ETV Bharat / state

ગીરસોમનાથમાં 'મહા'ની આડઅસર, વરસાદમાં કોડીનાર યાર્ડની 6000 ગુણી મગફળી ધોવાઈ

author img

By

Published : Nov 2, 2019, 7:02 PM IST

ગીરસોમનાથઃ 'મહા' ચક્રવાતની આડઅસરથી ગીરસોમનાથના કોડીનાર, ઉના, વેરાવળ અને સૂત્રાપડા તાલુકામાં મોડી રાત્રે ખાબકેલા વરસાદે તારાજી સર્જી હતી. વરસાદના પગલે કોડીનાર યાર્ડમાં અંદાજે 6000 ગુણી મગફળીને નુકશાન થયું હતું.

ગીરસોમનાથમાં 'મહા' ની આડઅસર

અરબી સમુદ્રમાં 'મહા' વાવાઝોડું એક્ટિવેટ થયું છે, જે ગીરસોમનાથથી હજુ ઘણું દૂર છે અને આગામી 7 તારીખ સુધીમા તે વેરાવળ અને સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે હિટ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. "મહા" નામની આફત આગામી 6 થી 7 તારીખે ત્રાટકવાની છે. પરંતુ, તેની જોરદાર અસર હાલ ગીર વિસ્તારમાં જોવા મળી રહી છે. ગત મોડી રાત્રે ગીર સોમનાથના કોડીનાર, ઉના, સુત્રાપાડા અને વેરાવળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ભારે નુકશાન થયું છે.

ગીરસોમનાથમાં 'મહા' ની આડઅસર

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આશરે 6 હજારથી વધુ ગુણી મગફળી હરાજી માટે લાવી હતી. જે તમામ મગફળી પર વરસાદી પાણી ફરી વળ્યું હતુ. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે મોટા પ્રમાણમાં ખેડૂતોનો સોયાબીનનો જથ્થો પણ પલળી ચુક્યો હતો. જેના પગલે વહેલી સવારે ખેડૂતો APMC ખાતે પહોંચી પોતાની મગફળીના દ્રશ્યો જોઈ ચિંતાતુર બન્યા હતાં.

અરબી સમુદ્રમાં 'મહા' વાવાઝોડું એક્ટિવેટ થયું છે, જે ગીરસોમનાથથી હજુ ઘણું દૂર છે અને આગામી 7 તારીખ સુધીમા તે વેરાવળ અને સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે હિટ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. "મહા" નામની આફત આગામી 6 થી 7 તારીખે ત્રાટકવાની છે. પરંતુ, તેની જોરદાર અસર હાલ ગીર વિસ્તારમાં જોવા મળી રહી છે. ગત મોડી રાત્રે ગીર સોમનાથના કોડીનાર, ઉના, સુત્રાપાડા અને વેરાવળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ભારે નુકશાન થયું છે.

ગીરસોમનાથમાં 'મહા' ની આડઅસર

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આશરે 6 હજારથી વધુ ગુણી મગફળી હરાજી માટે લાવી હતી. જે તમામ મગફળી પર વરસાદી પાણી ફરી વળ્યું હતુ. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે મોટા પ્રમાણમાં ખેડૂતોનો સોયાબીનનો જથ્થો પણ પલળી ચુક્યો હતો. જેના પગલે વહેલી સવારે ખેડૂતો APMC ખાતે પહોંચી પોતાની મગફળીના દ્રશ્યો જોઈ ચિંતાતુર બન્યા હતાં.

Intro:"મહા" ચક્રવાત ની આડઅસર થી ગીરસોમનાથ ના કોડીનાર, ઉના,વેરાવળ.અને સૂત્રાપડા તાલુકામાં મોડી રાત્રે ખાબકેલા વરસાદે તારાજી સર્જી. વરસાદ ના પગલે કોળીનાર યાર્ડમાં અંદાજે 6000 ગુણી મગફળી ને નુકશાન...


Body:અરબી સમુદ્ર મા "મહા" નામનું વાવાઝોડું એક્ટિવેટ થયું છે જે ગીરસોમનાથ થી હજુ ઘણું દૂર છે અને આગામી 7 તારીખ સુધીમા તે વેરાવળ અને સૌરાષ્ટ્ર નાં દરિયા કિનારે હિટ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. "મહા" નામની આફત આગામી 6 થી 7 તારીખે ત્રાટકવાની છે પરંતુ તેની જોરદાર અસર હાલ ગીર વિસ્તાર મા જોવા મળી રહી છે. ગત મોડી રાત્રે ગીર સોમનાથ ના કોડીનાર ઉના સુત્રાપાડા અને વેરાવળ મા ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ભારે નુકશાન થયું છે. ઉપરોક્ત દ્રશ્યો છે કોડીનાર માર્કેટિંગ યાર્ડ ના જ્યા ખેડૂતો એ આશરે 5 હજાર વધુ ગુણી મગફળી હરાજી માટે લાવી હતી જે તમામ મગફળી પર વરસાદી પાણી ફરી વળ્યું છે. ખેડૂતો ની મગફળી વહેલી સવારે પાણીમા તરતી જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડ મા મગફળી ની સાથે મોટા પ્રમાણ મા ખેડૂતો નો સોયાબીન નો જથ્થો પણ પલળી ચુક્યો છે. વહેલી સવારે ખેડૂતો apmc મા પોતાની મગફળી ના દ્રશ્યો જોઈ ચિંતાતુર બન્યા હતા.Conclusion:માર્કેટ યાર્ડ મા આગળ ના ભાગમાં શેડ માં ખેડૂતો ની મગફળીનો જથ્થો સલામત છે. પરંતુ પાછળ ના ગ્રાઉન્ડ મા મગફળી ને ભારે નુકશાન થયું છે, અમુક મહિનાઓ સતત વરસાદ બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતોએ મગફળી ખેતર ની અંદર થી લણવા માટે બહાર કાઢી છે પરતું રાત્રે આવેલા વરસાદે તમામ મગફળી પર પાણી ફેરવી દીધું છે, એટલું જ નહિ હવે મૂંગા પશુઓ પર કુદરત નારાજ હોઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે , પશુઓ ના પાકને પણ ભારે નુકશાન થયું છે.


વન ટુ વન માં વ્યક્તિ -સુભાશ ડોડીયા- એપીએમસી, ચેરમેન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.