝલ માસ્ક હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે અને વાહનમાં જ તેની સારવાર ચાલુ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો :જામનગરમાં જી. જી. હોસ્પિટલ સામેની તમામ દુકાનો સીલ કરાઈ

સામાન્ય શરદી, તાવના દર્દીઓને તપાસવા માટે જૂની બિલ્ડીંગ પાસે અલગથી OPD ચાલૂ કરાયું

હોસ્પિટલ ખાતેની વ્યવસ્થાઓ અને દર્દીઓની સેવામાં કાર્યરત સ્ટાફ વિશેની માહિતી આપતા એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદીની દેસાઈએ કહ્યું હતું કે, હાલ હોસ્પિટલ ખાતે સામાન્ય શરદી, તાવના દર્દીઓને તપાસવા માટે જૂની બિલ્ડીંગ પાસે અલગથી OPD ચાલૂ કરવામાં આવી છે. જેના થકી દર્દીઓને સંક્રમિત વિસ્તારથી દૂર રાખી સારવાર આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલ ખાતે પેશન્ટનો ધસારો વધતા હાલ આઉટડોર દર્દીઓને સારવાર માટે 200 જેટલા ડૉક્ટર અને અન્ય સ્ટાફ દ્વારા તત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.

સારવાર માટે SRF ફોર્મ ભરવાની કામગીરી ખૂબ લાંબી પ્રક્રિયા

દર્દીઓની સારવાર માટે આવશ્યક SRF ફોર્મ ભરવાની કામગીરી ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે. જેના માટે પણ મેડિકલ કોલેજના અંદાજે 700થી વધૂ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ માટેની ફરજ બજાવી રહ્યા છે. આ મહામારીમાં દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં પણ દર્દી નારાયણની સેવા માટે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ખંભાળિયા અને મોરબી ખાતે મોકલી કાર્યરત કરવામાં આવ્યા છે. તદુપરાંત કોવિડ હોસ્પિટલમાં તબીબી શિક્ષકો અને 300 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર ખૂબ મોટા નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફ સાથે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં કરાઈ રહ્યો છે જન સેવાનો યજ્ઞ

આ પણ વાંચો :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી જામનગરની જી. જી. હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો લાવવામાં આવ્યો

દરરોજ 150 જેટલા દર્દીઓ સારવારથી સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ થઇ રહ્યા
એમ્બ્યુલન્સ કે પ્રાઈવેટ વાહનમાં જ દર્દીને તાત્કાલિક સારવાર આપી દર્દીને કોઇ પણ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ પ્રક્રિયાનો એક માત્ર ઉદ્દેશ્ય દર્દી નારાયણના પ્રાણ બચાવવાનો છે. કોઈપણ દર્દી ઓક્સિજન કે સારવારના અભાવના કારણે મૃત્યુ ન પામે તે માટે આઉટડોર પેશન્ટ માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રોજ હોસ્પિટલ ખાતે આશરે 300 જેટલા દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. 150 જેટલા દર્દીઓ સારવારથી સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. અત્યાર સુધી દવાઓ, વેન્ટિલેટર કે અન્ય કોઈપણ સારવારલક્ષી વસ્તુઓની અછત થઈ નથી. સરકાર તરફથી જી. જી. હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં દવા અને વેન્ટિલેટરનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે ડૉક્ટરો દ્વારા માત્રને માત્ર દર્દીઓના પ્રાણ બચાવવા માટે સતત જહેમત ઉઠાવવામાં આવે છે.

“જનસેવા એ જ પ્રભુસેવા”ના મંત્રને આ 200 સેવાકર્મીઓ દ્વારા ચરિતાર્થ કરાયા
જી. જી. હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ઉપરાંત આઉટડોરમાં રહેલા દર્દીઓને પણ સારવાર આપી ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ દ્વારા “જનસેવા એ જ પ્રભુસેવા”ના મંત્રને આ 200 સેવાકર્મીઓ દ્વારા ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે. દર્દીઓ દ્વારા પણ હોસ્પિટલની આ સેવાને બિરદાવવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.