ETV Bharat / state

ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે ઉના ખરીદ વેચાણ સંઘ અને રાજ્ય બીજ નિગમ પર લગાવ્યો ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ

ગીર-સોમનાથ જિલ્લાના ઊનામાં તાલુકા ખરીદ-વેચાણ સંઘે ગુજરાત રાજ્ય બિજ નિગમમાંથી મંગાવેલું મગફળીનું બિયારણ નબળી ગુણવતાનું નિકળ્યું હોવાની શક્યતાથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઈ છે. આ અંગે ઊનાના ધારાસભ્ય પુંજા વંશે ખેડૂતોને બિયારણની પૂરતી ચકાસણી કર્યા બાદ જ વાવેતર કરવા અપીલ કરી છે.

author img

By

Published : Jun 8, 2021, 5:49 PM IST

ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે ઉના ખરીદ વહેંચાણ સંઘ અને રાજ્ય બીજ નિગમ પર લગાવ્યો ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ
ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે ઉના ખરીદ વહેંચાણ સંઘ અને રાજ્ય બીજ નિગમ પર લગાવ્યો ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ
  • ઊના ખરીદ વેંચાણ સંઘમાં મગફળીનું બિયારણ નબળી ગુણવત્તાનું આવ્યું હોવાની શક્યતા
  • ધારાસભ્ય પુંજા વંશે ખેડૂતોને બિયારણની પૂરતી ચકાસણી કર્યા બાદ જ વાવેતર કરવા કરી અપીલ
  • મગફળીનું બિયારણના માર્કેટ ભાવ કરતા 200 રૂપિયા વધુ લેવાતા હોવાનો આરોપ

ગીર-સોમનાથઃ જિલ્લાના ઊનામાં તાલુકા ખરીદ-વેચાણ સંઘે ગુજરાત રાજ્ય બિજ નિગમમાંથી મંગાવેલું મગફળીનું બિયારણ નબળી ગુણવતાનું નિકળ્યું હોવાની શક્યતાથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઈ છે. આ અંગે ઊનાના ધારાસભ્ય પુંજા વંશે ખેડૂતોને બિયારણની પૂરતી ચકાસણી કર્યા બાદ જ વાવેતર કરવા અપીલ કરી છે.

મગફળીનું બિયારણ
મગફળીનું બિયારણ

ગુજરાત બિજ નિગમમાંથી 20 થી 22 નંબરનું મગફળીનું બિયારણ મંગાવ્યું

ઊના તાલુકા ખરીદ-વેચાણ સંઘે ગુજરાત બિજ નિગમમાંથી 20 થી 22 નંબરનું મગફળીનું બિયારણ મંગાવ્યું હતું અને સંઘ દ્વારા તેમનું વેચાણ કરાયું હતું. જેમાં ગિરગઢડા તાલુકાના આંકોલાળી ગામના ખેડૂત ભગવાન ભીખાભાઇ વાજાએ સંઘમાંથી મગફળીનું બિયારણ રૂપિયા 2300ના ભાવે ખરીદ્યું હતું. પણ તેની થેલી ખોલતાં આ બિયારણ નબરી ગુણવતાનું જણાતાં તેઓ અચંબામાં પડી ગયા હતા.

ધારાસભ્ય પૂંજા વંશ
ધારાસભ્ય પૂંજા વંશ

આ પણ વાંચોઃ તાલાલા ગીર પંથકની કેરીની સિઝન ચાલુ વર્ષે ગ્લોબલ ચેન્‍જીંગ અને વાવાઝોડાના કારણે ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ

5 થી 7 કિલો કચરો નિકળતો હોવાની ફરિયાદ

બાદમાં ભગવાનભાઇએ આ બિયારણ ફોલતાં મગફળીના બી પણ નબરી ગુણવતાના જોવા મળ્યા હતા. તેમણે થોડાક બિયારણ રોપતાં તેમાં પણ બિયારણ નબરી ગુણવતાનું હોવાનું માલુમ પડ્યું હતું. બિયારણની બીજી થેલીઓ ખોલતાં થેલીમાંથી પોરબંદર જિલ્લાના સુખપર ગામની સ્લીપ પણ મળી આવી હતી. વળી બિયારણની બેગ 30 કિલોની છે અને તે ફોલીને સાફ કરતાં 5 થી 7 કિલો કચરો નિકળતો હોવાની ફરિયાદ પણ ઉઠી છે.

ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે ઉના ખરીદ વહેંચાણ સંઘ અને રાજ્ય બીજ નિગમ પર લગાવ્યો ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ

નમૂના લેબોરેટરીમાંથી આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે

આ અંગે ધારાસભ્ય પુંજા વંશે સંઘના મેનેજરને વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બિજ નિગમની કચેરી જૂનાગઢમાં છે. અમે ત્યાંથી બિયારણ ખરીદ્યું છે અને અમે નિગમના અધિકારી અને ક્વોલિટી કંટ્રોલના અધિકારીને તેની જાણ કરી દીધી છે. આ બિયારણના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને નમૂના લેબોરેટરીમાંથી આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ, 125 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ

  • ઊના ખરીદ વેંચાણ સંઘમાં મગફળીનું બિયારણ નબળી ગુણવત્તાનું આવ્યું હોવાની શક્યતા
  • ધારાસભ્ય પુંજા વંશે ખેડૂતોને બિયારણની પૂરતી ચકાસણી કર્યા બાદ જ વાવેતર કરવા કરી અપીલ
  • મગફળીનું બિયારણના માર્કેટ ભાવ કરતા 200 રૂપિયા વધુ લેવાતા હોવાનો આરોપ

ગીર-સોમનાથઃ જિલ્લાના ઊનામાં તાલુકા ખરીદ-વેચાણ સંઘે ગુજરાત રાજ્ય બિજ નિગમમાંથી મંગાવેલું મગફળીનું બિયારણ નબળી ગુણવતાનું નિકળ્યું હોવાની શક્યતાથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઈ છે. આ અંગે ઊનાના ધારાસભ્ય પુંજા વંશે ખેડૂતોને બિયારણની પૂરતી ચકાસણી કર્યા બાદ જ વાવેતર કરવા અપીલ કરી છે.

મગફળીનું બિયારણ
મગફળીનું બિયારણ

ગુજરાત બિજ નિગમમાંથી 20 થી 22 નંબરનું મગફળીનું બિયારણ મંગાવ્યું

ઊના તાલુકા ખરીદ-વેચાણ સંઘે ગુજરાત બિજ નિગમમાંથી 20 થી 22 નંબરનું મગફળીનું બિયારણ મંગાવ્યું હતું અને સંઘ દ્વારા તેમનું વેચાણ કરાયું હતું. જેમાં ગિરગઢડા તાલુકાના આંકોલાળી ગામના ખેડૂત ભગવાન ભીખાભાઇ વાજાએ સંઘમાંથી મગફળીનું બિયારણ રૂપિયા 2300ના ભાવે ખરીદ્યું હતું. પણ તેની થેલી ખોલતાં આ બિયારણ નબરી ગુણવતાનું જણાતાં તેઓ અચંબામાં પડી ગયા હતા.

ધારાસભ્ય પૂંજા વંશ
ધારાસભ્ય પૂંજા વંશ

આ પણ વાંચોઃ તાલાલા ગીર પંથકની કેરીની સિઝન ચાલુ વર્ષે ગ્લોબલ ચેન્‍જીંગ અને વાવાઝોડાના કારણે ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ

5 થી 7 કિલો કચરો નિકળતો હોવાની ફરિયાદ

બાદમાં ભગવાનભાઇએ આ બિયારણ ફોલતાં મગફળીના બી પણ નબરી ગુણવતાના જોવા મળ્યા હતા. તેમણે થોડાક બિયારણ રોપતાં તેમાં પણ બિયારણ નબરી ગુણવતાનું હોવાનું માલુમ પડ્યું હતું. બિયારણની બીજી થેલીઓ ખોલતાં થેલીમાંથી પોરબંદર જિલ્લાના સુખપર ગામની સ્લીપ પણ મળી આવી હતી. વળી બિયારણની બેગ 30 કિલોની છે અને તે ફોલીને સાફ કરતાં 5 થી 7 કિલો કચરો નિકળતો હોવાની ફરિયાદ પણ ઉઠી છે.

ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે ઉના ખરીદ વહેંચાણ સંઘ અને રાજ્ય બીજ નિગમ પર લગાવ્યો ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ

નમૂના લેબોરેટરીમાંથી આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે

આ અંગે ધારાસભ્ય પુંજા વંશે સંઘના મેનેજરને વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બિજ નિગમની કચેરી જૂનાગઢમાં છે. અમે ત્યાંથી બિયારણ ખરીદ્યું છે અને અમે નિગમના અધિકારી અને ક્વોલિટી કંટ્રોલના અધિકારીને તેની જાણ કરી દીધી છે. આ બિયારણના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને નમૂના લેબોરેટરીમાંથી આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ, 125 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.