ETV Bharat / state

સરકારી જમીન પર બંગલાઓ બનાવી વેચવાની જાહેરહીતની અરજી ફગાવી 50 હજારનો દંડ - આંબલી ખાતેના સરકારી જમીન

અમદાવાદ : જિલ્લાના આંબલી ખાતેના સરકારી જમીન પર બંગલા ઉભા કરીને વેચી દેવાના સંદર્ભમાં જાહેરહિતની અરજી થઈ હતી. જે મુદ્દે ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને સુભાષ બ્રહ્મભટ્ટ ડિવિઝનની બેંચે અરજદારને 50 હજારનો દંડ ફટકારી જાહેર હિતની અરજીને ફગાવી દીધી હતી.

etv bharat gandhinagar
author img

By

Published : Sep 17, 2019, 10:12 AM IST

અરજદાર હાર્દિક રણછોડભાઈ પટેલે કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, આંબલી ખાતે સરકારે 1948માં સરકારી જમીન ઠાકોરોને ખેડવા માટે આપી હતી. આ દરમિયાન જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરીને વીલ બનાવી દેવામાં આવ્યાં હતાં.

ખેડૂતોના મૃત્યુબાદ વીલને લઈને સરકારી ખાતાઓમાં એન્ટ્રીઓ કરાવી જમીન જૂની શરતોમાં ફેરવાઈ હતી. આ હકીકતની જાણ થતાં તાત્કાલિક કલેક્ટરે જૂની શરતમાં જમીન ફેરવવાનો નિર્ણય રદ કર્યો હતો. ત્યાં સુધી કે કોર્પોરેશને પણ સરકારી જમીનમાં ઉભા કરાયેલા બંગલાઓ તોડી નાખીને કબજો મેળવવાનું નક્કી કર્યું હતું. પરંતુ રાજકીય દબાણને કારણે કોઈ પગલા ભરાયાં ન હોવાનો આક્ષેપ કરાયો હતો.

આ જાહેરહીતની અરજીમાં અરજદારે ગુજરાત સરકાર, અમદાવાદ જિલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર, ઔડા, ઉપરાંત બાબુ જમનાદાસ પટેલ, ચિત્રક શાહ અને રમેશ પટેલ સહિત 8 વયક્તિ પક્ષકાર તરીકે જોડયા હતા

અરજદાર હાર્દિક રણછોડભાઈ પટેલે કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, આંબલી ખાતે સરકારે 1948માં સરકારી જમીન ઠાકોરોને ખેડવા માટે આપી હતી. આ દરમિયાન જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરીને વીલ બનાવી દેવામાં આવ્યાં હતાં.

ખેડૂતોના મૃત્યુબાદ વીલને લઈને સરકારી ખાતાઓમાં એન્ટ્રીઓ કરાવી જમીન જૂની શરતોમાં ફેરવાઈ હતી. આ હકીકતની જાણ થતાં તાત્કાલિક કલેક્ટરે જૂની શરતમાં જમીન ફેરવવાનો નિર્ણય રદ કર્યો હતો. ત્યાં સુધી કે કોર્પોરેશને પણ સરકારી જમીનમાં ઉભા કરાયેલા બંગલાઓ તોડી નાખીને કબજો મેળવવાનું નક્કી કર્યું હતું. પરંતુ રાજકીય દબાણને કારણે કોઈ પગલા ભરાયાં ન હોવાનો આક્ષેપ કરાયો હતો.

આ જાહેરહીતની અરજીમાં અરજદારે ગુજરાત સરકાર, અમદાવાદ જિલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર, ઔડા, ઉપરાંત બાબુ જમનાદાસ પટેલ, ચિત્રક શાહ અને રમેશ પટેલ સહિત 8 વયક્તિ પક્ષકાર તરીકે જોડયા હતા

Intro:અમદાવાદ જિલ્લાના આંબલી ખાતેના સરકારી જમીન પર બંગલા ઉભા કરીને વેચી દેવા સંદર્ભમાં થયેલી જાહેરહિતની અરજી મુદ્દે ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને સુભાષ બ્રહ્મભટ્ટ ડિવિઝન બેન્ચે અરજદારને ૫૦ હજારનો દંડ ફટકારી જાહેર હિતની અરજીને ફગાવી દીધી હતી..


Body:અરજદાર હાર્દિક રણછોડભાઈ પટેલ કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી હતી કે આંબલી ખાતે સરકારે 1948માં સરકારી જમીન ઠાકોરોને ખેડવા માટે આપી હતી. આ દરમિયાન જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરીને વીલ બનાવી દેવાયા હતાં. ખેડૂતોના મૃત્યુબાદ વીલને લઈને સરકારી ખાતાઓમાં એન્ટ્રીઓ કરાવી જમીન જૂની શરતોમાં ફેરવાઈ ગઈ હતી. આ હકીકતની જાણ થતાં તાત્કાલિક કલેક્ટરે જૂની શરતમાં જમીન ફેરવવાનો નિર્ણય રદ કર્યો હતો. ત્યાં સુધી કે કોર્પોરેશને પણ સરકારી જમીનમાં ઉભા કરાયેલા બંગલાઓ તોડી નાખીને કબજો મેળવવાનું નક્કી કર્યું હતું પરંતુ રાજકીય દબાણને કારણે કોઈ પગલા ભરાયાં ન હોવાનો આક્ષેપ કરાયો હતો.


Conclusion:આ જાહેરહીતની અરજીમાં અરજદારે ગુજરાત સરકાર, અમદાવાદ જિલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર, ઔડા, ઉપરાંત બાબુ જમનાદાસ પટેલ, ચિત્રક શાહ અને રમેશ પટેલ સહિત આઠ જણાને પક્ષકાર તરીકે જોડયા હતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.