ETV Bharat / state

વાવોલમાં રહેતા પાટણના એડિશનલ કલેક્ટરના ઘરમાં ખાતર પડ્યું, 3 લાખની ચોરી - Theft at the collector's house in Vavol

ગાંધીનગરઃ જિલ્લામાં વાવોલના તત્વ બંગ્લોઝમાં ચોરીની ઘટના બની છે. અહીં બંગલો નં-8માં નિવૃત જીવન ગુજારતું દંપતિ પાટણમાં એડિશનલ કલેક્ટર એવા પુત્રને મળવા ગયા હતા. ત્યારે બંધ મકાનનું લોક તોડી ઘૂસેલા તસ્કરોએ 2.97 લાખની મત્તાની ચોરી કરી હતી.

gandhinagar
વાવોલમાં રહેતા પાટણના એડિશનલ કલેક્ટરના ઘરમાં ખાતર પડ્યું, 3 લાખની ચોરી
author img

By

Published : Dec 24, 2019, 10:55 PM IST

વાવોલમાં બળીયાદેવ મંદિર પાસે આવેલા તત્વ બંગ્લોઝમાં મકાન નં-8 ખાતે રહેતાં રમણલાલ જેઠાલાલ પરમાર નિવૃત જીવન ગુજારે છે. તેમનો સૌથી નાનો પુત્ર મુકેશભાઈ પરમાર પાટણ ખાતે એડીશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. 18 ડિસેમ્બરના રોજ સાંજે તેઓ પાટણ ખાતે પુત્રને મળવા માટે ગયા હતા, ત્યારે મંગળવારે સવારે 9 વાગ્યે તેમના પર પાડોશીનો ફોન આવ્યો હતો અને જેમણે ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું અને તાળુ તૂટેલું હોવાનું જણાવ્યું હતું.

વાવોલમાં રહેતા પાટણના એડિશનલ કલેક્ટરના ઘરમાં ખાતર પડ્યું, 3 લાખની ચોરી
વાવોલમાં રહેતા પાટણના એડિશનલ કલેક્ટરના ઘરમાં ખાતર પડ્યું, 3 લાખની ચોરી

જેથી તેઓ તાત્કાલિક ઘરે ગાંધીનગર પહોંચીને ઘરે આવતા દરવાજનું ઈન્ટરલોક તૂટેલું હતું. ઘરમાં પ્રથમ માળે બેડરૂમની અંદર રહેલા લાકડાના કબાટ તોડી નાખેલ હતું. ઘરમાં તપાસ કરતાં 2,22,100ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા 75 હજાર રોકડા ગૂમ હતા. ઘટનાને પગલે સેક્ટર-7 પોલીસને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળ પહોંચેલી પોલીસે ફીગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી ઘરની તપાસ કરી હતી. ચોરી અંગે રમણલાલ પરમારની ફરિયાદના આધારે સેક્ટર-7 પોલીસ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્વયાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ PI પી. પી. વાઘેલાએ હાથ ધરતા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

વાવોલમાં બળીયાદેવ મંદિર પાસે આવેલા તત્વ બંગ્લોઝમાં મકાન નં-8 ખાતે રહેતાં રમણલાલ જેઠાલાલ પરમાર નિવૃત જીવન ગુજારે છે. તેમનો સૌથી નાનો પુત્ર મુકેશભાઈ પરમાર પાટણ ખાતે એડીશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. 18 ડિસેમ્બરના રોજ સાંજે તેઓ પાટણ ખાતે પુત્રને મળવા માટે ગયા હતા, ત્યારે મંગળવારે સવારે 9 વાગ્યે તેમના પર પાડોશીનો ફોન આવ્યો હતો અને જેમણે ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું અને તાળુ તૂટેલું હોવાનું જણાવ્યું હતું.

વાવોલમાં રહેતા પાટણના એડિશનલ કલેક્ટરના ઘરમાં ખાતર પડ્યું, 3 લાખની ચોરી
વાવોલમાં રહેતા પાટણના એડિશનલ કલેક્ટરના ઘરમાં ખાતર પડ્યું, 3 લાખની ચોરી

જેથી તેઓ તાત્કાલિક ઘરે ગાંધીનગર પહોંચીને ઘરે આવતા દરવાજનું ઈન્ટરલોક તૂટેલું હતું. ઘરમાં પ્રથમ માળે બેડરૂમની અંદર રહેલા લાકડાના કબાટ તોડી નાખેલ હતું. ઘરમાં તપાસ કરતાં 2,22,100ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા 75 હજાર રોકડા ગૂમ હતા. ઘટનાને પગલે સેક્ટર-7 પોલીસને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળ પહોંચેલી પોલીસે ફીગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી ઘરની તપાસ કરી હતી. ચોરી અંગે રમણલાલ પરમારની ફરિયાદના આધારે સેક્ટર-7 પોલીસ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્વયાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ PI પી. પી. વાઘેલાએ હાથ ધરતા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:હેડલાઈન) વાવોલમાં રહેતા પાટણના એડિશનલ કલેક્ટરના ઘરમાં ખાતર પડ્યું, 3 લાખની ચોરી

ગાંધીનગર,

ગાંધીનગરમાં વાવોલના તત્વ બંગ્લોઝમાં ચોરીની ઘટના બની છે. અહીં બંગલો નં-8માં નિવૃત જીવન ગુજારતું દંપતિ પાટણમાં એડિશનલ કલેક્ટર એવા પુત્રના મળવા ગયા હતા ત્યારે બંધ મકાનનું લોક તોડી ઘૂસેલા તસ્કરોએ 2.97 લાખની મત્તાની ચોરી કરી હતી. Body:વાવોલમાં બળીયાદેવ મંદિર પાસે આવેલા તત્વ બંગ્લોઝમાં મકાન નં-8 ખાતે રહેતાં રમણલાલ જેઠાલાલ પરમાર (70 વર્ષ) નિવૃત જીવન ગુજારે છે. તેમનો સૌથી નાનો પુત્ર મુકેશભાઈ પરમાર પાટણ ખાતે એડીશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. 18 ડિસેમ્બરના રોજ સાંજે તેઓ પાટણ ખાતે પુત્રને મળવા માટે ગયા હતા. ત્યારે મંગળવારે સવારે 9 વાગ્યે તેમના પર પાડોશીનો ફોન આવ્યો હતો અને જેમણે ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું અને તાળુ તૂટેલું હોવાનું જણાવ્યું હતું. Conclusion:જેથી તેઓ તાત્કાલિક ઘરે ગાંધીનગર પહોંચીને ઘરે આવતા દરવાજનું ઈન્ટરલોક તૂટેલું હતું. ઘરમાં પ્રથમ માળે બેડરૂમની અંદર રહેલા લાકડાના કબાટ તોડી નાખેલ હતું. ઘરમાં તપાસ કરતાં 2,22,100ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા 75 હજાર રોકડા ગૂમ હતા. ઘટનાને પગલે સેક્ટર-7 પોલીસને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળ પહોંચેલી પોલીસે ફીગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી ઘરની તપાસ કરી હતી. ચોરી અંગે રમણલાલ પરમારની ફરિયાદના આધારે સેક્ટર-7 પોલીસ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્વયાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ પીઆઈ પી. પી. વાઘેલાએ હાથ ધરતા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.