ગુજરાતના બંદરગાહના નિયમન કરતાં મેરિટાઈમ બોર્ડ તરફથી મોટાભાગના બંદરો પર બે નંબરનું સિગ્નલ જાહેર કર્યુ છે. આ સિગ્નલ થકી માછીમારોને સમુદ્રમાં ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.
આમ, દિવાળી દરિયાઈ લો-પ્રેશરના કારણે વંટોળ અને વરસાદ થતાં ગુજરાતીઓની દિવાળીના રંગમાં ભંગ પડી રહ્યો છે. જેથી ગુજરાત પર કોઈ આપત્તિ ન સર્જાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, દરિયાઈ લો- પ્રેશરની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સંતર્કતા રાખવામાં આવી રહી છે. તેમજ દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને પણ સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે.