- રાજ્ય સરકારે નાતાલ અને 31 ડિસેમ્બરની એસ.ઓ.પી. જાહેર કરી
- ચર્ચમાં કેપેસિટીના 50 ટકા અથવા વધુમાં વધુ 200 લોકોને મંજૂરી
- જાહેરસભા અને જાહેર પ્રાર્થના પર પ્રતિબંધ
ગાંધીનગર: નાતાલની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાતાલની ઉજવણી અને 31મી ડિસેમ્બરની ઉજવણી માટે ખાસ SOP જાહેર કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારે એક એસ.ઓ.પી બહાર પાડી છે. જેનું ચુસ્તપણે અમલ કરવામાં આવશે, જેમાં ચર્ચ અથવા પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના 50 ટકા અથવા 200 વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે.
ઉજવણીમાં જાહેર સભા કે શોભાયાત્રા નહીં
સરકારે જાહેર કરેલી એસ.ઓ.પીમાં તહેવારોની ઉજવણી દરમિયાન કે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જાહેરમાં કોઇ સભા પ્રાર્થના કે વિકેટ શોભાયાત્રાનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત સંક્રમણને રોકવા માટે નાગરિકોએ આપેલા સહયોગ આગામી સમયમાં પણ મળે તે બાબતે પણ રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
તહેવારોમાં પોલીસની ડ્યૂટી વધશે
સામાન્ય સંજોગોમાં પણ તહેવારના દિવસોમાં પોલીસને વધારે કલાક કામ કરવાનો આવતો હોય છે, પરંતુ હવે જે રીતની વર્તમાન પરિસ્થિતિ છે. તેને ધ્યાનમાં લઈને જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળો જેમ કે, શાકમાર્કેટ જથ્થાબંધ વેપાર તથા હરાજીના સ્થળો ખાણી-પીણીના સ્થાનો બસ સ્ટેશન અંજાર રેલવે સ્ટેશન સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે વધારાના પોલીસ દળને પણ તહેનાત કરવામાં આવશે.
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત
નાતાલ તહેવાર દરમિયાન રાજ્ય સરકારે બહાર પાડેલી એસ.ઓ.પીમાં તમામ નાગરિકોએ સામાજિક અંતર અને માસ્ક પહેરવા ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો માસ્ક પહેર્યા વગર પોલીસ પકડશે તો સરકારના જણાવ્યા પ્રમાણે એક હજાર રૂપિયાનો દંડ પણ ભોગવવાનો વારો આવી શકે છે. આમ, તહેવારોના દિવસો દરમિયાન પણ સામાજિક અને માસ્ક કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્ય સરકારે ફરજિયાત કર્યું છે.