- રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે સોમનાથના દર્શને આવ્યાં
- પતિની સ્મરણાર્થે દાદાને ભેટ ધરી
- રાજ્યના સર્વાંગી વિકાસ માટે કરી પ્રાર્થના
ગીરસોમનાથઃ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણપ્રધાન વિભાવરીબેન દવેએ 11 માર્ચના રોજ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતાં. શિવરાત્રીના પાવન દિવસે શ્રીમતી વિભાવરીબેન દવેએ આરતીનો લાભ લઈ ઘન્યતા અનુભવી હતી. સમગ્ર વિશ્વને કોરોનામાંથી મુક્તિ મળે અને ગુજરાતના વિકાસ માટે ભોળાનાથને પ્રાર્થના કરી હતી.
સુવર્ણકળશ, ચાંદીનું ત્રિપુંડ અને ચંદ્ર અર્પણ કર્યા
વિભાવરીબેન દવેએ તેમના સ્વર્ગવાસી પતિના સ્મર્ણાર્થે સોમનાથ દાદાની પૂજા કરી સુવર્ણકળશ, ચાંદીનું ત્રિપુંડ અને ચંદ્ર અર્પણ કર્યા હોવાનું માહિતી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગંગાસ્વરૂપ બહેનોને પેંશન સહાય આપવાના નિયમોમાં મોટી છૂટ: વિભાવરી દવે