ETV Bharat / state

ગાંધીનગરમાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાની કચેરીએ ફાટેલો રાષ્ટ્રધ્વજ લહેરાવી અપમાન કર્યું

author img

By

Published : Aug 22, 2019, 1:46 AM IST

ગાંધીનગર: દેશ આઝાદ થયો ત્યારથી જ રાષ્ટ્રીય ધ્વજને આપણે વિશેષ સન્માન આપીએ છીએ. જ્યારે પણ ધ્વજ લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. પરંતુ ગાંધીનગરમાં મહાત્મા મંદિરની પાસે આવેલા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)ની મુખ્ય કચેરી ઉપર ફાટેલી હાલતમાં ધ્વજ ફરકાવીને અધિકારીઓ દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું છે.

national flag

SAI સંસ્થાના અધિકારીઓને તો રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં ફરકી રહ્યો છે, તેની પણ ખબર ન હતી. જ્યારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું તો ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યુ કે, નીચેથી દેખાતું નથી કે ધ્વજ ફાટેલો છે. હવે અમે સિક્યુરિટી સાથે વાત કરીને તેને ઉતારી લેવડાવીશું. સરકારી ભવન પર ધ્વજ રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે. ધ્વજને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે-ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે.

સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાની કચેરીએ ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

ધ્વજને ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે, ધ્વજને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામા આવવો જોઈએ. જ્યારે પણ ધ્વજ કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે. ફાટેલો કે, મેલો ધ્વજ ફરકાવવામાં આવતો નથી. ધ્વજ ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે. કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે, ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ. ધ્વજ પર કંઈ પણ લખેલુ કે, છપાયેલુ ન હોવુ જોઈએ.

રાષ્ટ્રીય ધ્વજને લઈને નિયમ બનાવેલા હોવા છતાં, મહિને લાખો રૂપિયાનો પગાર રડતા અધિકારીઓને તેનું ભાન પણ નથી. આ બાબતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર વિરસિંગ ચૌહાણ સાથે વાત કરતા તેમણે નફ્ફટ બનીને જવાબ આપતા કહ્યું કે, ધ્વજ ફાટેલી હાલતમાં છે તે અમને ખબર નથી. સિક્યુરિટી સાથે વાત કરીને ધ્વજને ઉતારી લેવડાવીશુ. જાણે કંઈ બન્યું જ નથી તેવી રીતે જવાબ આપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભજન કચેરી ઉપર લગાવેલો ધ્વજ સૂર્યાસ્ત પછી ઉતારવામાં પણ આવતો નથી. અધિકારીઓ માત્ર પગાર કમાવવા આવતા હોય તેવું જોવા મળી રહે છે. સરકાર આવા અધિકારીઓ સામે પગલાં લેશે કે, કેમ તે જોવાનું રહ્યુ !!

SAI સંસ્થાના અધિકારીઓને તો રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં ફરકી રહ્યો છે, તેની પણ ખબર ન હતી. જ્યારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું તો ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યુ કે, નીચેથી દેખાતું નથી કે ધ્વજ ફાટેલો છે. હવે અમે સિક્યુરિટી સાથે વાત કરીને તેને ઉતારી લેવડાવીશું. સરકારી ભવન પર ધ્વજ રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે. ધ્વજને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે-ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે.

સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાની કચેરીએ ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

ધ્વજને ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે, ધ્વજને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામા આવવો જોઈએ. જ્યારે પણ ધ્વજ કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે. ફાટેલો કે, મેલો ધ્વજ ફરકાવવામાં આવતો નથી. ધ્વજ ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે. કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે, ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ. ધ્વજ પર કંઈ પણ લખેલુ કે, છપાયેલુ ન હોવુ જોઈએ.

રાષ્ટ્રીય ધ્વજને લઈને નિયમ બનાવેલા હોવા છતાં, મહિને લાખો રૂપિયાનો પગાર રડતા અધિકારીઓને તેનું ભાન પણ નથી. આ બાબતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર વિરસિંગ ચૌહાણ સાથે વાત કરતા તેમણે નફ્ફટ બનીને જવાબ આપતા કહ્યું કે, ધ્વજ ફાટેલી હાલતમાં છે તે અમને ખબર નથી. સિક્યુરિટી સાથે વાત કરીને ધ્વજને ઉતારી લેવડાવીશુ. જાણે કંઈ બન્યું જ નથી તેવી રીતે જવાબ આપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભજન કચેરી ઉપર લગાવેલો ધ્વજ સૂર્યાસ્ત પછી ઉતારવામાં પણ આવતો નથી. અધિકારીઓ માત્ર પગાર કમાવવા આવતા હોય તેવું જોવા મળી રહે છે. સરકાર આવા અધિકારીઓ સામે પગલાં લેશે કે, કેમ તે જોવાનું રહ્યુ !!

Intro:હેડિંગ) સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની કચેરીએ ફાટેલી હાલતમાં તિરંગો લહેરાવી અપમાન કર્યું

ગાંધીનગર,

ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિરની પાસે આવેલા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)ની મુખ્ય કચેરી ઉપર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. પરંતુ રાષ્ટ્રીય ધ્વજને ફાટેલી હાલતમાં ફરકાવીને અધિકારીઓ દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું છે. સાઈ સંસ્થાના અધિકારીઓને તો રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં ફરકી રહ્યો છે, તેની પણ ખબર ન હતી. જ્યારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું તો નફ્ફટ થઈને જવાબ આપવામાં આવ્યો હતો સાયના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યુ કે, નીચેથી દેખાતું નથી ફાટેલો હશે તો સિક્યુરિટી સાથે વાત કરીને ઉતારી લેવડાવીશું.Body:રાષ્ટ્રીય ધ્વજને વિશેષ સન્માન મળવું જોઈએ, જેમાં જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળવો જોઈએ. સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે. ઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામા આવવો જોઈએ.Conclusion:જ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે. 
ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં આવતો નથી. ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે.  કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ. ત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ. 

રાષ્ટ્રીય ધ્વજ ને લઈને નિયમ બનાવેલા હોવા છતાં મહિને લાખો રૂપિયાનો પગાર રડતા અધિકારીઓને તેનું ભાન પણ નથી. આ બાબતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર વીરસિંગ ચૌહાણ સાથે વાત કરતા તેમણે નફ્ફટ બનીને જવાબ આપતા કહ્યું કે, ફાટેલી હાલતમાં છે તે અમને ખબર નથી. સિક્યુરિટી સાથે વાત કરીને તિરંગાને ઉતારી લેવડાવીશુ. જાણે કંઈ બન્યું જ નથી તેવી રીતે જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ધ્વજ નીચેથી દેખાતો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભજન કચેરી ઉપર લગાવેલો તિરંગો સૂર્યાસ્ત પછી ઉતારવામાં પણ આવતો નથી. અધિકારીઓ માત્ર પગાર કમાવવા આવતા હોય પછી તેઓ સીનારીઓ જોવા મળી રહે છે સરકાર આવા અધિકારીઓ સામે પગલાં પડશે કે કેમ તે જોવાનું રહ્યુ !!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.